શોધખોળ કરો

કોરોના મુદ્દે અમદાવાદ માટે માઠા સમાચારઃ કેમ વધી અમદાવાદીઓની ચિંતા?

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના લોકો માટે કોરોનાના લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવતા સુરતમાં કોરોનાની સ્થિતિ વકરી હતી અને સુરત એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન થઈ ગયું હતું. જોકે, સુરતમાં સ્થિતિ કાબૂમાં આવવા લાગતાં અમદાવાદમાં ફરીથી સૌથી વધુ એક્ટિવ કેસો થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો 3 હજારને પાર થઈ ગયા છે. જે અગાઉ 3 હજારની અંદર જતા રહ્યા હતા. કોરોનાના નવા કેસો તો વધી રહ્યા નથી, પરંતુ અમદાવાદમાં જે રીતે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા હતા, તેનું પ્રમાણ ઘટતા કોરોનાના એક્ટિવ કેસો વધવા લાગ્યા છે. બીજી તરફ સુરતમાં ગઈ કાલે એક સાથે 589 લોકોએ કોરોનાને મ્હાત આપતાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેના આગલા દિવસે પણ સુરતમાં 549 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે. રાજ્યમાં ગઈ કાલે રાજકોટ કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 5-5, સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશન 3, કચ્છ 2, વડોદરા કોર્પોરેશન 2, જુનાગઢ 1,મહેસાણા 1, વડોદરા 1, અન્ય રાજય 1 મળીને કુલ 25 લોકોના મોત થયા છે. ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશનમં 58, પંચમહાલમાં 47, સુરતમાં 44, અમરેલીમાં 35, રાજકોટમાં 35, ગીર સોમનાથમાં 32, ભરૂચમાં 28, કચ્છમાં 25 કેસ નોંધાયા હતા. કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં ગઈ કાલે કુલ 1311 દર્દી સાજા થયા હતા અને 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,222 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,86,610 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1622 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સર્વિસ પડી ભારે
Hun To Bolish | હું તો બોલીશ | પરમિટવાળા પેગમાં પોલંપોલ
Hun To Bolish | હું તો બોલીશ | કોણે તોડ્યો અશાંતધારો ?
Surat Fake Guru Case: કૌભાંડી યોગ ગુરૂ પ્રદીપના વધુ એક કારનામાનો પર્દાફાશ
Rajkot news: રાજકોટની જનાના હોસ્પિટલમાં બેદરકારી, 5 માસથી ફાયર સિસ્ટમ બંધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
આવતીકાલનું હવામાન: દેશના 13 રાજ્યોમાં વરસાદ અને તોફાનનું એલર્ટ, 85 kmph ની ઝડપે ફૂંકાશે પવન!
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ઉર્જા સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય: કોમર્શિયલ LPG ના સપ્લાયમાં 20% નો વધારો, હોટલ-રેસ્ટોરાંને મળશે રાહત
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
ગુજરાતના માછીમારો માટે મોટા સમાચાર: બોટના ડીઝલ ભાવમાં ઝીંકાયેલો 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
‘જો અમેરિકા પાકિસ્તાન પર હુમલો કરશે, તો અમે દિલ્હી-મુંબઈ પર બોમ્બ ઝીંકીશું...’ પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો બકવાસ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનું ગ્રહણ: 400 થી વધુ મિલો અઠવાડિયામાં 2 દિવસ બંધ રહેશે, 2.5 લાખ શ્રમિકોની રોજીરોટી પર સંકટ
કમોસમી વરસાદથી જગતનો તાત પાયમાલ: સરકારે આપ્યા પાક નુકસાનીના સર્વેના આદેશ, હજુ 7 દિવસ આફતની આગાહી
શું ખેડૂતોને મળશે સહાય? કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
US-Iran War: ઈરાનના પરમાણુ કેન્દ્ર પર મોટો હુમલો,અમેરિકા અને ઈઝરાયલે વરસાવ્યા બોમ્બ
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
ઈરાન પછી અમેરિકા અને ઈઝરાયલના નિશાના પર કયો દેશ? ઓવૈસીએ કરી ભવિષ્યવાણી, પીએમ મોદી પર.....
Embed widget