શોધખોળ કરો

Ahmedabad Plane Crash Live Updates: એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર મળ્યું, સામે આવશે દુર્ઘટનાનું કારણ

તેઓ ઘટનાસ્થળે જઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પણ મુલાકાત કરશે.

LIVE

Key Events
Ahmedabad Plane Crash Live Updates PM Modi to visit Air India plane crash site in Ahmedabad Ahmedabad Plane Crash Live Updates: એર ઈન્ડિયાના ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અને વોઇસ રેકોર્ડર મળ્યું, સામે આવશે દુર્ઘટનાનું કારણ
વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના પણ મોત થયા છે
Source : PTI

Background

Air India Plane Crash: અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ગુરુવારે (12 જૂન, 2025) બપોરે ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 241 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સના પણ મોત થયા છે. અકસ્માત બાદ વિમાન નજીકની મેડિકલ કોલેજના મેસ પર પડ્યું હતું જેમાં મેડિકલના ચાર વિદ્યાર્થી સહિત 7ના મોત થયા હતા. દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનનો મોટો હિસ્સો અતુલ્ય હોસ્ટેલની મેસ પર પડ્યો હતો.

અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શુક્રવારે સવારે અમદાવાદની મુલાકાત લેશે. તેઓ ઘટનાસ્થળે જઈને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવશે અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની પણ મુલાકાત કરશે. 

 વડાપ્રધાન મોદીએ એક્સ પર લખ્યું હતું કે, "અમદાવાદમાં બનેલી દુર્ઘટનાએ આપણને આઘાત અને દુઃખ પહોંચાડ્યું છે. આ એક હૃદયદ્રાવક ઘટના છે જે શબ્દોમાં કહી શકાય નહીં. આ દુઃખદ ક્ષણમાં, મારી સંવેદનાઓ તેનાથી પ્રભાવિત તમામ લોકો સાથે છે. હું મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છું જે અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે કામ કરી રહ્યા છે.

વિમાન દુર્ઘટનામાં એક સિવાય મોટાભાગના યાત્રી અને ક્રુ મેમ્બરના મોત થયા હતા. વિમાન દુર્ઘટનાના કારણે સિવિલ હોસ્પિટલની મેસમાં મોટી જાનહાનિ થઇ હતી. અતુલ્ય હોસ્ટેલની મેસમાં મેડિકલના ચાર વિદ્યાર્થી અને તબીબના પત્ની સહિત 7ના મોત થયા હતા. અતુલ્ય હોસ્ટેલમાં વિમાનનો કાટમાળ હટાવતા 25થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત હોસ્ટેલના પાંચ વિદ્યાર્થીઓને કેડી અને ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા હતા. ટેક ઓફની એક જ મીનિટમાં એન્જિન બ્લોક થતા બ્લાસ્ટ થયાની શક્યતા છે. બોઈંગ 787 ડ્રીમ લાઈનરના બ્લેક બોક્સની શોધખોળ શરૂ કરાઇ હતી. હજુ સુધી વિમાનના બ્લેક બોક્સ મળી આવ્યું નથી.

ડીએનએથી થશે ઓળખ

દુર્ઘટનામાં ભોગ બનેલા લોકોના પરિવારજનોના DNAના સેમ્પલ લેવાયા હતા. દુર્ઘટનામાં ભોગ બનેલા યાત્રી સહિતના લોકોના મૃતદેહને ઓળખવા મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ કરાઇ રહ્યા છે. DNA ટેસ્ટના રિપોર્ટ બાદ પરિવારજનોને મૃતદેહ સોંપાશે. વિમાન દુર્ઘટનામાં સુરત અને સંઘ પ્રદેશ દીવ દમણના 24 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દુર્ઘટનામાં વિસનગરના પાંચ વ્યકિતએ જીવ ગુમાવ્યો છે. તે સિવાય પાલનપુર અને ધાનેરાના થાવર દંપતિનું મોત થયું છે. દુર્ઘટનામાં કચ્છ, સૌરાષ્ટ્રના 28 મુસાફરોના પણ મોત થયા હતા. દીવના 15 મુસાફરમાંથી એક મુસાફરનો ચમત્કારિક બચાવ થયો હતો.

પ્લેન ટકરાતા 45થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મોડીરાત્રે સાડા દસ વાગ્યે કાટમાળમાંથી એકનો મૃતદેહ મળ્યો હતો. ક્રેશ થયેલા વિમાનના એન્જિનમાં છ મહિનામાં બે વાર ખામી સર્જાયાના અહેવાલ છે. મૃતકોના પરિવારને એક કરોડ રૂપિયાના વળતરની એર ઈન્ડિયાએ જાહેરાત કરી હતી.

14:58 PM (IST)  •  13 Jun 2025

વડાપ્રધાન મોદીએ વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળી સાંત્વના પાઠવી

14:09 PM (IST)  •  13 Jun 2025

Ahmedabad Plane Crash Live: ATS પ્લેન ક્રેશ કેસની તપાસ કરશે

અમદાવાદ એર ઈન્ડિયા પ્લેન ક્રેશ કેસની તપાસ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (ATS) કરશે. આ કેસમાં ક્રેશ સ્થળ પરથી એક DVR મળી આવ્યું છે, જેને ATS દ્ધારા કબજે કરવામાં આવ્યું છે. ગુજરાત ATS ટીમ આ કેસમાં સમાંતર તપાસ કરી રહી છે.  ફોરેન્સિક ટીમે ક્રેશ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેને તપાસ માટે મોકલવામાં આવશે.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget