![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારત-પાક T20 મેચ પર ઔવૈસીનો કટાક્ષ, કહ્યું, ‘સરહદ પર 9 જવાન શહીદ થઇ ગયા અને આપણે T20 રમી રહ્યાં છીએ
જમ્મુ કાશ્મીરની સ્થિતિ જોતા AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ 24 ઓક્ટોબરે થનાર ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કર્યો છે.
![ભારત-પાક T20 મેચ પર ઔવૈસીનો કટાક્ષ, કહ્યું, ‘સરહદ પર 9 જવાન શહીદ થઇ ગયા અને આપણે T20 રમી રહ્યાં છીએ Asaduddin owaisi comment on upcoming india pak-t20 match ભારત-પાક T20 મેચ પર ઔવૈસીનો કટાક્ષ, કહ્યું, ‘સરહદ પર 9 જવાન શહીદ થઇ ગયા અને આપણે T20 રમી રહ્યાં છીએ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/19/03018a9ef6f6ea42523a588a0b457d27_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ 24 ઓક્ટોબરે થનાર ભારત-પાકિસ્તાન મેચનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે કે, જમ્મુ કાશ્મીરમાં દેશના 9 જવાન શહીદ થઇ ગયા અને 24 તારીખે ભારત પાકિસ્તાનનો T20 મેચ યોજાશે. તેમણે કહ્યું કે, શું PM મોદીજીએ ન હતું કહ્યું કે, ‘ ફોજ મર રહી હૈ ઔર મનમોહન સરકાર બિરયાની ખિલા રહી હૈ’ અને હવે સીમા પર આપણા જવાન મરી રહ્યાં છે અને આપણે T20 રમી રહ્યાં છીએ”
#WATCH | PM Modi never speaks on 2 things -- rise in petrol and diesel prices & China sitting in our territory in Ladakh. PM is afraid of speaking on China. Our 9 soldiers died (in J&K) & on Oct 24 India-Pakistan T20 match will happen: AIMIM chief Asaduddin Owaisi, in Hyderabad pic.twitter.com/Q0AabFZ0BU
— ANI (@ANI) October 19, 2021">
ઓવૈસીએ કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં લોકો સાથે T20 રમી રહ્યું છે. ગરીબ શ્રમિકોની હત્યા થઇ રહી છે. આ સ્થિતિમાં ઇન્ટિલેજન્સ બ્યુરો અને અમિત શાહ શું કરી રહ્યાં છે. એલઓસી પર આપે એવું સીઝફાયર કર્યું કે, હવે ડ્રોનથી હથિયાર આવે છે. આર્ટિકલ 370 હટાવતી વખતે આપે શું કહ્યું હતું કે, કાશ્મીરમાં આતંકવાદ ખતમ થઇ જશે. અત્યાર જે કાશ્મીરની સ્થિતિ છે. તે મોદી સરકારની નિષ્ફળતાનો ચિતાર માત્ર છે”.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)