શોધખોળ કરો

Bhavnagar : કાળુભાર ડેમ થયો ઓવરફલો, આ 9 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

Bhavnagar News: વલભીપુરના રાજસ્થળી જ્યારે ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા, ચોગઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

Bhavnagar: ભાવનગરનો કાળુભાર ડેમ ઓવર ફ્લો થતાં ડેમનો દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલીને 300 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. સરકારી વિભાગ દ્વારા ભાવનગરના નવ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વલભીપુર તાલુકાનું એક ગામ અને ઉમરાળા તાલુકાના આઠ ગામને સાવચેત રહેવા જણાવાયું છે. વલભીપુરના રાજસ્થળી જ્યારે ઉમરાળા તાલુકાના ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા, ચોગઠ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગોહિલવાડમાં એક અઠવાડિયા સુધી અનરાધાર વરસેલી મેઘરાજાની હેતના કારણે જિલ્લામાં સરેરાશ સાત ઈંચથી વધુ જેટલો વરસાદ વરસી ગયો હતો. ચોમાસાના આરંભે જ સાર્વત્રિક મેઘમહેર વરસી જતાં જળાશયોમાં પણ નવા નીરની આવક થઈ છે. જેના કારણે આ વર્ષે ચોમાસુ સારૂ રહેશે તેવી ખેડૂતોએ આશા બાંધી છે જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી ઉનાળામાં પાણીનો પ્રશ્ન નહીં રહે તેવું લાગી રહ્યું છે.


Bhavnagar : કાળુભાર ડેમ થયો ઓવરફલો, આ 9 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લાના કેટલાક ડેમ વિસ્તારમાં સારો વરસાદ પડી રહ્યો છે, જેના પગલે તમામ ડેમમાં હાલ પાણીની આવક શરૂ છે. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમની સપાટી 25 ફૂટને પાર કરી ગઈ છે પરંતુ હાલ પાણીની આવક ઘટી ગઈ છે અને ધીમીધારે પાણીની આવક શરૂ છે. ભાવનગર અને બોટાદ જિલ્લાના 8 ડેમમાં ઝરમરથી લઈ અઢી ઇંચ વરસાદ પડયો છે. 


Bhavnagar : કાળુભાર ડેમ થયો ઓવરફલો, આ 9 ગામોને કરવામાં આવ્યા એલર્ટ

જુનાગઢ અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં બે દિવસ સારો વરસાદ પડયો હતો અને આ વિસ્તારનુ વરસાદી પાણી ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાં આવતુ હોય છે. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં આવેલ છે. ધારી ખોડીયાર ડેમ શનિવારે સાંજે છલકાઈ ગયો હતો તેથી આ ડેમનુ પાણી છોડવામાં આવ્યુ હતું. ધારી ખોડીયાર ડેમનુ પાણી શેત્રુંજી ડેમમાં આવતા રવિવારે મોડીરાત્રથી ધસમસતી પાણીની આવક શરૂ હતી. હાલ પાણીની આવક ઘટી ગઈ છે તેથી પાણીની સપાટીમાં ધીમો વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ફરી ઉપરવાસમાં વરસાદ પડશે તો શેત્રુંજી ડેમમાં પાણીની આવક વધશે. ચોમાસા પૂર્વે શેત્રુંજી ડેમમાં 15.10 ફૂટ પાણી હતુ પરંતુ છેલ્લા થોડા દિવસથી ઉપરવાસમાં સારો વરસાદ પડતા શેત્રુંજી ડેમમાં 10 ફૂટથી વધુ પાણીની આવક થઈ છે તેથી ભાવનગર જિલ્લાના લોકોમાં આનંદની લાગણી ફરી વળી છે. શેત્રુંજી 34 ફૂટે ઓવરફલો થશે.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રીRahul Gandhi In Gujarat: રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
China Foreign Minister: ચીને જાપાનને અપાવી હિરોશિમા-નાગાસાકીની યાદ, પરમાણુ બોમ્બ ફેંકવાની આપી ધમકી આપી
Gold Rate Today : સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ 
Gold Rate Today : સસ્તું થયું સોનું, ચાંદીની કિંમતમાં પણ ઘટાડો, જાણી લો લેટેસ્ટ ભાવ 
Embed widget