શોધખોળ કરો

કોરોનાનો કહેર વધતા અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા વધી, ગઈકાલે વધુ 19 સ્થળ ઉમેરાયા

બોપલ, ખોખરા અને ઘોડાસરમાં 3 વિસ્તારોમાંથી માઈક્રો કન્ટેઈમેંટ દુર કરાયા છે.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈમેંટ ઝોનની સંખ્યા પણ સતત વધી રહ્યા છે. સોમવારે શહેરના વધુ 19 સ્થળોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોન તરીકે જાહેર કરાઈ છે. આ સાથે શહેરમાં કુલ 159 માઈક્રો કન્ટેઈમેંટ વિસ્તાર થઈ ગયા છે. શહેરના થલતેજ વોર્ડમાં આવેલા ઈંદ્રપ્રસ્થ ટાવરમાં સૌથી વધુ 64 મકાનો અને ઘોડાસરમાં 54 મકાનો માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમા મુકાયા છે. સરદારનગરની પુષ્કર હોમ્સમાં 20 મકાનો, જોધપુરની આરોહી ઈલીસ્યુમમાં 4 મકાનો, જોધપુરનીરોઝવુડમાં 8 મકાનો, જીવરાજપાર્કની અવનિપાર્કમાં 16 મકાનો, વટવાની મોહજગર સોસાયટીમાં 7, ઘોડાસરની શ્રીરામ સોસાયટીમાં 9 મકાનો, ઘોડાસરની રાણા સોસાયટીમાં 15, ધર્મદેવનગરમમાં 12 અને આનંદ સોસાયટીમાં 8 મકાનોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.

જ્યારે મણીનગરના શ્યામ એપાર્ટમેંટમાં 12, ચાંદખેડાની શારદાકૃપા સોસાયટીમાં 8, ચાંદખેડાની દેવભૂમિ સોસાયટીમાં 3, પાલડીના સુગમ એવન્યૂમાં 4, નવરંગપુરાના પુષ્પક ટાવરમાં 3, બોડકદેવના સંતુર બંગ્લોઝમાં 8 મકાનોને માઈક્રો કન્ટેઈમેંટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે. જ્યારે બોપલ, ખોખરા અને ઘોડાસરમાં 3 વિસ્તારોમાંથી માઈક્રો કન્ટેઈમેંટ દુર કરાયા છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 1640 નવા કેસ નોંધાયા છે. આ પહેલા 27 નવેમ્બરના રોજ 1607 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348, લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.74 ટકા પર પહોંચ્યો છે. હાલ 7847 એક્ટિવ કેસ છે, જેમાંથી 73  લોકો વેન્ટિલેટર પર અને 7774 લોકો સ્ટેબલ છે.

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2 મળી કુલ 4 દર્દીના મૃત્યુ થયા છે.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4454 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1640  કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4  લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

અમદાવાદ કોર્પોરેશનમાં 481, સુરત  કોર્પોરેશનમાં 429, વડોદરા કોર્પોરેશનમાં 139, રાજકોટ કોર્પોરેશનમાં 126, સુરતમાં 54, ખેડા 41, રાજકોટ 26, ભાવનગર કોર્પોરેશન -23, દાહોદ 23 , પંચમહાલ 23, જામનગર કોર્પોરેશન 22, વડોદરા 20, ગાંધીનગર કોર્પોરેશન 19, કચ્છ 17, મોરબી 17, નર્મદા 16, ગાંધીનગર 15, પાટણ 15, ભરૂચ 14, મહેસાણા 12, અમરેલી 10, આણંદ 9, ભાવનગર 9, જુનાગઢ કોર્પોરેશન 9, ગીર સોમનાથ અને નવસારી 8-8 કેસ નોંધાયા હતા.

ગઈકાલે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ ?

અમદાવાદ કોર્પોરેશનમાં 351, સુરત કોર્પોરેશનમાં 296, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 81, સુરતમાં 13, ખેડા 22, ભાવનગર કોર્પોરેશન 16, પંચમહાલમાં 7, સાબરકાંઠા 5, મહેસાણા 27, રાજકોટ 16, વડોદરા 22, જામનગર કોર્પોરેશન 16, કચ્છ 11, અમદાવાદ 5 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાજ્યમાં 1110 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,76,348 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 32,74,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,03,693 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 2,32,831 લોકોને રસી આપવામાં આવી છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,22,186 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | નવરાત્રિમાં આવશે વાવાઝોડું!, અંબાલાલ પટેલની ભયંકર આગાહીAmit Shah Gujarat Visit | આજથી અમિત શાહ બે દિવસ ગુજરાત મુલાકાતે, જાણો શું છે કાર્યક્રમ?Israel-Iran War News | ઈરાન- ઈઝરાયલ યુદ્ધના લીધે શેર માર્કેટ પર મોટી અસર | Abp AsmitaGujarat Heavy Rain Forecast | પહેલા નોરતે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ?, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
Ahmedabad Police: હવે AIની મદદથી ગુનેગારોને પકડશે અમદાવાદ પોલીસ, અત્યાધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શરૂ
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
રાજ્યમાં ૧૯૦૩ સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, ૫ ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી શરૂ થશે
NDAમાં સટાસટી! JDUએ કહ્યું  'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
NDAમાં સટાસટી! JDUએ કહ્યું 'કેન્દ્રની સત્તાની ચાવી અમારી પાસે છે', BJP ભડકી, કહ્યું - 'કોંગ્રેસથી...'
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
હરિયાળામાં ભારે ઉથલપાથલ! બીજેપીને આંચકો આપીને બે કલાકમાં ફરી કોંગ્રેસમાં જોડાયા અશોક તંવર, જાણો ઈનસાઈડ સ્ટોરી
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
નોસ્ટ્રેડેમસની ભયાનક આગાહી આ ઓક્ટોબરમાં સાચી પડશે? એવો ભયાનક વિનાશ થશે કે....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Haryana Elections: 'જંગલમાં સિંહ એકલો', હરિયાણામાં રાહુલ ગાંધીએ અમેરિકાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું....
Ahmedabad: દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની આ હોસ્પિટલમાં પ્રારંભ
Ahmedabad: દેશના પ્રથમ ટેલિ-રિહેબિલિટેશન સેન્ટરનો અમદાવાદની આ હોસ્પિટલમાં પ્રારંભ
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા
Stock Market Crash: શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 1800 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના 10.50 લાખ કરોડ સ્વાહા
Embed widget