અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો સીસીટીવીમાં દેખાયો હતો. સોસાયટીના સભ્યોએ સવારે તેના પગના નિશાન પણ જોયા હતા.
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે, જે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

- અમદાવાદ ઘુમામાં દીપડો સીસીટીવીમાં કેદ, વન વિભાગ ઘટના સ્થળે
- અમરેલી તુલસીશ્યામ રેન્જમાં 15 વર્ષના સિંહનું કુદરતી મોત.
- સિહોરમાં સિંહે ભેંસનો શિકાર કર્યો, પશુપાલકે જીવ બચાવ્યો.
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણદીપ સોસાયટીમાં મોડી રાત્રે આશરે 2 કલાકે એક દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે, જે ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ઘટના બાદ સોસાયટીના સભ્યોએ વહેલી સવારે દીપડાના પગની છાપ (ફૂટમાર્ક) પણ જોઈ હોવાનો દાવો કર્યો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં દીપડાના આંટાફેરાની આશંકા વધી ગઈ છે. આ અંગે તુરંત જ વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વહેલી સવારથી જ કાંકરિયા ઝૂના અધિકારીઓ અને સ્ટાફની ટીમ શરણદીપ સોસાયટી ખાતે પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને તેમજ પ્રાથમિક તપાસમાં મળી આવેલા પગના નિશાનના આધારે દીપડાની હાજરી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત
તો બીજી તરફ અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં એક સિંહનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર, અંદાજે 15 વર્ષની ઉંમર ધરાવતા આ નર સિંહનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ દોડી ગઈ હતી અને સિંહના મૃતદેહને પોસ્ટમોર્ટમ (પી.એમ.) ની પ્રક્રિયા માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.
સિહોર પંથકમાં સિંહનો આતંક, પશુપાલકે ઝાડ પર ચડી જીવ બચાવ્યો
બીજી તરફ, ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં વન્ય પ્રાણી સિંહના હુમલાની ઘટનાઓ સતત બેકાબૂ બની રહી છે. ગઈકાલે સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે ફરી એકવાર આતંક મચાવીને એક પશુપાલકના પશુનું મારણ કર્યું હતું. સીમમાં પશુ ચરાવી રહેલા રતુભા રઘુભા ગોહિલ નામના પશુપાલકની ભેંસ પર સિંહે અચાનક હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સિંહને પોતાની તરફ ધસતો જોઈને ગભરાયેલા પશુપાલકે સમયસૂચકતા વાપરી નજીકના વૃક્ષ પર ચડી જઈને જેમ-તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ વિસ્તારમાં સિંહના ત્રાસ અંગે ગામના સરપંચ દ્વારા વન વિભાગને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ વન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે જેને કારણે સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Frequently Asked Questions
અમદાવાદના કયા વિસ્તારમાં દીપડો દેખાયો હતો?
અમદાવાદમાં દીપડો દેખાયા બાદ શું કાર્યવાહી કરવામાં આવી?
ઘટના અંગે વન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. કાંકરિયા ઝૂની ટીમ સીસીટીવી ફૂટેજ અને પગના નિશાનના આધારે તપાસ કરી રહી છે.
અમરેલીમાં સિંહનું મોત કયા કારણસર થયું?
અમરેલી જિલ્લાના ખાંભા નજીક આવેલી તુલસીશ્યામ રેન્જમાં અંદાજે 15 વર્ષના નર સિંહનું વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે મોત થયું હતું. મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર લઈ જવાયો.
સિહોર પંથકમાં સિંહે કયા પશુનો શિકાર કર્યો?
ભાવનગરના સિહોર તાલુકાના ટોડા ગામે સિંહે એક પશુપાલકની ભેંસનું મારણ કર્યું હતું. પશુપાલકે ઝાડ પર ચડીને પોતાનો જીવ બચાવ્યો.





















