શોધખોળ કરો

આજે ભાવનગરનો 300મો જન્મદિવસઃ જાણો ભાવેણાના રાજવીઓની દિર્ઘદૃષ્ટિ સાથે બનેલા ભાવનગરનો ભવ્ય ઈતિહાસ

આજે ભાવનગર શહેરની સ્થાપનાને 299 વર્ષ પૂર્ણ થઈને 300મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભવ્ય રીતે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આજે ભાવનગર શહેરની સ્થાપનાને 299 વર્ષ પૂર્ણ થઈને 300મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે ભવ્ય રીતે ભાવનગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 224 વર્ષ સુધી ભાવનગરમાં રાજવીનું શાસન રહ્યું એ દરમિયાન સુખ સુવિધાઓ સહિત તમામ બાબતોમાં ભાવનગર નંબર 1 પર હતું. 

ભાવનગરનો ભવ્ય ઈતિહાસઃ
ભાવેણાના રાજવીઓએ "મારી પ્રજાનું કલ્યાણ થજો" આ મંત્રને અપનાવ્યો હતો. રાજાશાહીમાં પણ લોકશાહી હતી. ભાવસિંહજીએ ભાવનગરની સ્થાપના કરી હતી અને ત્યારબાદ ઉતરોત્તર રાજવીઓએ પ્રજાના કલ્યાણ અર્થે સુખ સુવિધાઓને આગળ ધપાવી હતી. પ્રાતઃસ્મરણીય કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરનો ભરપૂર વિકાસ કર્યો છે. સમગ્ર દેશમાં પ્રથમ અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન તેમના શાસનકાળ દરમિયાન નાખવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલ માટે પણ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવી હતી, આજે શહેરની જીવાદોરી સમાન બોરતળાવનું નિર્માણ રાજાશાહી સમય વખતે કરવામાં આવ્યું અને બોરતળાવમાં ભરપૂર વરસાદ વરસે અને પાણીની આવક થાય એ માટે વિક્ટોરિયા પાર્ક માં અનેક વૃક્ષોનું વાવેતર કરીને તેનું જતન કરવામાં આવ્યું આવતું હતું.

દુષ્કાળના સમયમાં પ્રજાજનોને અનાજની કોઈ તકલીફ ના પડે એ માટે દરબારી કોટાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સૌપ્રથમવાર ભાવનગર રાજવીએ પંચાયતી રાજની સ્થાપના કરી હતી. સાથેજ લોકોને પત્રવ્યવહાર દ્વારા એકબીજાને સમાચાર પહોંચી શકે તે માટે પોસ્ટલ વ્યવસ્થા પણ શરૂ કરવામાં આવી હતી. એટલું જ નહીં પામેલાના રાજવીઓએ માત્ર છોકરાઓ જ નહીં પરંતુ દીકરીઓને પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકે એ માટે શાળાઓ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ગૌરવની વાત એ છે કે મહાત્મા ગાંધીજીએ પણ ભાવનગરમાં શિક્ષણ મેળવ્યું હતું. 

લોકોને પૂરતા પ્રમાણમાં વાંચન મળી રહે એ માટે બાર્ટન લાઇબ્રેરીનું નિર્માણ પણ રાજાશાહી સમય દરમિયાન કરવામાં આવ્યું હતું. શહેરની મધ્યમાં વિશાળ જગ્યામાં અનેક વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણીના હેતુ સાથે પીલગાર્ડન કે જે આજે શહેરનું સૌથી મોટું ગાર્ડન તરીકે જાણીતું છે એ પણ રાજવીની દીર્ઘદ્રષ્ટિના કારણે પ્રજાજનોને અર્પણ કરવામાં આવ્યું છે. આયુર્વેદનું શિક્ષણ મળી રહે એ માટે આયુર્વેદિક કોલેજનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું તેની સાથોસાથ ભાવનગરના 1800 પાદરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દર્દ હોય તેના માટે સર તખ્તસિંહજી હોસ્પિટલનું બહુ જ મોટું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું હતું જે આજે પુરા સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે.

રેલવેની સુવિધા ભાવનગરના રાજવીઓએ ઊભી કરી હતી. નાણાંની લેવડદેવડ માટે રાજવી બેંકની સ્થાપના કરવામાં આવી હતી જે ત્યારબાદ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને આજે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના નામે ઓળખાય છે. આને રાજાશાહીમાં લોકશાહી સાચા અર્થમાં કહી શકાય એવા ભાવનગરના રાજવીઓ હતા. ભાવનગરના રાજવીઓએ 224 વર્ષના રાજાશાહીમાં ઉતરોતર પ્રગતિ તરફ આગળ ધપાવ્યું છે, કૃષ્ણકુમારસિંહજીએ પલક જપકતા જ લોકોને આઝાદીના મીઠા સ્વાદ મળે તેવા હેતુ સાથે આઝાદીના પક્ષમાં પ્રથમ રજવાડું દેશ માટે અર્પણ કર્યું હતું એ ભાવનગર છે. ભારતમાં સૌપ્રથમ રક્તપિત્તના દરદીઓ માટે સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે લોકશાહીના 75 વર્ષમાં કોંગ્રેસ-ભાજપ બંને સત્તા સ્થાને રહ્યા હોવા છતાં રાજવીની ધરોહરને સાચવવામાં અનેક પ્રકારે નિષ્ફળ રહ્યા હોવાનું કહી શકાય.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Embed widget