![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રને મળી મોટી ભેટઃ ક્યાં 135 એકરમાં સ્થપાશે અમુલ ડેરીનો પ્લાન્ટ? જાણો વિગત
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આણંદપર ગામમાં 135 એકરમાં અમુલ ડેરી બનશે. અમૂલ ડેરીના પ્લાન્ટને આગામી કેબિનેટમાં મંજૂરી મળશે. ટુંક સમયમાં પ્લાન ફાઇનલ થશે. રાજકોટમાં અમુલ ડેરી બનશે.
![સૌરાષ્ટ્રને મળી મોટી ભેટઃ ક્યાં 135 એકરમાં સ્થપાશે અમુલ ડેરીનો પ્લાન્ટ? જાણો વિગત One more big gift to Rajkot , Amul dairy plant in Rajkot સૌરાષ્ટ્રને મળી મોટી ભેટઃ ક્યાં 135 એકરમાં સ્થપાશે અમુલ ડેરીનો પ્લાન્ટ? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/06/10/86b399e8f2665fa19557585d01e87cc8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજકોટઃ સૌરાષ્ટ્રના પશુપાલકો અને ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ સાથે રાજકોટને એઇમ્સ પછી બીજી મોટી ભેટ મળી છે. આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આણંદપર ગામમાં 135 એકરમાં અમુલ ડેરી બનશે. અમૂલ ડેરીના પ્લાન્ટને આગામી કેબિનેટમાં મંજૂરી મળશે. ટુંક સમયમાં પ્લાન ફાઇનલ થશે. રાજકોટમાં અમુલ ડેરી બનશે.
આગામી 16 જૂનથી માત્ર હોલમાર્ક હોય તેવું જ સોનું વેચી શકાશે, જાણો ઘરમાં રાખેલા સોનાનું શું થશે ?
આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. આ પહેલા નવેમ્બર 2019માં સરાકરે ગોલ્ડ જ્વેલરી અને કલાકૃતિઓ પર ‘હોલમાર્કિંગ’ 15 જાન્યુઆરી, 2021 સુધીમાં ફરજિયાત કરવાની જાહેરાત કરી હતી. જોકે જ્વેલર્સે મહામારીનું કારણ આપીને સમયમર્યાદા વધારવાની માગ કરી હતી જેના કારણે તેને આગળ વધારીને 1 જૂન કરવામાં આવી હતી. બાદમાં ડેડલાઈન એક પખવાડિયા વધારીને 15 જૂન સુધી કરી દીધી હતી. ગોલ્ડ હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરે છે અને હાલમાં તે ફરજિયાત નહીં પણ સ્વૈચ્છિક છે.
સરકારે 15 જૂનથી જ્વેલરી વેચવાની નવી સિસ્ટમના અમલ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ હોલમાર્કિંગને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ સમિતિના બીઆઈએસના ડાયરેક્ટર પ્રમોદ તિવારી અધ્યક્ષ હશે. ઉપરાંત ઉપભોક્તા મામલાના વિભાગના એડિશનલ સેક્રેટરી નિધિ ખરે ને જ્વેલર્સ એસોસિએશન, વેપાર અને હોલમાર્કિંગ એકમનો પ્રતિનિધિ પણ તેમાં સામેલ હશે.
હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે.
હોલમાર્કિંગમાં બીઆઈએસની સીલની માહિતી હશે. કેરેટના ઝવેરાત બનવાનું વર્ષ, ઝવેરીનું નામ પણ નોંધવામાં આવશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડાયેલી છે. હોલમાર્કિંગથી સોનાના બજારમાં પારદર્શિતા પણ વધશે.
હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જોઈશું તો ઘરેણા પર 5 માર્ક જોવા મળશે. તેમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે 22k અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.
ઘરમાં રહેલા સોનાનું શું?
ગોલ્ડ હોલમાર્કિંગની ઘરમાં રહેલા સોના પર કોઈ અસર નહીં પડે. ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશે. હોલમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટેનો જરૂરી નિયમ છે. તેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)