શોધખોળ કરો

Gujarat Hooch Tragedy: લઠ્ઠાકાંડને લઈ રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ શું કહ્યું ? જાણો વિગત

Gujarat Hooch Tragedy Update: ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉછડી , અણીયાળી વિગેરે ગામોમાંથી શંકાસ્પદ મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલ હતું .

Gujarat Hooch Tragedy: બરવાળા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 31 પર પહોંચ્યો છે. ધંધુકા તાલુકામાં 10 લોકોના મોત થયા છે. લઠ્ઠાકાંડને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપને આ મુદ્દે ઘેરવાનું શરૂ કર્યું છે.

આ દરમિયાન લઠ્ઠાકાંડને લઈને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ પ્રેસ કોંફરન્સ કરી હતી. જેમાં તેમણે કહ્યું તપાસ માટે ખાસ ટીમની રચના કરાશે. તમામ આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે . જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પણ લેવાશે. અમદાવાદ ગ્રામ્ય અને બોટાદ જીલ્લામાં કેમિકલ પોઇસિંગ અંગે ફરિયાદ દાખલ કરાઈ છે. પોલીસે મુખ્ય આરોપી સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે.

ગઇકાલ સવારથી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ધંધુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉછડી , અણીયાળી વિગેરે ગામોમાંથી શંકાસ્પદ મૃત્યુ થયેલ હોવાનું જાણવા મળેલ હતું . બાદમાં ધંધુકાની બાજુમાં આવેલ બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનની હદમાં પણ આવા અન્ય બનાવો બન્યા હોવાનું જાણવા મળેલ છે . જેથી આ વિશે પોલીસે તાત્કાલીક તપાસ હાથ ધરતાં પ્રાથમિક તપાસમાં આ મૃત્યુ ઝેરી કેમીકલની અસરથી થયેલ હોવાનું જણાયેલ છે. હાલ સુધીમાં કુલ- 30 લોકોના મૃત્યુ થયું હોવાનું જાણવા મળેલ છે અને કુલ -51 લોકો ભાવનગર તથા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. આ પૈકી અમદાવાદ ગ્રામ્ય જીલ્લામાં 6 મૃત્યુ થયા છે અને બોટાદ જીલ્લામાં 22 મૃત્યુ થયેલ છે અન્ય 2 મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

આ બનાવો સંદર્ભે હાલ સુધી 2 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે, જેમાં બોટાદ જીલ્લાના બરવાળા પોલીસ સ્ટેશનમાં કુલ -14 આરોપીઓ સામે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે , તેમજ બોટાદ જીલ્લાના રાણપુર ખાત 11 - આરોપીઓ સામે એક ગુનો દાખલ થયેલ છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્યમાં ધંધુકા પોલીસ સ્ટેશનમાં કુલ -5 અકસ્માત મોતના બનાવે દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ ચાલી રહેલ છે અને જો તેમાં પણ મૃત્યુ ઝેરી કેમીકલની અસરથી થયેલ હોવાનું જણાશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આ બનાવો સંદર્ભ મુખ્ય આરોપી સહીત કુલ -6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે.

આ બનાવોની તપાસમાં સ્થાનિક જીલ્લાની પોલીસ ઉપરાંત એ.ટી.એસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ જોડાયેલી છે. હાલમાં તપાસ ટીમ દ્વારા મોટા ભાગના આરોપીઓને રાઉન્ડઅપ કરી તપાસ - પૂછપરછની કાર્યવાહી ચાલુ છે. આ બનાવની તપાસમાં હાલ સુધી આ બનાવો ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહી પીવાથી બનેલ હોવાનું જાણવા મળેલ છે. આ બનાવના 24 કલાકની અંદર જ આ ઝેરી કેમિકલ યુક્ત પ્રવાહીનું એફ.એસ.એલ.ગાંધીનગર દ્વારા પૃથ્થકરણ કરતાં તેમાં કુલ 68.71 તથા 68.29 ટકા મિથાઈલ આલ્કોહોલની હાજરી હોવાનું શોધાયેલ છે. હાલમાં જે દર્દીઓ સારવારમાં છે તેમની મેડીકલ ટ્રીટમેન્ટ ડોક્ટર તથા આ ઝેરી કેમિકલના એન્ટીડોટ સંદર્ભે એફ.એસ.એલ.ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલ છે. આ બનાવમાં સામેલ તમામ આરોપીઓની સત્વરે ધરપકડ કરવામાં આવશે અને તમામ જવાબદાર વિરૂધ્ધ સંખ્ત કાર્યવાહીના પગલા લેવામાં આવશે.

આ પણ વાંચોઃ

Gujarat Hooch Tragedy: રોજીદ ગામે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા 5 લોકોની એક સાથે નીકળી અંતિમ યાત્રા, આખું ગામ હિબકે ચડ્યું

Gujarat Monsoon: છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, 41 તાલુકામાં વરસ્યું કાચું સોનું

Monkeypox Cases Gujarat: ગુજરાતમાં થઈ મંકીપોક્સની એન્ટ્રી ? જાણો વિગત

India Corona Cases Today: ભારતમાં કોરોના કેસમાં થયો મોટો ઘટાડો

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલું ચાલશે પાણીનું ગ્રહણ
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલોની બબાલોમાં સાચું કોણ?
Hun To Bolish : હું તો બોલીશ :  મોતના હાઈવે
Ahmedabad water logging: અમદાવાદના ધોળકા-બાવળા રોડ પર સ્થાનિકોનો ચક્કાજામ
Dhoraji News : ધોરાજીના પાટણવાવમાં ઝેરી જંતુના આતંકથી આરોગ્ય વિભાગની ટીમ થઈ દોડતી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
રશિયામાં અનુભવાયા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર રહી 8ની તીવ્રતા, સુનામીનું એલર્ટ જાહેર
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
PM Modi on PoK: ભારતે ઓપરેશન સિંદૂરમાં PoK પરત કેમ ના લીધું? PM મોદીએ સંસદમાં આપ્યો જવાબ
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
'સીઝફાયર નહી કરો તો પેલેસ્ટાઈનને આપી દઈશું માન્યતા', બ્રિટનના PMની ઈઝરાયલને ચેતવણી
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
PM મોદીનો કોંગ્રેસ પર સીધો પ્રહાર: 'એક પરિવારના દબાણમાં પાકિસ્તાનને ક્લીનચીટ આપવાનું બંધ કરો'
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
'ટ્રમ્પ 29 વાર બોલ્યા, PM મોદીએ જવાબ ન આપ્યો': લોકસભામાં પીએમ મોદીના ભાષણ પર રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લીધો, ઓપરેશન સિંદૂર પર સંસદમાં બોલ્યા PM  મોદી
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
ગોધરા રમખાણો કેસ: 19 વર્ષ પછી 3 દોષિતો નિર્દોષ છૂટ્યા! ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, પુરાવાના અભાવે મુક્ત કર્યા
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
'PM મોદી બોલે કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે', સીઝફાયરના દાવા પર સંસદમાં રાહુલ ગાંધીનો પડકાર 
Embed widget