શોધખોળ કરો

Ahmedabad: અમદાવાદ રેલ્વે સ્ટેશને જતા પહેલા આ સમાચાર વાંચી લેજો, જાણો સુરતની ઘટના બાદ કઈ સુવિધા કરવામાં આવી બંધ

અમદાવાદ: દિવાળી અને છઠ્ઠા પૂજાના કારણે હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન જઈ રહ્યા છે. જેના કારણે હાલમાં દરેક મોટા શહેરના રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે.

અમદાવાદ: દિવાળી અને છઠ્ઠા પૂજાના કારણે હજારોની સંખ્યામાં લોકો પોતાના વતન જઈ રહ્યા છે. જેના કારણે હાલમાં દરેક મોટા શહેરના રેલવે સ્ટેશનો પર ભીડ જોવા મળી રહી છે. તો બીજી તરફ આજે સુરત રેલવે સ્ટેશન પર દુર્ઘટના પણ ઘટી છે. ભારે ભીડના કારણે સુરત રેલવે સ્ટેશન પર કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા. આ ઉપરાંત એક મુસાફરનું મોત પણ થયું છે. હવે સુરતમાં બનેલી ઘટના બાદ અમદાવાદ ઝોન પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

 

તહેવારના સમયમાં મુલાકાતીઓ મુસાફરોને મુકવા રેલવે સ્ટેશનની અંદર  નહિ આવી શકે. મુસાફરોને મુકવા આવતા મુલાકાતીઓ માટે પાસ વ્યવસ્થા બંધ કરવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ રેલવે dysp એ Abp અસ્મિતાને આ અંગે એક્સકલુસીવ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં 5થી 6 હજાર પ્લેટફોર્મ પાસ માત્ર મુલાકાતીઓ માટે વપરાય છે. તહેવાર દરમિયાન મુલાકાતીઓ ટ્રેનના પ્લેટફોર્મ ઉપર નહિ જઈ શકે. દરેક પ્લેટફોર્મ ઉપર પ્રવેશ માટે અને બહાર નીકળવા અલગ અલગ વ્યવસ્થા છે. યુપી અને બિહાર જનાર ટ્રેનમાં મુસાફરોને અગાઉથી લાઈન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ અને રેલવે પોલીસના 5500 જેટલા કર્મચારીઓ તહેવાર દરમિયાન ખડે પગે રહેશે.

સુરત રેલવે સ્ટેશન પર અવ્યવસ્થાના કારણે પેસેજર્સને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે ભીડના કારણે ધસારામાં કેટલાક લોકો બેભાન થઇ ગયા હતા. સુરતમાં રેલવે સ્ટેશનનના અણઘડ વહીવટ અને વ્યવસ્થાનો નમુનો જોવા મળ્યો, અહીં દિવાળીના પર્વના કારણે હજારોની ભીડના કારણે દોડધામ મચી જતાં 4થી વધુ લોકોના શ્વાસ રૂંધાયા હતા. તો એકનું મોત થયું છે. જો કે આ સમયે સુરત રેલવે પોલીસની કામગીરી કાબિલે તારીફ રહી. અહીં મહિલા પોલીસ કર્મી સહિતના પોલીસ સ્ટાફે બેભાન થયેલા લોકોને પાણી છાંટી, માઉથ બ્રિધિંગ આપીને જીવ બચાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે,  પરિવાર સાથે વતનમાં  દિવાળીના પર્વની ઉજવણી માટે લોકો વતન જતાં હોય છે. જેના કારણે સુરત અમદાવાદ સહિતના રેલવે પ્લેટફોર્મ પર લોકોની ભીડ જોવા મળી હતી. જો કે રેલવે પ્રશાસનના અણઘડ વહિવટના કારણે સુરત રેલવે સ્ટેશન પર લોકોની જિંદગી દાવ પર લાગી હતી. એબીપી અસ્મિતા ન્યુઝે ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, અહીં સંવાદાતાએ પ્રવાસીઓ સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, ટિકિટ કન્ફર્મ હોવા છતાં પણ ભીડ અને ધસારાના કારણે પ્રવાસીઓ ટ્રેનમાં ચઢી શક્યા ન હતા તો કેટલાક લોકો ચાલતી ટ્રેને પણ ભીડમાં ટ્રેનમા જીવના જોખમે ચઢવો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.                     

પ્રવાસીઓને પોલીસે CPR આપીને બચાવ્યા  હતા                                            

ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં યાત્રીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. પોલીસના લાખ પ્રયાસ છતા પણ અવ્યવસ્થા સર્જાઈ હતી. રિઝર્વેશન સિવાય પણ અનેક યાત્રીઓ મુસાફરી કરતા હોવાથી  ધસારો થયો હોવાનો અનુમાન સેવાઇ રહ્યો છે, રિઝર્વ કોચમાં પણ રેગ્યુલર ટિકિટ પર  મુસાફરી થઇ રહી હોવાની અહેવાલ પણ મળ્યાં છે. તાપ્તી ગંગા ટ્રેન ઉપડે તે પહેલા સુરત રેલવે સ્ટેશન પર ભાગદોડ મચી હતી. આ સમય દરમિયાન બેભાન થયેલા પ્રવાસીઓને પોલીસને CPR આપીને બચાવ્યા  હતા. એક સાથે સુરત પ્લેટફોર્મ પર ચારથી પાંચ હજાર યાત્રીઓનો ધસારો થયો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
અમદાવાદમાં ACBની મોટી કાર્યવાહી: 36 હજારની લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેની ધરપકડ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Embed widget