શોધખોળ કરો

Gujarat Election 2022: અમદાવાદના સિનિયર સીટીઝન મતદારોમાં ચૂંટણીને લઈ જબરદસ્ત ઉત્સાહ, 101 વર્ષના દાદીએ કહી આ વાત

અમદાવાદના 101 વર્ષના વિમળાબેન રાઠોડ સ્વીકાર કરી રહ્યા છે કે ચૂંટણીના દિવસે સવારે વહેલા ઊઠીને તેઓ પોતાનો મત આપવા જશે

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ પક્ષો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બર બે તબકકામાં મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

અમદાવાદના સિનિયર સિટીઝન્સમાં ચૂંટણીને લઈ શાનદાર ઉત્સાહ

રાજ્યમાં આગામી મહિને વિધાનસભાની ચૂંટણીઓ યોજવા જઈ રહી છે આ તરફ ચૂંટણી પંચે ત્રણથી સાડા ત્રણ લાખ નવા મતદારો ઉમેરાયા હોવાની માહિતી આપી તો બીજી તરફ સિનિયર સિટીઝનનો આંકડો નવ લાખને પાર કર્યો છે. અમદાવાદના આવા જ સિનિયર સિટીઝનો જુસ્સો આ ચૂંટણીમાં પણ યથાવત છે. અમરાઈવાડીમાં રહેતા પંડ્યા દંપત્તિ આ વખતે ચૂંટણી પંચે આપેલી સુવિધા નો ઉપયોગ કરીને ઘરેથી મતદાન કરશે તો આ પહેલા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારમાં પણ તેઓ મતદાન કરી ચૂક્યા છે. પંડ્યા દંપત્તિનું માનવું છે કે મતદાન એ આપણો પ્રથમ અધિકાર છે અને જો મત ના આપીએ તો પછી ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી. આ ઉપરાંત અનેક નેતાઓ એવા પણ છે કે જે મત માગ્યા બાદ પાંચ વર્ષ દેખાતા નથી અને તે પછીની ચૂંટણીમાં મુલાકાત લે છે આવા નેતાઓથી ચેતતા રહેવું

101 વર્ષના વિમળાબેન રાઠોડ  વહેલા ઉઠીને મતદાન કરશે

અમદાવાદના 101 વર્ષના વિમળાબેન રાઠોડ સ્વીકાર કરી રહ્યા છે કે ચૂંટણીના દિવસે સવારે વહેલા ઊઠીને તેઓ પોતાનો મત આપવા જશે તો સાથે તે પણ સ્વીકાર કરી રહ્યા છે કે મતદાન અંગે જાગૃતિ હોવી જરૂરી છે. કોઈપણ નવા મતદારને આગ્રહ પૂર્વક મત આપવા ન મોકલવા જોઈએ. તો બીજી તરફ તેઓ કહી રહ્યા છે કે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવનાર સુવિધાઓનો ઉપયોગ નહીં કરે પરંતુ બૂથ ઉપર જઈને મતદાન કરશે.

સૌરાષ્ટ્ર ભાજપના કયા ધારાસભ્યએ ટિકિટ ન મળતાં આપ્યું રાજીનામું ?

 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે 166 ઉમેદવારો જાહેર કર્યા છે. જ્યારે 16 ઉમેદવારોની પસંદગીનું કોકડું ગુંચવાયું છે. ઉમેદવારોની જાહેરાત બાદ ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, અનેક જગ્યાએ ટિકિટવાંછુ અને તેમના સમર્થકો નારાજ છે. આ દરમિયાન આજે કેશોદ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે ભાજપના તમામ પદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં થતી અવગણનાને લઈ તેમણે રાજીનામું આપ્યું છે. કેશોદ બેઠક માટે તેઓ પ્રબળ દાવેદાર હતા તેમ છતાં પસંદગી ન થતાં આ પગલું ભર્યું છે. હવે તેઓ અપક્ષ ચૂંટણી લડશે.

તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું કે, હું 1983થી ભારતીય જનતા પાર્ટી સાથે વફાદારીપૂર્વક કામ કરું છું. પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે તે નિષ્ઠાપૂર્વક નિભાવી છે. મેં પાર્ટીને મારી મા ગણીને કામ કર્યુ છે, આમાં ક્યાંય પણ મારી ત્રુટી રહી હોય તો હું પાર્ટીની માફી માંગું છું. હાલના સંજોગમોમાં ખૂબ જ દુખ સાથે હું ભારતીય જનતા પાર્ટીના સામાન્ય સભ્યપદેથી તેમજ પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્યપદેથી મને મુક્ત કરવા મારી વિનંતી કરું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvalli News | અરવલ્લીમાં લોકો સ્મશાન યાત્રા સાથે નદી વચ્ચેથી પસાર થવા મજબૂરVav Assembly By Poll 2024 | વાવ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે મેદાનમાં? જુઓ મોટા સમાચારAhmedabad BRTS Bus Fire | ઇલેક્ટ્રિક બસમાં લાગેલી આગ પર મેળવાયો કાબૂ, બસ બળીને ખાખSurat Crime | સુરતમાં પત્નીની ક્રૂર હત્યા, છરીના 11 ઘા મારીને પતાવી દીધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
અમદાવાદમાં પોલીસકર્મીઓ હેલ્મેટ વગર નીકળ્યા તો મર્યા સમજો! કમિશ્નરે આપ્યો મહત્ત્વપૂર્ણ આદેશ
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
નારાયણ સાઈંને હાઈકોર્ટે આસારામને મળવા માટે આપી મંજુરી, આ શરતો સાથે મળી શકશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટી રાહત, કોર્ટે આપ્યા જામીન, 18 મહિના પછી જેલમાંથી બહાર આવશે
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડશે, મેપમાં જુઓ હવામાન વિભાગની આગાહી
IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડીયા,ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની લીડ લીધી
IND vs NZ: બેંગલુરુ ટેસ્ટમાં મુશ્કેલીમાં ટીમ ઈન્ડીયા,ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં 356 રનની લીડ લીધી
'બ્લાઉઝનું બટન ખોલ્યું, બતાવી બ્રા...', ગૂગલની કર્મચારી સાથે AIએ આ શું કર્યું?
'બ્લાઉઝનું બટન ખોલ્યું, બતાવી બ્રા...', ગૂગલની કર્મચારી સાથે AIએ આ શું કર્યું?
દિવાળીને ધ્યાનમાં રાખતા એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાશે, 3.75 લાખ મુસાફરોને લાભ થશે
દિવાળીને ધ્યાનમાં રાખતા એસ.ટી દ્વારા ૮,૩૪૦ બસોની એક્સ્ટ્રા ટ્રીપો દોડાવાશે, 3.75 લાખ મુસાફરોને લાભ થશે
JEE Main 2025:  બદલાઇ ગઇ JEE Mainની પેટર્ન, સેક્શન બીમાં નહી મળે વિકલ્પ
JEE Main 2025: બદલાઇ ગઇ JEE Mainની પેટર્ન, સેક્શન બીમાં નહી મળે વિકલ્પ
Embed widget