શોધખોળ કરો

આજથી અમદાવાદમાં ખુલશે બજારો, જાણો શું ખુલ્લું રહેશે અને શું બંધ રહશે

મહિલા-પુરુષો માટે ખરિદિનો સમય છે અલગ-અલગ.

મદાવાદઃ  અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં 15મી મે સવારે છ વાગ્યા સુધી દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો ખોલવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે હવે આ સમય આજે સવારે 6 વાગે પૂર્ણ થયો છે. ત્યારે અમદાવાદમાં આજથી આ તમામ દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે આ માટે અમદાવાદીઓએ અમુક નિયમોનું ચોક્કસ પાલન કરવાનું રહેશે. આજથી શહેરમાં શાકભાજી, ફ્રૂટ અને કરિયાણાની દુકાનો ખોલી શકાશે. આ માટે અત્યાર સુધીમાં કુલ 17 હજાર વેપારીઓનું સ્ક્રિનિંગ કરાયું છે. અને વેપારીઓને હેલ્થકાર્ડ પણ અપાયા છે. શહેરના રિવરફ્રન્ટ ગુજરીબજાર, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, AEC ગ્રાઉન્ડ, જેતલપુર અને વાસણા ખાતે એપીએમસી શરૂ કરાશે. ખેડૂતો મોડી રાતના 3 થી સવારે 7 વાગ્યા સુધી શાકભાજી વેચી શકશે જયારે સવારે 7 થી 10 સુધી લારીવાળાઓને શાકભાજી વેચી શકાશે.  જો કે આ શાકભાજી છૂટક ગ્રાહકોને વેચી શકાશે નહીં અદાવાદના કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ફરી શાકભાજીની લારીઓ અને કરિયાણાની દુકાનો ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાએ 15 મેથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં શાકભાજી અને કરિયાણાની દુકાનો ખોલવાની મંજૂરી આપી છે. 15 મેથી સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. તો શાકભાજી વેચતા ફેરિયાઓ પણ હેલ્થકાર્ડ મેળવી શાકભાજીનું વેચારણ કરી શકશે. અમદાવાદના 10 વોર્ડમાં કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. દાણીલીમડા, જમાલપુર, કાલુપુર, શાહપુર, આસ્ટોડિયા, બહેરામપુરા, મણિનગર, સરસપુર, અસારવાનો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે.
કઈ શરતોનું પાલન કરવું પડશે તમામ દુકાનદારોએ કોરોપ્રેસન દ્વારા સ્ક્રીનીંગ પૂર્ણ કરી હેલ્થ સ્ક્રીનીંગ કાર્ડ ઇસ્યૂ કરવાના રહેશે. ઉપરાંત કરિયાણું, શાકભાજી, ફળફળાદિ તથા અનાજ દળવાની ઘંટી તેમને ફાળવણી કરેલા વોર્ડમાં નિશ્ચિત કરેલાં વિસ્તારમાં ખુલ્લા રાખી શકાશે. આ તમામ ધંધાર્થીઓએ માત્ર છૂટછૂટ અપાયેલી ચીજવસ્તુઓનું જ વેચાણ કરી શકશે. નિશ્ચિત સમયગાળા બાદ વેચાણ કરી શકાશે નહીં. વેપાર કરતાં સમયે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ ફરજિયાત રાખવું પડશે. આ કાર્ડ દર 7 દિવસે રિન્યુ કરાવવાનું રહેશે. વેચાણ કરતાં સમયે સામાજિક અંતર રાખવું પડશે. કન્ટેન્ટમેન્ટ એરિયામાં કોઈપણ સ્ટાફને કોઈપણ જાતની કામગિરી સોંપી શકાશે નહીં. પેમેન્ટને લઈને પણ ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, સંક્રમણથી બચવા માટે ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. જોકે આમ કરવું ફરજિયાત નથી. એટલે કે રોકડથી વહેવાર કરી શકાશે પણ તેના માટે દુકાનદારે અલગથી ટ્રેન રાખવાની રહેશે. તેવી જરીતે રોકડ પરત આપવાની ટ્રે પણ અલગ રાખવાની રહેશે. રોકડની આપ લે દરમિયાન સીધો સંપર્ક ટાળવાનો રહેશે. ને જો રોકડથી જ વ્યવહાર કરવાનો થાય તો દુકાનદાર અને ગ્રાહકની વચ્ચે પ્લાસ્ટિક અથવા એ પ્રકારનું યોગ્ય આવરણ રાખવાનું રહેશે. દુકાનમાં કામ કરતાંતમામ (માલિક તેમજ કામદાર) તથા ફેરિયાઓ હેન્ડ ગ્લવ્ઝ, સેનેટાઈઝર, કેપ, માસ્ક વગેરે સતત પહેરી રાખવાના રહેશે. ગ્રાહકોને તેમજ પોતાના વપરાશ માટે હેન્ડ સેનેટાઈઝર રાખવાનું રહેશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad News: ધોળકામાં થયેલી શિક્ષિકાની હત્યાનો ઉકેલાયો ભેદ, હત્યારા પતિની કરાઈ ધરપકડ 
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
Ahmedabad: અમદાવાદમાં મહિલા PSIની દાદાગીરી, પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાનો આરોપ, SPએ કર્યા સસ્પેન્ડ
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદ સોલાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં હાહાકાર, 500 લોકો બીમાર, દુષિત પાણીથી ફાટ્યો રોગચાળો
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ
અમદાવાદમાં રાત્રે વરસ્યો તોફાની વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસતા, અનેક ફ્લાઇટ કરાઇ ડાયવર્ટ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
Morbi: મોરબીના હળવદ પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પર પાછળ કાર ઘૂસી જતા પાંચના મોત
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
IND vs AFG Test Live Score: અફઘાનિસ્તાન સામે ભારતની બેટિંગ શરૂ, આ ખેલાડીએ કર્યું ડેબ્યૂ
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Embed widget