શોધખોળ કરો

News: અમદાવાદમાં પાણી જન્ય રોગચાળો વકર્યો, એક જ મહિનામાં ઝાડા-ઉલ્ટીથી લઇને ટાઇફૉઇડના નોંધાયા આટલા કેસો

શિયાળાની ઋતુની શરૂઆતમાં જ હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે

Ahmedabad News: શિયાળાની ઋતુની શરૂઆતમાં જ હવે ફરી એકવાર અમદાવાદ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો છે. પાણીજન્ય રોગચાળો વકરતાં શહેરમાં ઠેર ઠેર હૉસ્પીટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ચાલુ માસના પાણી જન્ય રોગચાળાના તાજા આંકડા સામે આવ્યા જે ચોંકવનારા છે, ગંદા પાણીને લઇને લોકો ઝાડા ઉલ્ટીથી લઇને મલેરિયા, કમળો અને ટાઇફૉઇડ જેવા રોગોનો શિકાર બની રહ્યા છે. 

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં છેલ્લા એક મહિનામાં પાણી જન્ય રોગચાળાથી દર્દીઓની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. ચાલુ માસે અમદાવાદ શહેરમાં ઝાડા ઉલ્ટીના 472 કેસ નોંધાયા છે, અને કમળાના 111 કેસ નોંધાયા છે. તાજા આંકડા પ્રમાણે, ચાલુ માસમાં શહેરમાં ટાઇફૉઇડના 245 જેટલા કેસ નોંધાયા છે, સાદા મેલેરિયાના 132 કેસ નોંધાયા છે, તો ઝેરી મેલેરિયાના 37 કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત ડેન્ગ્યૂના 184 કેસો સામે આવ્યા છે. ખાસ વાત છે કે, શહેરમાં મચ્છરજન્ય રોગચાળો મહદઅંશે કાબુમાં આવ્યો છે. ચાલુ માસમાં 46 સ્થળેથી લીધેલા પાણીના સેમ્પલ અનફિટ થયા છે. 

ઠંડી વધતાં જ વડોદરામાં ડેન્ગ્યૂના દર્દીઓમાં જોરદાર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા નોંધાયા કેસો

રાજ્યમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે, હવે જેમ જેમ ઠંડીનો માહોલ જામી રહ્યો છે, તેમ તેમ રોગચાળો વકરી રહ્યો છે. હાલમાં જ માહિતી છે કે વડોદરામાં ફરી એકવાર ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. વડોદારમાં ઠંડીની સિઝનમાં રોગચાળો વધ્યો છે, જેમાં ડેન્ગ્યૂના કેસો ઝડપથી વધી રહ્યાં છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં ડેન્ગ્યૂના 15 કેસો નોંધાતા હાહાકાર મચી ગયો છે. આ ઉપરાંત શહેરમાં શંકાસ્પદ ડેન્ગ્યૂના 138 કેસો નોંધાયા છે. સતત વધી રહેલા રોગચાળા અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા વડોદરા મહાનગર પાલિકાની 264 ટીમોએ સર્વે હાથ ધર્યો છે, શહેરમાં 349 સ્થળોએ સર્વે કરવામાં આવ્યો છે, બે દિવસમાં 11 હજાર સ્થળોએ ફૉગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

દિવાળીના તહેવારમાં રોગચાળો વકર્યો,  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયાના કેસમાં વધારો

દિવાળીના તહેવારમાં રાજકોટમાં રોગચાળો વકર્યો છે.  પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. જેના કારણે સિવિલ હૉસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે.  ગત સપ્તાહમાં શરદી ઉધરસના એક હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે ડેંગ્યૂના 11, ચીકનગુનિયાના ત્રણ કેસ નોંધાયા છે.  આમ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસમાં 10થી 15 ટકાનો વધારો થયો છે.  ખાનગી ક્લિનિક અને હૉસ્પિટલમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી હતી. જેમાં ડેંન્ગ્યૂ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો તેમજ ચિકનગુનિયા અને શરદી, ઉધરસ, તાવનાં કેસોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. 

AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો

અમદાવાદમાં નવેમ્બર મહિનાની શરુઆતમાં જ  પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મેલેરિયાના 23, ઝેરી મેલેરિયાના 6 તથા ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો હતો. પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી તપાસ બાદ 114 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો હતો. પાણીના 10 સેમ્પલ અનફીટ જાહે૨ કરવામાં આવ્યા હતા. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકો શરદી અને તાવના લીધે બીમાર પડી રહ્યા છે. 

વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ

રાજ્યમાં ફરી એક વાર રોગચાળો વકર્યો છે. રાજ્યનાં મુખ્ય શહેરોમાં ફરી એક વાર ઘેરેઘેર વાયરલ તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. રાજ્યના મહાનગરોમાં પણ પાણી અને મચ્છરજન્ય રોગાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.  ડેંન્ગ્યૂ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઇન્ફેકશનના કેસોમાં વધારો થયો છે. 

મહાનગરોમાં રોગચાળાના કેસમાં સતત વધારો

અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં તાવ, શરદી,  ઉધરસ અને ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા છે. અમદાવાદ શહેરમાં પણ અચાનક રોગચાળામાં વધારો થતા તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. સુરત શહેરમાં પણ દિવાળીના તહેવાર બાદ ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. વડોદરામાં પણ રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ છે.  રાજ્યમાં અચાનક રોગચાળો વકરતા તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે. 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: પોલીસ કેમ ગુમાવે છે પિત્તો ?
Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત, અનેક ઘાયલ
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
રાજકોટમાં 80 વર્ષના ઢગાએ બાળકી સાથે કર્યા શારીરિક અડપલા,લોકોએ વર્સાવ્યો ફિટકાર, પોલીસે કરી અટકાયત
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
જેફરી એપ્સટિન સંબંધિત 16 ફાઇલો રહસ્યમય રીતે ગાયબ! ટ્રમ્પનો ફોટો પણ 24 કલાકમાં ડિલીટ; અમેરિકામાં મચ્યો હોબાળો
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
આતંકના આકા પર કસાયો ગાળિયો, NIA કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીન વિરુદ્ધ જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
Petrol Diesel Expiry Date: શું પેટ્રોલ-ડીઝલની પણ હોય છે એક્સપાયરી? જાણો ક્યાં સમય સુધી કરી શકો છો સ્ટોર
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
TECH EXPLAINED: શું હોય RAM? જાણો કેવી રીતે તેની અછતથી વધશે સ્માર્ટફોનની કિંમત
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Shani Shingnapur Mandir: ભારતનું એક અનોખું ગામ, જ્યાં ક્યારેય નથી થતી ચોરી, હંમેશા તાળા વગર રહે છે ઘર અને બેંક
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષ, કન્યા અને મીન રાશિના લોકોએ રાખવી પડશે સાવધાની! જાણો તમામ રાશિઓનું આજનું રાશિફળ
Embed widget