શોધખોળ કરો

ખાનગી શાળાઓની ફી માફ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે શું આપ્યો મોટો ચુકાદો? જાણો વિગત

ગુજરાત સહિત આઠ રાજ્યોના વાલીઓએ કોરોના અને લોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલી હોય રાહત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

અમદાવાદઃ ખાનગી સ્કૂલોમાં ફી માફી કે રાહત માંગતી વાલીઓની અરજી મુદ્દે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ગુજરાત સહિત આઠ રાજ્યોના વાલીઓએ કોરોના અને લોકડાઉનને કારણે આર્થિક મુશ્કેલી હોય રાહત માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીઓ ફગાવી દીધી છે. જોકે, કોર્ટે વાલીઓને હાઈકોર્ટ સમક્ષ પિટિશન કરવાનું સૂચન કર્યું છે. આ અરજીઓ રાજસ્થાન, ઓડિશા, પંજાબ, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને મહારાષ્ટ્રના વાલીઓ દ્વારા કરવામાં આવી હતી. હવે ગુજરાતના વાલીઓ આગામી અઠવાડિયે હાઇકોર્ટમાં અરજી કરે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં ઓનલાઇન શિક્ષણની એસ.ઓ.પી.(સ્ટાન્ડર્ડ ઓપેશન સિસ્ટમ) નક્કી ન થયા બાદ ફી નક્કી કરાય તેવી માગણી કરતી અરજી હાઈકોર્ટમાં કરે તેવી શક્યતા છે. ગઈ કાલે ચીફ જસ્ટિસ એસ.એ. બોબડે, જસ્ટિસ આર. સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એ. એસ. બોપન્નાની ખંડપીઠે વાલીઓને કહ્યું હતું કે દરેક રાજ્યના વાલીઓની પરિસ્થિતિ ત્યાંના સંજોગો અને માંગણી ભિન્ન છે. જેથી તેમણે સંબંધિત હાઇકોર્ટોમાં રજૂઆત કરવી જોઇએ. વાલીઓ વતી હાજર રહેલા વકીલોએ જણાવ્યું હતું કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે શાળાઓને ફીમાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તો તેના જવાબમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે તો તમારા હાઇકોર્ટના આ આદેશની વિરૂદ્ધ અરજી કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે હાલના તબક્કે આ બાબતમાં હસ્તક્ષેપ કરવા માગતી નથી. અરજકર્તાઓએ અરજી પરત લઇ હાઇકોર્ટનો સંપર્ક સાધવો જોઇએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં ચાર જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
રાહુલ ગાંધીના હિન્દુ અંગેના નિવેદનને લઈ શંકરાચાર્ય આવ્યા સમર્થનમાં, કહી આ વાત
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
લોનના નામે થઈ રહી છે છેતરપિંડી, ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં ખાતું ખાલી થઈ જશે
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
BRICSમાં સામેલ થવાની દોડઃ અનૌપચારિક સંગઠનમાં સામેલ થઈને પોતાની તાકાત વધી રહ્યા છે દેશો
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Embed widget