શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદઃ નિકિતાએ સાસુની લોખંડનો રોડ મારીને હત્યા કરી નાંખી ત્યારે પુત્ર ક્યાં હતો? નિકિતાએ હત્યા પછી શું કર્યું?
હત્યા કર્યા બાદ નિકિતા પોતાનાના રૂમ માં બંધ થઈ ગઈ હતી. રૂમમાં અંદરથી લોક થઈ ગઇ હોવાનું કહીને લગભગ અઢી કલાક સુધી પતિ દીપક માટે દરવાજો પણ નહોતો ખોલ્યો. અંતે પતિ દીપક ઘરની બાલ્કનીમાં સીડી લગાવીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેને પોતાની માની લોહીલુહાણ લાશ જોઈ અને સમગ્ર હકીકત સામે આવી.
![અમદાવાદઃ નિકિતાએ સાસુની લોખંડનો રોડ મારીને હત્યા કરી નાંખી ત્યારે પુત્ર ક્યાં હતો? નિકિતાએ હત્યા પછી શું કર્યું? Ahmedabad mother in law murder case : Nikita Agrawal closed her in bad room after murder અમદાવાદઃ નિકિતાએ સાસુની લોખંડનો રોડ મારીને હત્યા કરી નાંખી ત્યારે પુત્ર ક્યાં હતો? નિકિતાએ હત્યા પછી શું કર્યું?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/10/29162432/Nikita-Agrawal-accused.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ સાસુ-વહુ વચ્ચેના ઝઘડા અવાર-નવાર થતા હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ સામાન્ય ઝઘડામાં સાસુ વહુ વચ્ચે લોહીયાળ ખેલ ખેલાયો હોય તેવી ઘટના અમદાવાદના ગોતામાં આવેલા રોયલ હોમ્સમાં બની. નિકિતા નામની મહિલાએ પોતાની સાસુની ક્રૂર હત્યા કરી છે.
ગોતામાં આવેલા રોયલ્સ હોમ્સમાં 103ના મકાનમાં રાત્રે બે મહિલાઓના ઝઘડવાનો અવાજ આવતો હતો. ઝઘડો એટલો ઉગ્ર હતો કે પડોસીઓએ પણ દરવાજો ખખડાવ્યો, પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો નહિ અને અચાનક અવાજ શાંત પડી ગયો. પાડોશીઓને લાગ્યું કે ઝઘડો બંધ થઈ ગયો. પરંતુ દરવાજાની અંદરની બાજુ તો સામાન્ય કકળાટે ખુની રૂપ ધારણ કર્યો હતો. પુત્રવધૂએ સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
નિકિતાએ સાસુ રેખાબેન અગ્રવાલને લોખંડના રોડથી હત્યા કરીને લાશને સળગાવવાના પ્રયાસ પણ કર્યા હતા. જેમાં તેના હાથ પણ દાઝી ગયા હતા. હત્યા કર્યા બાદ નિકિતા પોતાનાના રૂમ માં બંધ થઈ ગઈ હતી. રૂમમાં અંદરથી લોક થઈ ગઇ હોવાનું કહીને લગભગ અઢી કલાક સુધી પતિ દીપક માટે દરવાજો પણ નહોતો ખોલ્યો. અંતે પતિ દીપક ઘરની બાલ્કનીમાં સીડી લગાવીને ઘરમાં પ્રવેશ્યો હતો, જ્યાં તેને પોતાની માની લોહીલુહાણ લાશ જોઈ અને સમગ્ર હકીકત સામે આવી.
આ પરિવાર મૂળ રાજેસ્થાનનો છે. અગ્રવાલ પરિવાર 6 મહિના પહેલા જ રોયલ હોમ્સમાં રહેવા આવ્યો હતો. મારબલનો વેપાર કરતા દિપક અગ્રવાલ પત્ની નિકિતા તેમજ માતા રેખાબેન અને પિતા રામનિવાસ સાથે રહેતા હતા. 10 મહિના પહેલા જ નિકિતા અને દિપકના લગ્ન થયા હતા. લગ્ન બાદ સામાન્ય બાબતે સાસુ રેખાબેન અને નિકિતા વચ્ચે તકરાર ચાલતી હતી. સાસુ ઘરની બહાર નીકળવા નહોતા દેતા. નિકિતાના સસરા કોરોના પોઝિટિવ હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ છે અને પતિ કોઈ કામથી ઘરે નહોતો. તેવામાં જ્યારે બંને ઘરે એકલા હતા ત્યારે ફરીવાર તકરાર થતાં હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સાસુની હત્યાને લઈને સોલા પોલીસે નિકિતાની ધરપકડ કરી. નિકિતા 2 મહિનાની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આ હત્યા સામાન્ય ઘરકંકાસ છે કે અન્ય કોઈ કારણ છે, તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)