શોધખોળ કરો

Biparjoy Cyclone: ભાવનગરમાં કુદરતી આફતે લીધો બે લોકોનો ભોગ, પશુઓને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા

Biparjoy Cyclone: ભાવનગરમાં કુદરતી આફતે બે લોકોનો ભોગ લીધો છે. ભાવનગરના ભંડાર ગામ નજીક નદી નાળાનાં પાણીમાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા છે.

Biparjoy Cyclone: ભાવનગરમાં કુદરતી આફતે બે લોકોનો ભોગ લીધો છે. ભાવનગરના ભંડાર ગામ નજીક નદી નાળાનાં પાણીમાં પોતાના માલઢોરને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા છે. અનરાધાર વરસાદના કારણે ભંડાર અને સોડવદરા ગામ નજીક પાણી ભરાયા છે. મળતી માહિતી મુજબ બંને મૃતક સોડવદરા ગામના હોવાની જાણકારી મળી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં બિપરજોય વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે ટકરાયું છે અને તેના લેન્ડફોલ શરુઆતથી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલની પ્રક્રિયા શરુ

 વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું છે. ગુજરાતમાં લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 12 km ની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. વાવાઝોડું જખૌ પોર્ટ પર ગમે ત્યારે ટકરાશે. હાલમાં 115 થી 125 km ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જો કે, જેમ જેમ વાવાઝોડું આગળ વધશે તેમ તેમ હવનની ગતિ વધી શકે છે અને 140 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આઈએમડીના જણાવ્યા પ્રમાણે મિડ નાઈટ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલશે. આગામી 4 કલાકમાં વાવાઝોડું પૂરું લેન્ડફોલ થાય તેવી શકયતા છે. માંડવી કચ્છ જખૌ પોર્ટ પાસે લેન્ડફોલ થશે. આ વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ અને સૌરાષ્ટ્રમાં જોવા મળશે. ગુરુવાર,શુક્રવાર અને શનિવારે વરસાદ પડશે.

 

બનાસકાંઠામાં છવાયો વરસાદી માહોલ

બિપરજોય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂથતાં જ સરદીય પંથકમાં વરસાદ તૂટી પડ્યો છે. થરાદ,વાવ, સુઇગામ પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. થરાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 

ગુજરાત જ નહીં આ રાજ્યોને પણ ધમરોળશે બિપરજોય

ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાનું શરૂ કર્યું છે. આ વાવાઝોડું આજે રાત્રે કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક ભારે વિનાશ સર્જી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું હતું કે, આ વાવાઝોડાની ઝડપ મહત્તમ 140 કિલોમીટર પ્રતિ કલાકની હોઈ શકે છે. તેની આડઅસરથી બચવા માટે ગુજરાત ઉપરાંત અન્ય કેટલાક રાજ્યોએ પણ તૈયારી કરી લીધી છે. હવામાન શાસ્ત્રીઓનું અનુમાન છે કે, લેન્ડફોલ કર્યા પછી ચક્રવાતની ગતિ ઘટશે. તે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતા પહેલા દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનને અસર કરશે. ચક્રવાતને કારણે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, નવી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ચાર દિવસ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે આપી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget