શોધખોળ કરો

ઈસુદાન ગઢવીએ AAP છોડી ગયેલા વિજય સુવાળા-મહેશ સવાણીનો કેમ માન્યો આભાર ?

સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.આ પત્રકર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો.

અમદાવાદઃ આમ આદમી પાર્ટી(AAP) માંથી લોકગાયક  વિજય સુવાળા અને સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ રાજીનામું આપ્યું તેના કારણે ખળભળાટ મચ્યો છે. સુવાલા અને સવાણીના પાર્ટી છોડવાને પગલે આજે ઈસુદાન ગઢવીએ બપોરે 12 વાગ્યે પત્રકાર પરિષદ યોજી હતી.

આ પત્રકર પરિષદમાં ઈસુદાન ગઢવીએ વિજય સુવાળા અને મહેશ સવાણીનો આભાર માન્યો હતો. ઈસુદાને કહ્યું કે, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, અમારા બે વિરો અમારો સાથ છોડ્યો છે અને બંને વિરોનો અમે આભાર માનીએ છીએ કેમ કે આ બંને જ્યાં સુધી અમારી સાથે રહ્યા ત્યાં સુધી તેમમે પૂરી તાકાતથી કામ કર્યું. બંનેએ પોતાનું સંપૂર્ણ યોગદાન પાર્ટીને આપ્યું એ બદલ અમે તેમના આભારી છીએ.

AAPમાં આંતરિક વિખવાદ અને હોદ્દાની વહેંચણીના મમાલે થયેલી નારાજગીના કારએ નેતાઓ પાર્ટી છોડતા હોવાની ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. આગામી દિવસોમાં હજી કેટલાક નેતાઓ અને કાર્યકરો પણ પાર્ટી છોડે એવી પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે ત્યારે ઈસુદાને હુંકાર કર્યો હતો કે, અમે અમારી લડાઈ ચાલુ રાખીશું અને મરીશું ત્યાં સુદી લડીશું. આમ આદમી પાર્ટીના કાર્યકરો પૂરી તાકાતથી લડજો.

રાજીનામાં પર રાજીનામાં વચ્ચે ઇસુદાન ગઢવીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, હું AAPમાં નથી, પરંતુ આપ મારામાં છે. આ ઉપરાંત તેમણે સોમવારે જ કહ્યું હતું કે, હું  પત્રકાર પરિષદ કરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધ ચાલી રહેલા પ્રોપેગેંડા અંગે સ્પષ્ટતા કરશે. આ ઉપરાંત જે પણ નેતા  ગયા છે તેઓ પક્ષમાં અસંતોષ હોવાને કારણે નથી ગયા, પરંતુ પોતાની અંગત તકલીફોને ધ્યાનમાં રાખીને જ તેઓ ગયા છે. હાલ AAP પાસે દિગ્ગજ નેતાઓમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સિવાય કોઇ મોટા નેતા નથી એવી વાતોનો પણ તેમણે જવાબ આપ્યો હતો.

સુવાળા અને સવાણી ઉપરાંત આ ઉપરાંત આમ આદમી પાર્ટી અમદાવાદ શહેરનાં યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસે આજે વિધિવત રીતે ભાજપનો કેસરિયો ખેસ ઘારણ કર્યો હતો. પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના હસ્તે નીલમબેન વ્યાસે કેસરિયો ખેસ ઘારણ કરી આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
Advertisement

વિડિઓઝ

Ambalal Patel Prediction: નવું ચક્રવાત ગુજરાતમાં કેવું મચાવશે તોફાન? અંબાલાલે શું કરી આગાહી
Mohan Bhagwat Statement: હિન્દુત્વ પર RSS સુપ્રીમો મોહન ભાગવતનું મોટુ નિવેદન | abp Asmita LIVE
Hun To Bolish | હું તો બોલીશ | 16 પરિવારમાં ચાંદનીનું અંધારું
Gujarat ATS: ગુજરાતમાંથી ઝડપાયેલ આતંકીઓનો નવો ખુલાસો
Mehsana News: કડીની હોલીફેમિલી સ્કૂલની ઘટના, ધો.6ના વિદ્યાર્થીએ બીજા માળેથી ઝંપલાવ્યું
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
Pakની નાપાક હરકત, દિલ્લી પોલીસે Pakના 4 શખ્સને હથિયારના જથ્થા સાથે ઝડપી પાડયાં
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
મહિલાઓને નાઈટ શિફ્ટમાં કામ કરવાની સ્વતંત્રતા, ઓવરટાઇમના ડબલ પૈસા, જાણો નવા શ્રમ કાયદાની 10 મોટી વાતો
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
'જો હિન્દુઓ નહીં રહે, તો દુનિયા ખતમ થઇ જશે...' - RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
અયોધ્યા રામ મંદિરમાં ખાતે 25 નવેમ્બરે યોજાશે ધ્વજારોહણ સમારોહ, જાણો ગુજરાતમાં બનેલ આ ખાસ ધજાની ખાસિયત
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
IPL 2026 ની હરાજી પહેલા પંજાબ કિંગ્સ માટે આવ્યા ખરાબ સમાચાર, શ્રેયસ ઐયર નહીં રમી શકે? જાણો હેલ્થ અપડેટ
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
જો તમે ટ્રેનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા હોય તો થોભી જજો,રેલ્વેએ 3 મહિના સુધી રદ કરી છે 16 એક્સપ્રેસ ટ્રેન
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
સરકારે લાગુ કર્યા 4 નવા લેબર કોડ, વેતન, ગ્રેચ્યુઇટી અને ઓવરટાઇમના નિયમો બદલાયા, જાણો કામદારોને શું થશે ફાયદો
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Vadodara: SIR ની કામગીરી દરમિયાન વધુ એક BLO ની લથડી તબિયત, છાતીમાં દુ:ખાવો ઊપડતાં હોસ્પિટલ ખસેડાયા
Embed widget