શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
અમદાવાદમાં AMTS બસો ચાલુ કરવાની જાહેરાત, જાણો ક્યારથી દોડશે બસો ? ક્યા નિયમો કરાયા જાહેર ?
18મેથી શરૂ થનાર એએમટીએસની બસ સર્વિસમાં એક બસમાં 27થી 30 લોકોને બેસાડવામાં આવશે.
![અમદાવાદમાં AMTS બસો ચાલુ કરવાની જાહેરાત, જાણો ક્યારથી દોડશે બસો ? ક્યા નિયમો કરાયા જાહેર ? AMTS bus service in Ahmedabad will start from Monday અમદાવાદમાં AMTS બસો ચાલુ કરવાની જાહેરાત, જાણો ક્યારથી દોડશે બસો ? ક્યા નિયમો કરાયા જાહેર ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/12171919/amts-2.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: લોકડાઉન 3 આગળ લંબાશે કે નહીં તેની વચ્ચે અમદાવાદવાસીઓ માટે સારા સમાચાર આવ્યા છે. શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એએમટીએસ બસ સર્વિસને લઈનો મોટો નિર્ણય કર્યો છે. ગઈકાલે પીએમ મોદી સાથે મળેલ મુખ્યમંત્રીઓની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉનન હટાવવાની માગ કરી હતી ત્યારે અમદાવાદ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદ શહેરમાં સોમવાર એટલે કે 18 મેથી AMTSની કેટલીક બસો શરૂ કરવામાં આવી શકે છે. આ માટે પ્રશાસને તમામ બસ કોન્ટ્રાક્ટરોને બસો તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. જોકે સોમવારથી શરૂ થનાર બસ સર્વિસમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે.
18મેથી શરૂ થનાર એએમટીએસની બસ સર્વિસમાં એક બસમાં 27થી 30 લોકોને બેસાડવામાં આવશે. ઉપરાંત રેડજોનમાં હાલમાં AMTSની એક પણ બસ દોડશે નહીં. એક અંદાજ મુજબ શહેરમાં 705 પૈકી 100 જેટલી બસો દોડાવવામાં આવી શકે છે. જોકે શહેરમાં બસ સર્વિસ શરૂ કરતાં પહેલા એક સર્વે કરવામાં આવશે અને એ સર્વે અનુસાર બસની કેટલી ટ્રીપ રાખવી તે અંગે અંતિમ નિર્ણય કરવામાં આવશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
ક્રાઇમ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)