શોધખોળ કરો

મીશન 2022 : આ તારીખે ગુજરાતમાં ફરી સભા ગજવશે અરવિંદ કેજરીવાલ

અમદાવાદ: મીશન 2022 માટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે. 6 જૂનના રોજ અરવિંદ કેજરીવાલ મહેસાણા જિલ્લામાં પ્રચાર કરશે. આપની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ હાજરી આપશે

અમદાવાદ: મીશન 2022 માટે દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે. 6 જૂનના રોજ અરવિંદ કેજરીવાલ મહેસાણા જિલ્લામાં પ્રચાર કરશે. આપની પરિવર્તન યાત્રાના સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ હાજરી આપશે તેવી માહિતી સામે આવી છે. મહેસાણા જિલ્લામાં 6 તારીખે યોજાશે પરિવર્તન યાત્રાનો સમાપન કાર્યક્રમ. સમાપન કાર્યક્રમમાં કેજરીવાલ રોડ શો અથવા જાહેરસભા કરે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. 6 જગ્યા પરથી શરૂ થયેલી આપની પરિવર્તન યાત્રા 6 તારીખે મહેસાણા જિલ્લામાં પહોંચશે. સોમનાથ, દ્વારકા, અબડાસા, સિદ્ધપુર, દાંડી અને ઉમરગામથી આ પરિવર્તન યાત્રા શરૂ થઈ હતી. 182 વિધાનસભા બેઠકો પર આપના નેતા પરિવર્તન યાત્રા કરી રહ્યા છે, હવે તેના સમાપન પ્રસંગે અરવિંદ કેજરીવાલ ખાસ હાજરી આપશે.

 

હાર્દિકના ભાજપમાં જોડાવા અંગેના નિર્ણયને જૂના સાથીઓ ગણાવ્યું આત્મઘાતી પગલુ
Hardik Patel Join BJP: આખરે હાર્દિક પટેલ ભાજપનો કેસરિયો ધારણ કરશે. 2 જૂનના રોજ હાર્દિક સીઆર પાટીલ અને સીએમ ભુપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે કમલમમાં પોતાના પ્રશંસકો સાથે કેસરિયો ધારણ કરશે. હવે હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે તેમના જૂના સાથીઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. પાસ અને કોંગ્રેસના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે.

હાર્દિકના ભાજપમાં જોડાવા અંગે એસપીજી ગૃપના વડા લાલજી પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પાટીદાર સમાજના વડા આવા હોય જ ન શકે. પહેલા હાર્દિકે રાજકારણમાં જોડાવાની ના પાડી હતી અને પછી કોંગ્રેસમાં જોડાયા અને હવે જે પાર્ટી સામે આંદોલન કર્યું હતું તે ભાજપમાં જોડા છે. હજી પાટીદાર સમાજના પ્રશ્નો જેમના તેમ જ છે. 

તો બીજી તરફ એક સમયે હાર્દિક પટેલના પાટીદાર આંદોનમાં સહભાગી રહેલા રેશ્મા પટેલે કહ્યું કે, હાર્દિક પટેલનું આ પગલું આત્મઘાતી રહે છે. જો તેને એવું લાગતું હોય કે તેઓ બીજેપીમાં જઈને કઈંક મોટું કરી શકશે તો તેનાથી એવું કઈ નહીં થાય. કોંગ્રેસમાં જે તેનું વજુદ અને વજન હતું કે સંપૂર્ણ પણે નષ્ટ થઈ જવાનું છે. હાર્દિક પટેલ બોલીને ફરી જવાનો આરોપ પણ રેશ્મા પટેલે લગાવ્યો હતો.

આ ઉપરાંત પાસના કન્વીનર અલ્પેશ કથિરીયાએ કહ્યું કે, સૌથી પહેલા એક પાટીદાર આગેવાને તરીકે હાર્દિકને શુભકામના પાઠવું છુ અને બીજુ કે તેઓ ભાજપમાં જતા પહેલા પાટીદાર આંદોલન સમયે થયેલા યુવાનો પરના કેસ પાછા ખેંચવા અને જે યુવાનો શહીદ થયા છે તેમના પરિવારને સરકારી નોકરી આપવામાં અંગે ભાજપનું શું સ્ટેન્ડ છે તે સમાજને હાર્દિક પટેલે જણાવે તે યોગ્ય રહેશે. અલ્પેશે કહ્યું કે, ભાજપ પાર્ટીમાં જોડવા સામ,દામ દંડ અને ભેદનો ઉપયોગ કરે છે તો હાર્દિક પણ આનો ભાગ હોય શકે છે.

મનોજ પનારાએ કહ્યું કે, વિનાસ કાળે વિપ્રિત બુદ્ધી આ વાત કોઈએ સાબિત કરી હોય તો તે ગુજરાતમાં હાર્દિકે કરી છે. આ તેનું સંપૂર્ણ આત્મઘાતિ પગલું છે. તો બીજી તરફ પાસ નેતા દિનેશ બાંભણીયા પણ હાર્દિકના આ પગલાને આત્મઘાતી ગણાવ્યું છે. આ ઉપરાંત તેમણે શુભેચ્છા પણ પાઠવી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની 'એન્ટ્રી', 'ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું છે'
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
Ahmedabad News: અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ, મિનિમમ ભાડુ 20થી 30 કરવા માંગ
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ
Ahmedabad News: અમદાવાદમાં 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ, 18 વિદ્યાર્થિની હાલ સારવાર હેઠળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'આપ'નો કેટલો વ્યાપ?
Hun To Bolish : હું તો બોલીશ : ઉનાળો કે ચોમાસું!
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP:  ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી, મહેસાણા કોર્ટે કાઢ્યું બિનજામીનપાત્ર વોરંટ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
ગુજરાતમાં માવઠાનો કહેર: બપોર બાદ 37 તાલુકાઓમાં વરસાદ, અરવલ્લીના સાઠંબામાં સૌથી વધુ 1.18 ઇંચ
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
US-Iran War: ટ્રમ્પની સભ્યતા અંતની ધમકીનો ઈરાને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું - ‘કાલે, ઇન્શાલ્લાહ...’
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિનીબા વાળા AAP માં જોડાયા, ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ
"ભાજપ પર વિશ્વાસ કરવો એ કોઈ ઝેરી સાપ પર ભરોસો કરવા જેવું છે": બંગાળ ચૂંટણી પહેલા મમતા બેનર્જીના આકરા પ્રહાર
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આજે રાત્રે મહાવિનાશ: ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ દિલ્હી, યુપી અને બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, પવનની ગતિ ડરાવશે!
Embed widget