શોધખોળ કરો

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?

દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ-ડીઝલનો રિઝર્વ જથ્થો ઉપલબ્ધ; માર્ચ એન્ડિંગના કારણે કંપનીઓએ ક્રેડિટ બંધ કરી એડવાન્સ પેમેન્ટ માંગતા સર્જાઈ છે કામચલાઉ અછત.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં અત્યારે પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી રહી છે અને અનેક પંપો પર 'પેટ્રોલ ખલાસ' ના બોર્ડ લાગી ગયા છે. લોકોમાં ડર છે કે પેટ્રોલ ખૂટી પડ્યું છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. આ સમગ્ર મામલે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ મેહુલ પટેલે સ્પષ્ટતા કરી છે કે લોકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રિઝર્વ પડેલો છે. આ અછત પાછળનું સાચું કારણ ક્રૂડ ઓઇલની કમી નહીં, પરંતુ સરકારી પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા માર્ચ એન્ડિંગને પગલે પેમેન્ટ સિસ્ટમમાં કરાયેલો મોટો ફેરફાર છે.

ઉધાર બંધ અને એડવાન્સ પેમેન્ટનો નવો નિયમ

અત્યાર સુધી પંપ સંચાલકોને કંપનીઓ તરફથી ક્રેડિટ (ઉધાર) પર પેટ્રોલ અપાતું હતું. પરંતુ, હાલમાં માર્ચ એન્ડિંગ ચાલતું હોવાથી કંપનીઓ જૂની ઉઘરાણી કરી રહી છે. કંપનીઓએ એવો નિયમ લાગુ કર્યો છે કે જ્યાં સુધી તેમના બેંક એકાઉન્ટમાં એડવાન્સ પેમેન્ટ જમા નહીં થાય, ત્યાં સુધી પેટ્રોલનો નવો પુરવઠો નહીં મોકલાય.

ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC) કે જે પંપ સંચાલકોને અત્યાર સુધી સૌથી વધુ ક્રેડિટ આપતી હતી, તેણે હાલમાં ઉધાર આપવાનું સદંતર બંધ કરી દીધું છે. આ જ કારણસર IOC ના પંપો પર સૌથી વધુ તંગી જોવા મળી રહી છે.

ખાનગી કંપનીઓની સ્થિતિ અને સરકારના પગલાં

હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ ઉપરાંત રિલાયન્સ, નાયરા અને શેલ જેવી ખાનગી કંપનીઓ પણ પોતાની રીતે નિર્ણયો લઈ રહી છે.

નાયરા કંપનીમાં તો પહેલેથી જ એડવાન્સ પેમેન્ટ લેવાય છે, પરંતુ હાલમાં તેમની વાડીનાર રિફાઇનરીમાંથી પેટ્રોલનો પુરવઠો ઓછો આવી રહ્યો છે.

બીજી તરફ, શેલના પેટ્રોલ પંપ પર બજાર કરતા ભાવ વધુ હોવાથી ત્યાં ગ્રાહકોની ભીડ ઓછી જોવા મળી રહી છે.

આ અછતને દૂર કરવા અને લોકોને મુશ્કેલી ન પડે તે માટે સરકાર અને પુરવઠા વિભાગ પૂરતું ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં રાજકોટ ખાતે પેટ્રોલ પંપ એસોસિએશન અને કંપનીના અધિકારીઓ વચ્ચે એક મહત્વની મીટિંગ પણ યોજાઈ હતી, જેમાં કંપનીઓએ ઝડપથી પુરવઠો મોકલવાનું આશ્વાસન આપ્યું છે.

આગામી 10 દિવસમાં સ્થિતિ થશે સામાન્ય

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતમાં ક્રૂડ ઓઈલનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે. ગયા અઠવાડિયે જ ખાડી દેશોમાંથી 2 ક્રૂડ ઓઇલના સુપર ટેન્કર ભારત આવ્યા છે. આ ઉપરાંત, રશિયાથી આવતું ક્રૂડ ઓઈલ વાયા ચીની સમુદ્ર થઈને પહોંચી રહ્યું છે અને ઈરાને પણ 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' માંથી ભારતીય ટેન્કરોને પસાર થવાની છૂટ આપી દીધી છે. તેથી, બજારમાં પેટ્રોલની જે થોડી અછત થઈ છે તે માત્ર ક્રેડિટ પોલિસી બંધ થવાને કારણે છે. આગામી 1 અઠવાડિયાથી 10 દિવસમાં જ પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ જવાની પૂરી સંભાવના છે.

Frequently Asked Questions

ગુજરાતમાં પેટ્રોલ પંપ પર લાંબી કતારો અને 'પેટ્રોલ ખલાસ'ના બોર્ડ શા માટે જોવા મળી રહ્યા છે?

આ અછત પેટ્રોલની કમીને કારણે નથી, પરંતુ સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ માર્ચ એન્ડિંગને કારણે પેમેન્ટ સિસ્ટમમાં ફેરફાર કર્યો છે. પેટ્રોલ પંપ સંચાલકોને ઉધારને બદલે હવે એડવાન્સ પેમેન્ટ પર જ પેટ્રોલ મળશે.

શું દેશમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખરેખર ઓછો છે?

ના, દેશમાં 70 થી 80 દિવસ ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રિઝર્વ પડેલો છે. આ અછત ક્રૂડ ઓઇલની કમીને કારણે નથી.

કઈ કંપનીઓના પંપ પર સૌથી વધુ તંગી જોવા મળી રહી છે?

ખાસ કરીને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ના પંપો પર સૌથી વધુ તંગી જોવા મળી રહી છે, કારણ કે IOC અત્યાર સુધી સૌથી વધુ ક્રેડિટ આપતી હતી અને હવે તેણે ઉધાર આપવાનું બંધ કર્યું છે.

આ પરિસ્થિતિ ક્યારે સામાન્ય થશે?

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો સપ્લાય રાબેતા મુજબ ચાલુ છે. આગામી 1 અઠવાડિયાથી 10 દિવસમાં પરિસ્થિતિ એકદમ સામાન્ય થઈ જવાની પૂરી સંભાવના છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતની અફવાથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદમાં માનવતા મરી પરવારી: કૃષ્ણનગરમાં નરાધમ સાવકા પિતાએ 6 વર્ષની માસૂમ દીકરીને પીંખવાનો પ્રયાસ કર્યો
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદના કાલુપુર રેવડી બજારમાં ભીષણ આગ: 30થી વધુ દુકાનો બળીને ખાખ, ફાયર વિભાગની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Bomb threat: અમદાવાદની શાંતિ એશિયાટિક સહિત આ શાળાને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન
Bhavnagar Demolition: ભાવનગરમાં અસામાજિક તત્વો અને બુટલેગરોના ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Donald Trump : અમારા અલ્ટીમેટમની જલદી અસર દેખાશે...: ઈરાનને લઈ ટ્રમ્પે ફરી આપ્યું મોટું નિવેદન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Embed widget