શોધખોળ કરો

અમદાવાદમાં કર્ફ્યૂ પહેલા ખરીદી માટે મોલમાં જામી લોકોની ભીડ, કયો જાણીતો મોલ કોર્પોરેશને કરી દીધો સીલ?

શહેરના જોધપુર વિસ્તારમાં આવેલ ડી-માર્ટને મનપા દ્વારા સીલ કરવામાં આવ્યું છે. કર્ફ્યુને લઈને લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા હતા. એક સાથે લાંબી કતારો જોવા મળી હતી. કોરોના સંક્રણના ભયને જોતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદઃ આજે રાત્રે નવ વાગ્યાથી સોમવારે સવારે છ વાગ્યા સુધી અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. કોરોનાનું સંક્રમણ વધતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. શનિવાર અને રવિવાર આખો દિવસ અમદાવાદમાં કર્ફ્યૂ રહેશે. આ દરમિયાન દૂધ, દવા, મેડિકલ ઈમરજંસી સહિતની સેવાઓ ચાલુ રહેશે. અન્ય તમામ ગતિવિધિઓ બંઘ રહેશે. જોકે, જનતા કર્ફ્યૂની જાહેરાતને પગલે લોકો જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા દોડાદોડી કરી રહ્યા છે. મોલ અને દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જનતા કર્ફ્યૂ ફક્ત બે દિવસનો જ હોવા છતા લોકો વસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યા છે. જોધપુર વિસ્તારમાં આવેલ ડી-માર્ટને મનપા દ્વારા સીલ કરવામાં આવ્યું છે. કર્ફ્યુને લઈને લોકો ખરીદી કરવા માટે ઉમટ્યા હતા. એક સાથે લાંબી કતારો જોવા મળી હતી. કોરોના સંક્રણના ભયને જોતા મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, સોમવારે સવારે 6 કલાકે કર્ફ્યૂ પૂરુ થઈ જશે પરંતુ રાત્રીના સમયથી ફરી કર્ફ્યૂ લાગશે એટલે કે સોમવારથી રાત્રી કરફ્યૂ અમદાવાદમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી યથાવત રહેશે. જે રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી અમલી રહેશે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે લાગનારા 60 કલાકનો કર્ફ્યૂ માત્ર અમદાવાદ શહેર પૂરતો જ છે. રાજ્યના અન્ય તમામ શહેરોમાં રાબેતા મુજબ કાર્ય ચાલુ રહેશે. સતત ફેલાતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમણને લઈ વકરી રહેલી પરિસ્થિતિન લઈ આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે બેઠક યોજાયા બાદ તેમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે, અસારવા સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કેન્સર અને કિડની હૉસ્પિટલમાં 400 વધુ બેડની સુવિધા કરાશે. સોલા સિવિલમાં 400 વધારાની પથારીની સુવિધા કરાશે. જ્યારે ગાંધીનગર નજીકના વિસ્તારોના દર્દીઓ માટે ગાંધીનગર સિવિલમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આમ, સરકારી હૉસ્પિટલોમાં 900 પથારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં વધુ 400 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. જો કે, તેમણે 2237 સરકારી હૉસ્પિટલો અને 400 બેડ ખાનગી હૉસ્પિટલોમાં હાલ ખાલી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો:
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો: "હું નિવૃત્તિ લઉં તો સારું..." - ચોથી ટેસ્ટ દરમિયાન નિવેદનથી સનસનાટી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
કોંગ્રેસ ગુજરાતમાં 'દૂધ સત્યાગ્રહ' આંદોલન કરશે: 28 જુલાઈથી આણંદથી થશે પ્રારંભ, રાહુલ ગાંધી પણ જોડાશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદ ભુક્કા બોલાવશે, આ તારીખથી ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
2025 એશિયા કપનું શેડ્યૂલ જાહેર: સપ્ટેમ્બર 9 થી ટુર્નામેન્ટનો પ્રારંભ, ફાઇનલ 28 સપ્ટેમ્બરે, પહેલીવાર 8 ટીમો ભાગ લેશે
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો:
જસપ્રીત બુમરાહનો વાયરલ વીડિયો: "હું નિવૃત્તિ લઉં તો સારું..." - ચોથી ટેસ્ટ દરમિયાન નિવેદનથી સનસનાટી
Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
Rain Forecast: રાજ્યમાં આજથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ જિલ્લામાં 29 જુલાઇ સુધી ભારે વરસાદનું એલર્ટ
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: અજિત પવારનું મોટું નિવેદન, શું મરાઠી શીખવી ફરજિયાત બનશે? જાણો વિગતવાર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા PM મોદી, ટ્રમ્પ 8મા ક્રમે; જાણો ટોપ 5 પોપ્યુલર લીડર
Embed widget