શોધખોળ કરો

કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં અલગ-અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ  ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે અમદાવાદમાં 267  કરોડના અલગ-અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

અમદાવાદ: કેંદ્રીય ગૃહ મંત્રી અમિત શાહ  ગુજરાત પ્રવાસે છે. અમિત શાહે અમદાવાદમાં 267  કરોડના અલગ-અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ આવેલા  કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે  સાણંદ APMCનું  લોકાર્પણ કર્યું હતું.  સાણંદ સામુહિક આરોગ્ય કેંદ્રના ઓક્સિજન પ્લાન્ટનું પણ અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.  કુલ રૂ 4291 લાખના કાર્યોનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. 

અમદાવાદમાં  કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ  દ્વારા બોપલ ખાતે આવેલ ઓડા રીડિંગ સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી.  નવ નિર્મિત લાઈબ્રેરીનું  અમિત શાહ દ્વારા  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રીડિંગ સેન્ટર  6.71 કરોડના ખર્ચે બનાવામાં આવ્યું  છે. કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બોપલ સીટી સિવિક સેંટરનું લોકાર્પણ કર્યું હતું. અન્ય સિવિક સેન્ટર કરતા આધુનિક બનાવવામાં આવેલુ બોપલ સિવિક સેન્ટર આગામી  સપ્તાહથી શરૂ થશે. 4 કરોડ 5 લાખના ખર્ચ સાથે સિવિક સેન્ટર ઉભું કરાયું છે.

અમિત શાહે અમદાવાદમાં 267  કરોડના અલગ-અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. બોપલમાં 6 કરોડ 9 લાખના ખર્ચે બનાવેલી લાઈબ્રેરી, સાબરમતીમાં 21 કરોડ 54 લાખ અને જૂના વાડજમાં 12 કરોડના ખર્ચે બનાવેલા વોટર ડિસ્ટ્રીબ્યુશન સેંટરનું ઉદ્ધાટન કરાયું હતું.   આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા નિર્મિત આંબલી રોડ, ખોડીયાર અને ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર યાત્રી સુવિધાઓ અને હેરિટેજ સિટી થીમ સાથે નવનિર્મિત અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશનનું પણ તેઓએ ઇ-લોકાર્પણ કર્યું હતું.

અમિત શાહના ભાષણના મુખ્ય મુદ્દા

  • ગાંધીનગર લોકસભામાં ઔડા દ્વારા 267 કરોડના કામ થવા જઈ રહ્યા છે.
  • ઔડા,AMC અને પશ્ચિમ રેલવે આ ત્રણ સંસ્થાઓ મારા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યોના લોકાર્પણ મૂક્યું
  • ઔડા દ્વારા ઘુમા ટીપીમાં 98 કરોડના ખર્ચે 35000 થી વધુ નાગરિકોના ઘરમાં શુદ્ધ પાણી પહોંચશે
  • આવનારા 30 વર્ષ સુધી વસ્તી વધે તેમને પાણીની સમસ્યા ન પડે તેમ આયોજન
  • FSI અને TP પૂરતી મળે તે માટે આયોજન છે
  • 15 ઓવરહેડ ટાંકી અને 100 કિમિ પાણીની લાઇન નાખવામાં આવ્યું
  • બોપલ અને આંબલી ગ્રામ પંચાયત હતી ત્યારે હું ધારાસભ્ય બન્યો
  • એકદમ ધૂળિયા રસ્તા હતા પણ આજે આનંદ છે કે અમદાવાદ ક્યાં સમાપ્ત થયું અને આંબલી ક્યાં શરૂ થયું
  • દેશભરમાં પહેલા નેતાઓની કામગીરીનો અભ્યાસ કર્યો
  • એક જે થતું હોય એ થવા દે અને ઉદ્દઘાટનમાં આવે
  • બીજા એવા હોય જે પોતાના સમયમાં અથાગ પ્રયાસ કરે
  • નરેન્દ્ર મોદી એવા છે કે તેમના ગયા પછી પણ કામનો લાભ નાગરિકોને મળી શકે
  • આંબલી અને ઘુમામાં લોકો નવા રહેવા આવ્યા છે.
  • કોઈ મોટું આંદોલન નહિ છતાં 100 કરોડની યોજના વગર માંગે મળી ગઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ -2Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓ કેમ બદલે છે રંગ? પાર્ટ - 1Corruption in MGNREGA: ભાજપ નેતાનો ધડાકો! અમરેલીના મનરેગા કામોમાં 8 કરોડના ભ્રષ્ટાચારનો આરોપGujarat Cabinet Reshuffle : હોળી પછી રાજ્ય મંત્રીમંડળમાં વિસ્તરણ? પૂર્વ મંત્રી રમણભાઈ વોરાએ આપ્યા સંકેત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
યુપીમાં નમાઝનો સમય બદલાયો, હૈદરાબાદમાં રંગ લગાવવા પર પ્રતિબંધ, જાણો દેશભરમાં ધુળેટીની કેવી છ તૈયારીઓ...
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાતની સૌથી મોટી હોલિકા પાલજમાં પ્રગટાવવામાં આવી: 35 ફૂટ ઊંચી હોળીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટ્યું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ! કોંગ્રેસમાં ઘરના ઘાતકીની શોધખોળ શરૂ, મુકુલ વાસનિકે આપ્યા મોટા સંકેત
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
IPL 2025 પહેલાં BCCIનો મોટો ફટકો: 'ચીટિંગ' કરનાર આ ખેલાડી પર 2 વર્ષનો પ્રતિબંધ મૂકાયો
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
તોફાનનું એલર્ટ! 18 રાજ્યોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે! હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
રેવન્યુ તલાટી બનવું હવે અઘરું!: સરકારે ભરતીના નિયમોમાં કર્યા ફેરફાર, જાણો શું બદલાયું!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
વિધાનસભામાં કલાકારોનું સન્માન, પણ ઠાકોર કલાકારોનું શું?: વિક્રમ ઠાકોરનો સરકારને સવાલ!
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
તળાજામાં ધાર્મિક દબાણ હટાવવાની નોટિસથી બજરંગ દળ લાલઘૂમ: મંદિરો તોડવા સામે ખતરનાક પરિણામની ચીમકી
Embed widget