શોધખોળ કરો

ફરી કોરોનાની લહેરનો ડર! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300 ICU બેડની વ્યવસ્થા કરવા સૂચના

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી. આગામી 24 થી 48 કલાકમાં વોર્ડ ઉભો કરવા સૂચના આપવામાં આવી છે.

Corona Cases In Gujarat: કોરોનાના નવા વેરીએન્ટ માટે રાજ્ય સરકારની સૂચના બાદ સરકારી હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે તૈયારીઓ. AMC સંચાલિત SVP હોસ્પિટલ બાદ સિવિલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોરોનાની ત્રણ લહેરમાં 80000 જેટલા દર્દીઓની સારવાર બાદ વધુ એક વખત સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક, દવાઓનો જથ્થો પર્યાપ્ત માત્રામાં રાખવા સૂચના આપવામાં આવી છે.

આગામી 24 થી 48 કલાકમાં કોરોના માટેના 60 બેડ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. જો કે કોરોનાના નવા વેરિયન્ટ મામલે રાહતના સમાચાર એ પણ છે કે છેલ્લા એક સપ્તાહમાં પોઝિટિવ આવેલા સાત દર્દીઓ પૈકી તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે.

સિવિલ પ્રશાસનની તૈયારીઓ

  • 20 હજાર લીટરની બે ઓક્સિજન ટેન્ક
  • 650 કન્સ્ટ્રેટર તૈયાર રાખવા માટે વિભાગીય વડાઓને સુચના
  • 300 ICU બેડની વ્યવસ્થા આગામી 24 થી 48 કલાકમાં તૈયાર કરવા સૂચના
  • 500 વેન્ટિલેટર જેટલા બેડ તૈયાર રાખવા સૂચના
  • 5300 લીટર પ્રતિ મિનિટ ઉત્પાદન કરી શકે તેવા સાત ઓક્સિજન પ્લાન્ટ

દેશમાં કોરોનાના નવા કેસોએ ફરી એકવાર તણાવ વધારી દીધો છે. દરમિયાન, કોવિડ-19ના સબ-વેરિઅન્ટ JN.1ના 21 કેસની પુષ્ટિ થઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સત્તાવાર સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે સબ-વેરિઅન્ટ JN.1ના નવા 21 કેસમાંથી 19 ગોવામાં નોંધાયા છે. કેરળ અને મહારાષ્ટ્રમાં એક-એક કેસ નોંધાયો છે.

કોરોનાના નવા કેસો અંગે નીતિ આયોગ (સ્વાસ્થ્ય)ના સભ્ય વીકે પોલે કહ્યું કે ગભરાવાની જરૂર નથી. પોલે કહ્યું કે કોરોનાથી પ્રભાવિત લગભગ 91 થી 92 ટકા લોકો ઘરે સારવાર પસંદ કરી રહ્યા છે.

દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુધાંશ પંતે કહ્યું કે કેસ વધી રહ્યા હોવા છતાં, 92.8 ટકા કેસોની સારવાર ઘરે થઈ રહી છે, જે હળવા રોગને સૂચવે છે. ઉપરાંત, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોરોના વાયરસના JN.1ને 'રુચિનું ચલ' ગણાવ્યું અને કહ્યું કે તેનાથી વધારે જોખમ નથી.

તૈયારીઓ અંગે બેઠક

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ બુધવારે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે બેઠક યોજી હતી. મંડવિયાએ બેઠક બાદ કહ્યું હતું કે કોઈપણ પ્રકારના પડકારનો સામનો કરવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે.

દેશમાં કેટલા કેસ નોંધાયા?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોના વાયરસના 614 નવા કેસ નોંધાયા છે. આ સાથે, કોવિડ -19 દર્દીઓની સંખ્યા વધીને 2,311 થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિ સુધી કેવો રહેશે આજનો દિવસ? જાણો 13 ડિસેમ્બર 2025નું રાશિફળ
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
ચૂંટણી પંચનો SIR ને લઈ વધુ એક મોટો નિર્ણય, 8 રાજ્યોમાં SRO ની નિમણૂક, જાણો શું કરશે કામ ?
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
કેંદ્ર સરકારે બદલ્યું મનરેગાનું નામ, રોજગાર નિયમોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો, જાણો ડિટેલ્સ 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
Gold Silver Price: ચાંદીએ ઈતિહાસ રચ્યો! પ્રથમ વખત 2 લાખને પાર, સોનાની કિંમતોમાં પણ મોટો ઉછાળો 
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
ડાયાબિટીસમાં જો શરૂઆતના આ લક્ષણોને સમયસર ઓળખી લેશો તો રહેશો ફાયદામાં,જાણો તેના વિશે
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
SBIની આ FD સ્કીમમાં 2 લાખ જમા કરાવશો તો મેચ્યોરિટી પર મળશે આટલા પૈસા, જાણો ડિટેલ્સ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
વિટામિન B12 ની ઉણપમાં ચહેરા પર જોવા મળે છે આ ગંભીર લક્ષણો, ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
PM Kisan 22nd Installment: ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 22મો હપ્તો, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget