શોધખોળ કરો

પીરાણામાં દીવાલ બાંધવા મુદ્દે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો વિગત

અમદાવાદના પીરાણા ખાતે આવેલા સતપંથ પ્રેરણાતિર્થ ટ્રસ્ટની જગ્યામાં દીવાલ ચણાવવાનું શરૂ થતા જ વિરોધ શરૂ થયો છે.

અમદાવાદઃ અમદાવાદના પીરાણા ખાતે આવેલા સતપંથ પ્રેરણાતિર્થ ટ્રસ્ટની જગ્યામાં દીવાલ ચણાવવાનું શરૂ થતા જ વિરોધ શરૂ થયો છે. પીરાણા ગામના સૈયદ લોકોએ દીવાલ બનાવવાની કામગીરીનો વિરોધ કર્યો અને ટ્રસ્ટની જગ્યાની પાછળની બાજુ આવેલી ઈમામ શાહ દરગાહમાં જવાનો રસ્તો રોકાશે તેને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. લોકોના વિરોધ છતા દીવાલની કામગીરી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલુ રહેતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. સ્થાનિકોએ આ મુદ્દે પગપાળા કલેકટર કચેરી જવા રવાના થયા છે અને ત્યાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી હતી.

આ તરફ સતપંથ ટ્રસ્ટનો દાવો છે કે ટ્રસ્ટ પોતાની જગ્યા પર કાયદેસરની કલેકટરની મંજૂરી સાથે દીવાલ બનાવી રહ્યું છે. અગાઉ પણ સાંજની આરતીના સમયે પથ્થરમારા જેવી ઘટનાઓ બની હતી. જેને લઈને દીવાલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તારની વાડને લઈને વિવાદ થઈ રહ્યો છે તેનાથી પાંચ ફૂટ દૂર ટ્રસ્ટ પોતાની જગ્યામાં દીવાલ બનાવી રહ્યું છે. એક તરફ ગ્રામજનોનો આરોપ છે કે ઈમામ શાહ દરગાહ પાસે આવેલા કબ્રસ્તાનમાં અમુક કબરો ખોદવામાં આવી છે. જોકે ટ્રસ્ટનું કહેવું છે કે કોઈની પણ ધાર્મિક લાગણી દુભાય તેવી કોઈ કામગીરી ટ્રસ્ટ તરફથી કરાઇ નથી. અને ટ્રસ્ટ પોતાની જગ્યામાં કાયદેસર રીતે મંજૂરી લઈને કામગીરી કરી રહ્યું છે. ત્યારે તેની સામે ખોટી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 

અમદાવાદમાં પ્રેમિકા સાથે બેસેલા પિતાને દીકરો જોઇ ગયો

અમદાવાદમાં પ્રેમ પ્રકરણની વિચિત્ર ઘટના પોલીસ ચોંપડે નોંધાઇ છે. મળતી જાણકારી અનુસાર અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પ્રેમિકા સાથે એકાંત માણી રહેલા પિતાને દીકરો જોઇ જતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર એક વ્યક્તિ પોતાની પ્રેમિકા સાથે રિવરફ્રન્ટ પર બેસી પ્રેમાલાપમાં વ્યસ્ત હતો ત્યારે તેનો દીકરો જોઇ જતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. દીકરો જોઇ જતા તેના પિતાએ તેને અને તેના સાળાને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે બાદમાં દીકરાએ તેના પિતા વિરુદ્ધ  રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Chhota Udepur । છોટા ઉદેપુરમાં સવારથી વરસ્યો છુટોછવાયો વરસાદAhmedabad News । અમદાવાદના સાણંદ APMCમાં ભારે પવન સાથે વરસાદથી પલળ્યો પાકSurat News । સુરતના ઓલપાડ તાલુકામાં પવન સાથે વરસાદથી પાકને નુકસાનSouth Gujarat । દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પાકને વ્યાપક નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પોઇચા નજીક  નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત  સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
પોઇચા નજીક નર્મદા નદીમાં ત્રણ બાળકો સહિત સાત લોકો ડૂબ્યાં. યુદ્ધના ધોરણ રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Unseasonal Rain : ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર, માવઠાને કારણે થયેલા નુકસાનનો સર્વે કરવા કૃષિમંત્રીનો આદેશ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Gujarat Agriculture News: કમોસમી વરસાદથી ઉનાળુ પાકને નુકસાન, વળતર ચૂકવવા માંગ
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
Char Dham Yatra: શું ચારધામ યાત્રા દરમિયાન મોત થવા પર મળે છે વળતર, જાણો શું હોય છે પ્રોસેસ?
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
LSG માલિકના ઘરે ડિનર પાર્ટીમાં પહોંચ્યો કેએલ રાહુલ, સંજીવ ગોયનકાએ લગાવ્યો ગળે
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Supreme Court News: PM મોદીના કથિત 'હેટ સ્પીચ' વિરુદ્ધની અરજી SCએ ફગાવી, EC સમક્ષ જવાના આપ્યા નિર્દેશ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Farmers: જૂનાગઢમાં કેસર કેરીના પાકને મોટાપાયે નુકસાન, તાત્કાલિક સહાય ચૂકવવા ખેડૂતોની માંગ
Crime News: અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદના બહાને આચર્યુ દુષ્કર્મ, રાજસ્થાનથી આવી હતી યુવતિ
અમદાવાદમાં હોમગાર્ડ જવાને મદદના બહાને આચર્યુ દુષ્કર્મ, રાજસ્થાનથી આવી હતી યુવતિ
Embed widget