હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારની કાર ઊંડી ખીણમાં ખાબકતા અકસ્માત થયો હતો, જેમાં 6 લોકોના મોત થયા અને 4 ઈજાગ્રસ્ત થયા.
ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, વાહન ખીણમાં ખાબકતા પાંચના મોત
ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો હતો.

- ભાવનગરના પરિવારની કાર હિમાચલમાં ઊંડી ખીણમાં ખાબકી.
- અકસ્માતમાં ડ્રાઈવર સહિત 6 લોકોના ઘટનાસ્થળે મોત.
- ચાર ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા.
- ઝડપી ગતિ અને નિયંત્રણ ગુમાવવાથી થયો હોવાનું પ્રાથમિક અનુમાન.
ભાવનગરના પરિવારને હિમાચલમાં અકસ્માત નડ્યો હતો. મળતી જાણકારી અનુસાર, હિમાચલ ફરવા ગયેલા ભાવનગરના પરિવારને અકસ્માત નડ્યો હતો. વાહન ખીણમાં ખાબકતા 5 લોકોના મોત થયા હતા અને ચાર ઈજાગ્રસ્ત થયા હતા. ભાવનગરથી નવ લોકો ફરવા માટે હિમાચલપ્રદેશ ગયા હતા. હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે અકસ્માત થયો હતો. હિમાચલ પ્રદેશના ચંબા-નૂરપુરના નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. જેમાં જેમાં હિમાચલના એક ડ્રાઈવર અને ગુજરાતના 5 લોકોનાં મોત થયા છે અને ઈજાગ્રસ્ત 4 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર ભાવનગરનો પરિવારની કાર ચંબા નજીકના હાઈવે પર અચાનક નિયંત્રણ ગુમાવી ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. વાહનમાં ડ્રાઈવર, બાળકો સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇનોવા કારમાં ગુજરાતના પ્રવાસીઓ મનાલીથી ડેલહાઉસી જઈ રહ્યા હતા. અકસ્માત સમયે ભારે વરસાદ પણ પડી રહ્યો હતો. ચંબાના પોલીસ અધિક્ષક વિજય કુમાર સકલાનીએ જણાવ્યું હતું કે, અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 4ને માથામાં ઈજા થઈ હતી. પોલીસે ખીણમાંથી તમામ મૃતદેહો બહાર કાઢ્યા હતા અને તેમને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પોલીસે કહ્યું કે પહાડી રસ્તા પરના વળાંક પાસે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. કાર રસ્તાથી સેંકડો ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી. ઘટનાની માહિતી મળતાં પોલીસ, વહીવટીતંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક રહેવાસીઓની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ભારે પ્રયાસો પછી ઘાયલો અને મૃતકોને ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. પ્રાથમિક તપાસ સૂચવે છે કે પહાડી રસ્તા પરના વળાંક પર ઝડપી ગતિ અને નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત થયો હતો. જોકે, પોલીસ અકસ્માતના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. અકસ્માત બાદ થોડા સમય માટે રસ્તો પણ બંધ રહ્યો હતો.
Frequently Asked Questions
હિમાચલમાં ભાવનગરના પરિવાર સાથે શું થયું?
અકસ્માત ક્યાં થયો અને કેટલા લોકો મુસાફરી કરી રહ્યા હતા?
આ અકસ્માત હિમાચલના ચંબા નજીક કિંકરી ગામ પાસે થયો હતો. કારમાં ડ્રાઈવર સહિત કુલ 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા.
અકસ્માતનું કારણ શું હોઈ શકે છે?
પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, પહાડી રસ્તા પરના વળાંક પર ઝડપી ગતિ અને નિયંત્રણ ગુમાવવાને કારણે અકસ્માત થયો હોવાનું મનાય છે.
ઈજાગ્રસ્તોને શું સારવાર મળી રહી છે?
ઈજાગ્રસ્ત 4 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.





















