શોધખોળ કરો
AMTSની બસમાં ખામી સર્જાતા નીકળ્યા ધુમાડા, પેસેન્જર બસના કાચ તોડી નીકળ્યા બહાર, જાણો વિગત
બસ નંબર 123માં ખામી સર્જાવાના કારણે એન્જીનમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા. જેના કારણે કાલુપુર બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો હતો.

અમદાવાદઃ બીઆરટીએસ અને મેટ્રોના આગમન પહેલા એક સમયે શહેરની ઓળખ સમાન અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસમાં આજે સાંજે કાલુપુર બ્રિજ પર ખામી સર્જાઈ હતી. બસ નંબર 123માં ખામી સર્જાવાના કારણે એન્જીનમાંથી ધૂમાડા નીકળવા લાગ્યા હતા. જેના કારણે કાલુપુર બ્રિજ પર ટ્રાફિકજામ સર્જાયો હતો. પેસેન્જરો બસના કાચ તોડીને બહાર નીકળ્યા હતા.
બીજી તરફ રક્ષાબંધનના પર્વ પર AMTS દ્વારા બહેનોને ભાડામાં રાહત આપવામાં આવી છે. 20 રૂપિયાના બદલે અડધી કિંમતમાં આ દિવસે બહેનો એએમટીસમાં મુસાફરી કરી શકશે. સામાન્ય દિવસોમાં સવારે 11 વાગ્યાથી મહિલાઓ 20 રૂપિયામાં એએમટીએસમાં મુસાફરી કરતી હોય છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
બીજી તરફ રક્ષાબંધનના પર્વ પર AMTS દ્વારા બહેનોને ભાડામાં રાહત આપવામાં આવી છે. 20 રૂપિયાના બદલે અડધી કિંમતમાં આ દિવસે બહેનો એએમટીસમાં મુસાફરી કરી શકશે. સામાન્ય દિવસોમાં સવારે 11 વાગ્યાથી મહિલાઓ 20 રૂપિયામાં એએમટીએસમાં મુસાફરી કરતી હોય છે.
પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
વધુ વાંચો
Advertisement





















