શોધખોળ કરો

ગુજરાત સરકારે પાટીદારો સામેના કયા 10 કેસ ખેંચ્યા પરત? જાણો સંપૂર્ણ વિગત

પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે.

અમદાવાદઃ પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદારો પર થયેલા કેસોને લઇ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે. જેમા સરકારે તોફાનોના 10 કેસ પરત ખેંચ્યા છે. આ સાથે જ હાર્દિક પટેલ સામેના કેસને પરત ખેંચવાની કામગીરી પણ ચાલી રહી છે. હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવા મુદ્દે કાર્યવાહી શરૂ કરાઈ છે. સરકારે પરત ખેંચેલા 10 કેસમાંથી અમદાવાદ સેશન્સ કોર્ટમાંથી 7 કેસ પરત જ્યારે મેટ્રો પોલિટન કોર્ટમાંથી 3 કેસ પરત ખેંચાયા છે. ​​​​​​​નરોડા, રામોલ, બાપુનગર અને ક્રાઈમ બ્રાંચ, સાબરમતી, નવરંપુરા અને શહેરકોટડામાં 1-1 જ્યારે કૃષ્ણનગરના 2 કેસ છે જે પરત ખેંચવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કેસોને પરત લેવા મેટ્રો કૉર્ટમાં 15 એપ્રિલે પરત ખેચવા હાથ ધરાશે. 


ગુજરાત સરકારે પાટીદારો સામેના કયા 10 કેસ ખેંચ્યા પરત? જાણો સંપૂર્ણ વિગત


ગુજરાત સરકારે પાટીદારો સામેના કયા 10 કેસ ખેંચ્યા પરત? જાણો સંપૂર્ણ વિગત

રાજ્ય સરકારના આ નિર્ણય પર હાર્દિક પટેલે કહ્યું કે આ જાહેરાત તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરી હતી.  આનંદીબેનની સરકારમાં જાહેરાત થઈ હતી તે કેસ પરત ખેંચાયા છે. સરકાર સમાજને  ગુમરાહ કરે છે, બધા કેસ પાછા ખેંચવા હાર્દિક પટેલે માંગ કરી છે. હાર્દિક સામેના રામોલ પોલીસ સ્ટેશનમાં થયેલ કેસ અંગે 15 એપ્રિલના રોજ હુક્મ થશે. ગુજરાતમાં અનામત આંદોલન વખતે પાટીદારો પર પોલીસ કેસ નોંધવામાં આવ્યા હતાં. જેમાં કુલ 485 પોલીસ ફરિયાદો નોંધાઇ હતી. 228 પોલીસ ફરિયાદો રદ કરાઇ છે. હજુ 140થી વધુ કેસો પેન્ડિંગ છે.

રાજદ્રોહ સિવાયના તમામ કેસો પરત ખેંચાશે 
ગુજરાત સરકારે કુલ 70 જેટલા પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે. આમાં રાજદ્રોહ સિવાયના તમામ કેસો પાછા ખેંચાશે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સેશન કોર્ટમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો કેસ ચાલુ છે જેના સિવાય તમામ કેસો પરત ખેંચાશે. 


સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ : અલ્પેશ કથીરિયા 
આ અંગે નિવેદન આપતા પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્ય તેમજ આપ નેતા અલ્પેશ કથીરિયાએ કહ્યું કે ગુજરાત સરકારની કાર્યવાહીથી સંતુષ્ટ છીએ, પણ તમામ કેસો પરત ખેંચાશે ત્યારે પૂર્ણ સંતોષ થશે.  

ઉમિયાધામના પ્રમુખ જેરામભાઈએ નિર્ણયને આવકાર્યો  
આ અંગે ઉમિયાધામ, સીદસરના પ્રમુખ જેરામભાઈ પટેલે સરકારના નિર્ણયને આવકાર્યો છે. તેમણે કહ્યું કે પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા અંગે અનેક પાટીદાર આગેવાનોએ રજૂઆત કરી હતી. આ કેસો પરત ખેંચવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અંગત રસ લીધો છે, માટે આ બાબતનો શ્રેય ભુપેન્દ્રભાઈ અને તેમની ટીમને જાય છે. 

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad Rain: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, ભારે પવન અને કરા સાથે વરસાદ
Ahmedabad News: સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને સાણંદ પોલીસે ઝડપી લીધી 
Ahmedabad News: સીનીયર સીટીઝનને રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ગેંગને સાણંદ પોલીસે ઝડપી લીધી 
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
Census 2027: ગુજરાતમાં હાલ નહીં થાય વસ્તી ગણતરી, જાણો અચાનક કેમ મોકૂફ રાખવામાં આવી પ્રક્રિયા
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?
અરવિંદ કેજરીવાલે CM ભુપેન્દ્ર પટેલને પત્ર લખી મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાયું, જાણો શું છે કારણ?

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'
Hun To Bolish | હું તો બોલીશ | માફિયાઓ સામે મહિલાઓ મેદાને
Hun To Bolish: ક્યાં પડ્યું માવઠું ?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
Shashi Tharoor Attack: શશિ થરૂરની સુરક્ષામાં મોટી ચૂક, કેરળમાં કોંગ્રેસ નેતાના કાફલા પર હુમલો,ગનમેન-ડ્રાઈવર ઘાયલ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
નાસિકમાં મોટી દુર્ઘટના, કૂવામાં કાર ખાબકતાં એક જ પરિવારના 9 લોકોના કરૂણ મૃત્યુ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
ગુજરાતમાં ઓફીસર બનવાની સોનેરી તક, GPSC એ બહાર પાડી ભરતી; જાણીલો અરજી કરવાની છેલ્લી તારીખ
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
Gujarat Weather: 7 એપ્રિલે વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે, સૌરાષ્ટ્ર સહિત આ વિસ્તારમાં થશે માવઠું
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર, ભારતના LPG ટેન્કરે પાર કર્યું હોર્મૂઝ, જાણો 6 એપ્રિલે પહોંચશે મુંબઇ
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
દિલ્હી-NCR માં ભૂકંપના ઝટકા, જમ્મુ-કાશ્મીરમાં પણ ધરા ધ્રુજી, જાણો કેટલી હતી તીવ્રતા
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
સરકારની મોટી જાહેરાત! સોનાની ખરીદી માટેના નિયમો બદલાશે, જાણો ગ્રાહકો શું થશે અસર?
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
માત્ર 2 લાખમાં મળી જશે 10 લાખની કાર, આ સરકારી વેબસાઇટ પર પાણીના ભાવે મળી રહી છે ગાડી
Embed widget