શોધખોળ કરો

ગુજરાતમાં કોંગ્રેસનું નવું માળખું જાહેર થતાં જ વિખવાદ, કયા 3 દિગ્ગજ નેતાને રઘુ શર્માએ મળવા બોલાવ્યા?

ગુજરાત કોંગ્રેસમાં સંગઠનનું નવું માળખું જાહેર થતાં જ વિખવાદ શરૂ થયો છે. સંગઠન જાહેર થયા બાદની નારાજગી ખાળવા પ્રભારી મેદાને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની નારાજગી સામે આવી છે.

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસમાં સંગઠનનું નવું માળખું જાહેર થતાં જ વિખવાદ શરૂ થયો છે. સંગઠન જાહેર થયા બાદની નારાજગી ખાળવા પ્રભારી મેદાને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની નારાજગી સામે આવી છે. લલિત વસોયની નારાજગી ખાળવા રઘુ શર્માએ બોલાવ્યા. લલિત કગથરા અને કિરીટ પટેલને પણ પ્રભારીએ બોલાવ્યા. થોડીવારમાં પ્રભારી ત્રણેય નેતાઓ સાથે બેઠક કરશે.

ધારાસભ્ય લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી નારાજગી વ્યક્ત કરી છે. વફાદાર રહેવાના સંસ્કારના કારણે ઘણું સહન કરવું પડે છે. જોકે, લલિત વસોયાની નારાજગી દૂર કરવા બે ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. લલિત કગથરા અને કિરીટ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. 

વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસે તેમની ગતિવિધિ તેજ કરી દીધી છે. આજે મોડીં સાજે ગુજરાત કોંગ્રેસે તેના સંગઠનની યાદી જાહેર કરી છે. જેમા ઉપપ્રમુખ અને મહામંત્રીની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 25 ઉપાધ્યક્ષ, 75 મહામંત્રી અને 5 પ્રોટોકોલ મંત્રીની જાહેરાત કરાઈ છે. અમદાવાદ શહેર પ્રમુખ તરીકે નીરવ બક્ષીના નામની જાહેરાત કરાઈ છે.

ભોજન સમારંભમાં હાજર રહેલા મુખ્ય લોકો

બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીને ત્યાં ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સોલંકીને ત્યાં હાજર રહેલા નેતાઓની વાત કરીએ તો ભરતજી ઠાકોર, જશુ પટેલ, સહ પ્રભારી બીસ્વરંજન મોહંતી, દિપક બાબરીયા, વિમલ ચુડાસમા, ગુલાબસિંહ રાજપૂત, પ્રવિણ મૂછડીયા, શિવા ભુરિયા, ભગવાન બારડ, બળદેવજી ઠાકોર, જીગ્નેશ મેવાણી, સી.જે. ચાવડા, અમિત ચાવડા, રાજુભાઇ ઠાકોર,ચંદનજી ઠાકોર, ગ્યાસુદ્દીન શેખ, કદીર પીરજાદા, નવશાદ સોલંકી, મોહનસિંહ રાઠવા,લાખા ભરવાડ, ચંદ્રિકા બારૈયા, વજેસિંહ, રઘુભાઈ દેસાઈ, હાર્દિક પટેલ, લલિત કગથરા, ઋત્વિક મકવાણા, રાજેશ ગોહિલ, કાળુભાઈ ડાભી, પુંજા વંશ, નિરંજન પટેલ, રાજેન્દ્રસિંહ ચાવડા, સુનિલ ગામીત,પરેશ ધાનાણી, રઘુ દેસાઈ, કિરીટ પટેલ, ગેનીબેન ઠાકોર, ભીખા જોશી, બાબુ વાજા, કાંતિ સોઢા પરમાર  ઉપરાંત જગદીશ ઠાકોર અને રઘુ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોહનસિંહ રાઠવાનું સૌએ સન્માન કર્યું 

11મી વખત ચૂંટવા બદલ સૌએ મોહનસિંહ રાઠવાનું સન્માન કર્યું હતું.. તો બીજી તરફ ડિનર ડિપ્લોમસીમાં ભરતસિંહ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  કોંગ્રેસ નબળી કે ઢીલી પડી નથી. હારની બાજીને જીતમાં બદલે તે જ સંગઠન કહેવાય. બે હજાર બાવીસ, કોંગ્રેસ લાવિસ આવું સૂત્ર પણ તેમણે આપ્યું છે. ચૂંટણી વહેલી લાવવી હોય તો લાવો, અમે તૈયાર છીએ એવો હુંકાર સોલંકીએ કર્યો હતો. આવનારા સમયની ચેલેન્જ આવતીકાલની આદિવાસી રેલીથી થવાની છે.

કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન 

તો બીજી તરફ આ સમુહ ભોજનને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ પ્રકારના ભોજનનું આયોજન વર્ષોથી ચાલી આવતી પરંપરા છે.
આવનાર સમયમાં કોંગ્રેસ પરિવાર ભાજપ સામે લડશે.સમગ્ર પરિવાર આ જ રીતે એક થઈને લડશે. આ ઉપરાંત આવનારા સમયમાં કોંગ્રેસ તરફથી નવા નવા સૂત્રો આવતા રહેશે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
MI અને ચેન્નઈ સહિત 8 ટીમોએ કેપ્ટન કર્યા કન્ફર્મ, આ 2 ટીમોએ હજુ સુધી નથી કર્યો નિર્ણય 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
નકલી સમન્સ અને ‘ડિજિટલ અરેસ્ટ’ રોકવા EDએ બદલી સમન્સ જારી કરવાની પ્રક્રિયા, જાણો નવી પ્રક્રિયા વિશે 
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
સોના-ચાંદીના ભાવમાં થઈ ગયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત  
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
SBI માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹41,826 ફિક્સ વ્યાજ, જાણો તમામ ડિટેલ્સ
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કાતિલ ઠંડીમાં ખજૂરનું સેવન સ્વાસ્થ્યને આપશે આ 5 મોટા ફાયદાઓ, આજથી જ ખાવાનું શરુ કરો
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
કરોડપતિ બનવા માટે તમારે SIP માં બસ આટલી રકમનું કરવું પડશે રોકાણ, જાણો કેલક્યુલેશન 
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
TB Disease: ટીબીના કેટલા તબક્કા હોય છે, કયા સ્ટેજમાં વ્યક્તિનું બચવું બને છે મુશ્કેલ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
આદરણીય નીતિશ કુમાર જી... શપથ ગ્રહણ બાદ તેજસ્વી યાદવનું પ્રથમ નિવેદન, જાણો શું કહ્યું ?
Embed widget