શોધખોળ કરો

Ahmedabad : કેજરીવાલને ઘરે ભોજન માટે આમંત્રણ મામલે રીક્ષા ચાલકનો મોટો ધડાકો, મોદીની સભામાં આપી હાજરી

કેજરીવાલ જે ઓટો રિક્ષા ચાલકના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન આજે પ્રધાનમંત્રીની સભામાં પોતાના વિસ્તારના લોકોને લઇને આવવા નીકળ્યા છે. રીક્ષા ચાલક યુવકનો ભાજપનો ખેસ પહેરતો વીડિયો પણ સામે આવ્યો છે. 

અમદાવાદઃ કેજરીવાલ જે ઓટો રિક્ષા ચાલકના ઘરે ભોજન લેવા ગયા હતા, તે યુવાન આજે પ્રધાનમંત્રીની સભામાં પહોંચ્યા છે. તે પોતાના વિસ્તારના લોકોને લઇને સભામાં પહોંચ્યા છે. રીક્ષા ચાલક યુવકનો ભાજપનો ખેસ પહેરતો વીડિયો પણ સામે આવ્યો છે. આ રીક્ષા ચાલકનું નામ વિક્રમ દંતાણી છે. 

અમદાવાદના રીક્ષા ચાલક વિક્રમ દંતાણીએ જણાવ્યું હતું કે, હું પહેલીથી ભાજપમાં જોડાયેલા છે. હું મત નાંખવા શીખ્યો ત્યારથી ભાજપમાં જોડાયેલો છું. હું પહેલેથી મોદી સાહેબનો આશિક છું. મેં ખાલી કેજરીવાલને જમવાનું આમંત્રણ આપ્યું હતું અને તેમણે સ્વીકારી લીધું. મને ખબર નહોતી કે તે જમવા આવશે. તેઓ આવ્યા એટલે એમનું અપમાન ન થાય એટલે ઘરે જમાડીને મોકલી દીધા. બીજી કોઈ વાત કરી નથી. મેં પોતે એમ જ આમંત્રણ આપ્યું હતું. હું કોઈ પાર્ટીમાં જોડાયેલો નથી. હું પહેલેથી જ ભાજપ સાથે જોડાયેલો છે. અમારી આખી સોસાયટી ભાજપ સાથે છે. 
Ahmedabad : કેજરીવાલને ઘરે  ભોજન માટે આમંત્રણ મામલે રીક્ષા ચાલકનો મોટો ધડાકો, મોદીની સભામાં આપી હાજરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. આ સાથે મેટ્રો ટ્રેનના ફેઝ-1ને લોકો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. જોકે, લોકો 2જી ઓક્ટોબરથી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી શકશે. દુર્દર્શન મેટ્રો સ્ટેશન ખાતેથી મોદીએ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. હવે મેટ્રો ટ્રેન 40 કિ.મી.ના રૂટ પર દોડશે

આ પહેલા ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ પણ હાજર રહ્યા હતા. આ સિવાય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર. પાટીલ પણ હાજર રહ્યા હતા. તેઓ ટ્રેનમાં બેસીને કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તેમજ ત્યાંથી તેઓ મેટ્રો ટ્રેન પ્રસ્થાન કરાવવા પહોંચ્યા હતા. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર રેલવે સ્ટેશનથી મુંબઈ સુધીની સેમી હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવશે. સવારે સાડા દસ વાગ્યે વંદે ભારત ટ્રેનમાં સવાર થઈ PM મોદી ગાંધીનગરથી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન સુધી મુસાફરી પણ કરશે. દેશમાં વિકસિત કરવામાં આવેલ ટ્રેન કોલાઈઝન અવોઈડન્સ સિસ્ટમ એટલે કે KAVACH ટેક્નિકથી સજજ પહેલી ટ્રેન શૂન્યથી 100 કિ.મી સુધીની ઝડપ માત્ર 52 સેકન્ડમાં પ્રાપ્ત કરશે.

આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શરૂ થનારી વંદે ભારત ટ્રેન પ્રથમ વખત KAVACH ટેકનિકની મદદથી બે ટ્રેનની સામસામે થનારી અથડામણ જેવી દુર્ઘટનાઓ હવે અટકાવી શકાશે. આ ટેક્નિકને દેશમાં જ વિકસિત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે 2022ના બજેટમાં બે હજાર કિલોમીટર સુધીના રેલ નેટવર્કને કવચ હેઠળ લાવવાની યોજના વિશેની જાહેરાત કરી હતી. રેલવે મંત્રાલયે વંદે ભારત ટ્રેનના સત્તાવાર શેડ્યુલની જાહેરાત કરાઇ છે.  

Railway Station Alert Wakeup Alarm Service: ભારતીય રેલ્વે તેના મુસાફરોની નાની નાની સમસ્યાઓના નિરાકરણ માટે તમામ પ્રયાસો કરતી રહે છે. આ વખતે રેલવેએ મુસાફરોની સારી મુસાફરી માટે એક મોટી સેવા શરૂ કરી છે. આ સેવાના આગમન સાથે, હવે તમારી રાત્રિની મુસાફરીમાં ટ્રેનમાં સ્ટેશન મિસ થવાની ચિંતા સમાપ્ત થઈ જશે. તમે ટ્રેનમાં આરામથી સૂઈ શકો છો. સ્ટેશન પર તમારા આગમનની 20 મિનિટ પહેલાં રેલવે તમને જગાડશે. આ સાથે તમે તમારું સ્ટેશન ચૂકશો નહીં અને તમે આરામથી તમારી ઊંઘ પૂરી કરી શકશો.

ઘણી વખત લોકો ટ્રેનમાં ઊંઘી જાય છે, જેના કારણે તેઓ તેમનું સ્ટેશન ચૂકી જાય છે. આ સમસ્યાને દૂર કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે આ રાત્રિ દરમિયાન થાય છે. રેલવેએ ડેસ્ટિનેશન એલર્ટ વેકઅપ એલાર્મ સેવા શરૂ કરી છે.

માત્ર 3 રૂપિયામાં એલર્ટ મળશે

આ સુવિધા મુસાફરોને રાત્રે 11.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ માટે રેલવે તરફથી માત્ર 3 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે. જો તમે આ સેવા લો છો, તો તમારા સ્ટેશનની 20 મિનિટ પહેલા તમારા ફોન પર ચેતવણી મોકલવામાં આવશે. (Railway Station Alert Wakeup Alarm Service) જેથી કરીને તમે તમારો સામાન વગેરે યોગ્ય રીતે રાખી શકો અને સ્ટેશન પર પહોંચતા જ ટ્રેનમાંથી ઉતરી શકો.

આ રીતે ઉપયોગ કરો

ભારતીય રેલ્વેએ આ સુવિધા પૂછપરછ સેવા નંબર 139 પર શરૂ કરી છે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો પૂછપરછ સિસ્ટમ નંબર 139 પર એલર્ટ સુવિધા માટે પૂછી શકે છે.

આ સ્ટેપને અનુસરો

સૌથી પહેલા તમારે IRCTC હેલ્પલાઈન 139 પર કોલ કરવો જોઈએ.

જ્યારે ડેસ્ટિનેશન એલર્ટ સર્વિસ શરૂ કરવા માટે કૉલ આવે ત્યારે તમારી ભાષા પસંદ કરો.

ગંતવ્ય ચેતવણી માટે, પહેલા નંબર 7 અને પછી નંબર 2 દબાવો.

આ પછી, યાત્રી પાસેથી 10-અંકનો PNR નંબર પૂછવામાં આવશે.

PNR દાખલ કર્યા પછી, પુષ્ટિ કરવા માટે 1 ડાયલ કરો.

આ પ્રક્રિયા પછી, સિસ્ટમ PNR નંબરની ચકાસણી કરો અને વેકઅપ એલર્ટ ફીડ કરો.

તેનો કન્ફર્મેશન એસએમએસ પેસેન્જરના મોબાઈલ પર પ્રાપ્ત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Advertisement

વિડિઓઝ

Independence Day at Sea : પોરબંદરના દરિયામાં આન-બાન-શાન સાથે લહેરાયો તિરંગો, જુઓ અહેવાલ
Gujarat Politics : ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું, કોંગ્રેસના આરોપ પર ભાજપનો વળતો પ્રહાર
Gujarat Rain Data : આજે ગુજરાતના 55 તાલુકામાં પડ્યો વરસાદ, જુઓ ક્યાં કેટલો નોંધાયો વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ફાસ્ટેગ આજથી કેટલું સસ્તું?
Hun To Bolish : હું તો બોલીશ : મોટાપાથી આઝાદી ક્યારે?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં વરસાદની આગાહી, અમદાવાદમાં વહેલી સવારથી મેઘમહેર
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
અલાસ્કામાં ન થઈ યુદ્ધવિરામની જાહેરાત, ટ્રમ્પ અને પુતિન વચ્ચે 3 કલાક સુધી ચાલી બેઠક, રશિયન રાષ્ટ્રપતિએ રાખી આ શરત
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Krishna Janmashtami 2025: આજે કૃષ્ણ જન્માષ્ટમી, જાણો પૂજા મુહૂર્તથી લઈને સામગ્રી, વિધિ સુધીની બધી માહિતી
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Janmashtami 2025: નિર્જળા કે ફલાહાર કેવીરીતે કરવો જન્માષ્ટમીનો ઉપવાસ, ભૂલથી ઉપવાસ તૂટી જાય તો શું કરવું
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
Congress: કોંગ્રેસે ચાર રાજ્ય માટે નિરીક્ષકોની કરી નિમણૂક, ગુજરાતના 10થી વધુ નેતાઓને સોંપાઈ જવાબદારી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
રાજકોટના મેળામાં 34માંથી 11 રાઈડ્સ શરૂ, હજુ 23 રાઈડ્સને નથી મળી મંજૂરી
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
IPL 2025માં શાનદાર પ્રદર્શન છતાં એશિયા કપમાં નહીં મળે સ્થાન? આ 5 ખેલાડીઓ પર મોટો ખતરો
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Embed widget