શોધખોળ કરો

Bhavnagar News: ધરપકડ બાદ યુવરાજસિંહે આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું....

Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ.

Bhavnagar News: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પોતાની ધરપકડ બાદ પહેલું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મે કોઈ પૈસા લીધા નથી. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, હું કાયદાકીય પ્રક્રિયા કરતો રહિશ. નોંધનીય છે કે, યુવરાજસિંહ જાડેજાને આજે ભાવનગર પોલીસ કોર્ટમાં રજૂ કરશે. બપોરે 4થી 4:30 વચ્ચે યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરાશે. તોડકાંડ અંગે યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માગણી કરશે.

 

ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ અટકાયત

ડમી તોડકાંડમાં છેલ્લા 24 કલાકમાં યુવરાજસિંહ સહિત ચારની ધરપકડ કરી હતી. યુવરાજનો સાળો કાનભા ગોહિલ સુરતના અઠવા ઝોનમાંથી ઝડપાયો હતો. ઘનશ્યામ અને બિપીન ત્રિવેદીની પણ ભાવનગર પોલીસે અટકાયત કરી હતી.

યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો

યુવરાજસિંહ જાડેજાના સાળાને સુરતથી ઝડપી લેવામાં આવ્યો હતો. સુરતથી કાનભા ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી. કાનભા ગોહિલ પર ઘનશ્યામ સાથે મળી રૂપિયા પડાવવાનો આરોપ છે. 3 એપ્રિલે વિક્ટોરિયા બિલ્ડિંગના પાર્કિંગમાં ઘનશ્યામે કાનભાને 17 લાખ રૂપિયા ભરેલી બેગ આપી હતી. નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઇઆરમાં કાનભા ત્રીજા નંબરનો આરોપી છે. કાનભા મૂળ ઘોઘા તાલુકાના ભીકડા ગામનો રહેવાસી છે. સુરત પીસીબીની મદદથી ભાવનગર એસઓજીએ કાનભાને ઝડપ્યો હતો.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ડમીમાં તોડકાંડ મામલે ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રકાશ દવે પાસેથી 45 લાખ તો પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ મળી 1 કરોડ વસૂલ્યાની ફરિયાદ નોંધાઇ છે. મોડી રાત્રે એક વાગ્યાને 20 મિનિટે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે.

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. યુવરાજસિંહ સામે ફરીયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ સિંહ વિરૂદ્ધ કલમ 388,386 અને 120b હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલમાં યુવરાજસિંહ જાડેજા,કાનભા ગોહિલ, શિવુભા ગોહિલ, ઘનશ્યામ લાધવા અને  રાજુ નામ ધરાવતી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.

ભાવનગરના રેન્જ આઇજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 19મી તારીખે યુવરાજસિંહને સમન્સ પાઠવી બોલાવવામાં આવ્યા હતા. ફરીથી 21 તારીખે પણ  સમન્સ આપ્યું હતું અને  ઘણા મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવી હતી. સૌથી પહેલા યુવરાજસિંહને સમય આપવામાં આવ્યો હતો કે, તે જે માહિતી હોય તે પોલીસને આપે. 2 પાનામાં કેટલાક નામ લખી યુવરાજસિંહે પોલીસને આપ્યા છે. આ બાબતે પોલીસ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે. યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી  રૂ. 1 કરોડ જબરદસ્તીથી કઢાવ્યાનો આરોપ તેમના પર લગાવવામાં આવ્યો છે.

પૂર્વ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી પર લગાવ્યાં ગંભીર આરોપ

ડમી કાંડમાં તોડ કાંડ મામલે યુવરાજસિંહ ભાવનગર SOG સમક્ષ હાજર થયા હતા આ પહેલા  યુવરાજસિંહ મંદિરમાં દર્શન કર્યા બાદ પગપાળા કૂચ કરી એસઓજી પહોંચ્યાં હતા.   યુવરાજસિંહે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને હેરાન ના કરો. હું તમામ પ્રશ્નોના જવાબ આપીશ. હું તપાસમાં સહયોગ કરીશ.

ભાવનગર એસઓજી સમક્ષ હાજર થતા અગાઉ યુવરાજસિંહે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે ડમીકાંડ છૂપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેનો પર્દાફાશ કરીશ. અમે જેટલા નામો આપીએ છે તેની તપાસ પોલીસ કરતી નથી.યુવરાજસિંહે પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. યુવરાજે કહ્યું હતું કે મોટા રાજકીય માથાઓ અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક રાજકીય નેતાઓએ પાર્ટીમાં આવવાની ઓફર આપી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિને મોટો ફટકો: સુપ્રીમ કોર્ટે જન્મજાત નાગરિકતા રદ કરતો આદેશ ફગાવ્યો
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
અંબાલાલ પટેલની મોટી આગાહી: ગુજરાતમાં 48 કલાકમાં આ વિસ્તારમાં અતિભારે વરસાદ તૂટી પડશે, દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં....
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
જુલાઈ 2026 નું માસિક રાશિફળ: આ 3 રાશિઓ માટે સાબિત થશે સુવર્ણ મહિનો, જાણો શું બદલાશે?
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
2 મિનિટવાળી મેગીના ચાહકો માટે મોટા સમાચાર: કિંમત એ જ, પરંતુ કંપનીએ ઘટાડ્યું પેકેટનું વજન
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝમાં વૈભવ સૂર્યવંશી ડેબ્યૂ કરશે? જાણો કેપ્ટન શ્રેયસ ઐયરે શું આપ્યો જવાબ
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
મુંબઈમાં ઘરનું ઘર છોડી આ શહેરમાં ભાડાના મકાનમાં રહેવા જશે હાર્દિક પંડ્યા? ચોંકાવનારો ખુલાસો થયો!
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
PPF, NSC અને સુકન્યા યોજનાના વ્યાજ દર જાહેર: જાણો હવે તમને કઈ યોજનામાં કેટલું વળતર મળશે?
Embed widget