![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે શું કર્યું આંકલન ?
Cyclone Biparjoy Update: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે.
![Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે શું કર્યું આંકલન ? Cyclone Biparjoy: What did Ambalal Patel estimate about the storm? Cyclone Biparjoy: વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે શું કર્યું આંકલન ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/10/c665fb4aff2229343d54aa506f76afac168637474829176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Cyclone Biparjoy: અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 620 કિમી જ દૂર છે અને હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. વાવાઝોડું 6 કિ.મી પ્રતિ કલાકની ઝડપે દરિયામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ તરફ આગળ વધતા ગુજરાતના માથે ચિંતા વધી છે.
અંબાલાલ પટેલે શું કર્યું આંકલન
વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું આંકલન કર્યું છે કે, આગામી 24 કલાકમાં વાવાઝોડું ભયાનક બનશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે પવન ફુંકાશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે.દ્વારકા, પોરબંદર, જામનગરમાં ભારે વરસાદની શક્યતા છે. ભાવનગર, જૂનાગઢમાં ભારે પવન ફુંકાશે અને વાવાઝોડાથી અરબ સાગર ખળભળી ઉઠશે.
ગુજરાતના વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાના પૂર્વે તંત્રએ તૈયારીઓ હાથ ધરી છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તલાટીઓને સ્ટેન્ડબાય રહેવાનો આદેશ અપાયો છે. જિલ્લા અને તમામ તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. કંટ્રોલ રૂમનો ટોલ ફ્રી નંબર '1077' જાહેર કરવામાં આવ્યો છે. 8 તાલુકામાં લાયઝન ઓફિસરની નિમણૂક કરાઈ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોયને કારણે હવામાન વિભાગે ગુજરાતના તમામ દરિયાકાંઠાના જિલ્લાઓને એલર્ટ કરી દીધા છે. તમામ તાલુકા સ્તરના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગુજરાતના બંદરો પર ખતરાની નિશાની લગાવવામાં આવી છે. રાષ્ટ્રીય અને રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટની 11 ટીમોને એલર્ટ પર મૂકવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા ભાવનગર, અમરેલી, જામનગર, માંગરોળ, પોરબંદર, ઉના, વલસાડ, નવસારી અને દ્વારકામાં દરિયામાં ઉછળતા મોજા જોવા મળી રહ્યા છે. વલસાડના તિથલ બીચ, સુરતના ડુમસ, નવસારીમાં પર પ્રવાસી માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું માંડવી બંદર તરફ ફંટાય એવી આગાહી વચ્ચે તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. માંડવી બીચને 9થી 12 તારીખ સુધી બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના સાતેય બંદર પર બહાર લોકોની અવર જવર બંધ કરાવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજથી જ ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં પવનની ગતિ વધુ જોવા મળશે. આગામી 13થી 14 જૂન સુધી ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે. ભાવનગર, અમરેલી, પોરબંદર, દ્રારકા, વલસાડ,સુરત, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં આગામી પાંચ દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)