શોધખોળ કરો

કોરોના મુદ્દે અમદાવાદ માટે માઠા સમાચારઃ કેમ વધી અમદાવાદીઓની ચિંતા?

ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે અમદાવાદના લોકો માટે કોરોનાના લઈને માઠા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં કોરોનાના કેસો કંટ્રોલમાં આવતા સુરતમાં કોરોનાની સ્થિતિ વકરી હતી અને સુરત એક્ટિવ કેસોમાં રાજ્યમાં નંબર વન થઈ ગયું હતું. જોકે, સુરતમાં સ્થિતિ કાબૂમાં આવવા લાગતાં અમદાવાદમાં ફરીથી સૌથી વધુ એક્ટિવ કેસો થઈ ગયા છે. હાલ, ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ 3766 એક્ટિવ કેસો અમદાવાદમાં છે. જ્યારે સુરતમાં 2985 એક્ટિવ કેસો છે. અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસો 3 હજારને પાર થઈ ગયા છે. જે અગાઉ 3 હજારની અંદર જતા રહ્યા હતા. કોરોનાના નવા કેસો તો વધી રહ્યા નથી, પરંતુ અમદાવાદમાં જે રીતે દર્દીઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા હતા, તેનું પ્રમાણ ઘટતા કોરોનાના એક્ટિવ કેસો વધવા લાગ્યા છે. બીજી તરફ સુરતમાં ગઈ કાલે એક સાથે 589 લોકોએ કોરોનાને મ્હાત આપતાં એક્ટિવ કેસોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે તેના આગલા દિવસે પણ સુરતમાં 549 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1078 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 25 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,272 એક્ટિવ કેસ છે, જ્યારે 54,138 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 71,064 પર પહોંચી છે. રાજ્યમાં ગઈ કાલે રાજકોટ કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં 5-5, સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશન 3, કચ્છ 2, વડોદરા કોર્પોરેશન 2, જુનાગઢ 1,મહેસાણા 1, વડોદરા 1, અન્ય રાજય 1 મળીને કુલ 25 લોકોના મોત થયા છે. ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 178, અમદાવાદ કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 98, રાજકોટ કોર્પોરેશનમાં 60, જામનગર કોર્પોરેશનમં 58, પંચમહાલમાં 47, સુરતમાં 44, અમરેલીમાં 35, રાજકોટમાં 35, ગીર સોમનાથમાં 32, ભરૂચમાં 28, કચ્છમાં 25 કેસ નોંધાયા હતા. કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં ગઈ કાલે કુલ 1311 દર્દી સાજા થયા હતા અને 30,985 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 9,87,630 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,88,222 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,86,610 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 1622 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
લંડન જવાની ઘેલછા પડી ભારે: અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, અપહરણકારોએ માગી 1.30 કરોડની ખંડણી
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
અમદાવાદ ક્રાઈમ: ઘરમાં જ 20 ફૂટ ઊંડો ખાડો ખોદી પત્નીને દાટી, 34 વર્ષે હાડપિંજરે પતિને જેલ ભેગો કર્યો
Weather Update : રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં હિટવેવની ચેતવણી
Weather Update : રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, આ શહેરોમાં હિટવેવની ચેતવણી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી
અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી

વિડિઓઝ

PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશનું જીવલેણ વળગણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
Stock Market Crash: ઘટાડા સાથે શેરબજારની શરૂઆત, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
RCB vs MI Highlights: IPL 2026માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, છેલ્લા બોલે RCBએ મેળવી રોમાંચક જીત
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
PM Modi In Jamnagar: 'બંગાળના પરિણામની દુનિયાભરમાં થઈ રહી છે ચર્ચા', જામનગરમાં વડાપ્રધાન મોદીનું સંબોધન 
Embed widget