શોધખોળ કરો

8મું પગાર પંચ: મોંઘવારી નહીં, હવે આ મુજબ નક્કી થશે પગાર? જાણો અપડેટ

8th Pay Commission Updates: NFIR ના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયાની રજૂઆત; પગાર નક્કી કરતી વખતે માત્ર મોંઘવારી નહીં, પણ કામની કપરી પરિસ્થિતિ અને જીવનું જોખમ પણ ધ્યાનમાં લેવાય.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આઠમા પગાર પંચમાં કર્મીઓના પડકારો ધ્યાને લેવા માંગ.
  • દુર્ગમ વિસ્તારોમાં સુવિધાઓ વિના કર્મીઓ ફરજ બજાવે છે.
  • રેલવેના ૮૫% કર્મીઓ જીવના જોખમે ફિલ્ડમાં કામ કરે.
  • પગાર વધારાનો અંતિમ નિર્ણય સરકાર, કમિશન દ્વારા થશે.

8th Pay Commission Updates: કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચ (8th Pay Commission) ની રચના તરફ આગળ વધવામાં આવ્યું છે ત્યારથી જ સરકારી કર્મચારીઓમાં ભારે ઉત્સાહ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ કર્મચારી સંગઠનો મોંઘવારી ભથ્થા (DA) અને પગાર વધારાને લઈને પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. આ દરમિયાન, નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલ્વે (NFIR) ના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયાએ કર્મચારીઓના હિતમાં એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે માંગ કરી છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓનો નવો પગાર નક્કી કરતી વખતે માત્ર મોંઘવારી કે આર્થિક પાસાં જ નહીં, પરંતુ તેમની કામ કરવાની કપરી પરિસ્થિતિઓ, જોખમો અને દેશના વિકાસમાં તેમના સાચા યોગદાનને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.

એનએફઆઈઆર (NFIR) ના જનરલ સેક્રેટરી એમ. રાઘવૈયાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કર્મચારીઓની અગવડો વિશે ખુલીને વાત કરી હતી. તેમણે જણાવ્યું કે દેશમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ એવા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવે છે જ્યાં ન તો કોઈ સારી હોસ્પિટલો હોય છે, ન બાળકોના ભણતર માટે પ્રોપર સ્કૂલો કે અન્ય પાયાની નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આવી કઠિન પરિસ્થિતિઓ હોવા છતાં, આ કર્મચારીઓ કોઈપણ અટકાવ વગર દેશની સેવામાં સતત કાર્યરત રહે છે અને પોતાની પ્રોડક્ટિવિટી જાળવી રાખે છે, જે દેશની આર્થિક પ્રગતિ માટે બહુ કિંમતી છે.

રેલ્વેના 85% કર્મચારીઓ જીવના જોખમે કરે છે કામ

તેમણે ખાસ કરીને ભારતીય રેલ્વેનું ઉદાહરણ આપતા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોર્યું હતું. રાઘવૈયાએ જણાવ્યું કે રેલ્વેના લગભગ 85% કર્મચારીઓ ઓફિસમાં નહીં પણ સીધા ફિલ્ડમાં (મેદાનમાં) રહીને ખૂબ જ પડકારજનક સ્થિતિમાં પોતાની ફરજો બજાવે છે. જેમ કે, ટ્રેક મેઇન્ટેનન્સ અને નિરીક્ષણ કરતો સ્ટાફ રેલ્વે લાઈનોની સુરક્ષા તપાસવા માટે ભારે સાધનો વહન કરીને રોજ કિલોમીટર સુધી પગપાળા ચાલે છે. ટ્રેક પરની ખામીઓ શોધતી વખતે અને તેને સુધારતી વખતે તેમની સામે સતત ટ્રેન અકસ્માત અને જીવનું જોખમ તોળાતું હોય છે. ઘણીવાર ફરજ દરમિયાન કર્મચારીઓ અકસ્માતનો ભોગ પણ બને છે. તેથી પગાર પંચે આ કર્મચારીઓના સ્વાસ્થ્ય પર થતી લાંબાગાળાની અસરો અને જોખમોનું મૂલ્યાંકન કરીને જ પગાર નક્કી કરવો જોઈએ.

આ પણ વાંચોઃ 8મા પગાર પંચમાં વિલંબ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: DAમાં થશે આટલો વધારો

આખરી નિર્ણય સરકાર અને આયોગના હાથમાં

જોકે, 8મા પગાર પંચના અમલીકરણ બાદ કર્મચારીઓના પગારમાં આખરે કેટલો વધારો ઝીંકાશે, તેનો આખરી નિર્ણય તો કમિશનની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી પર જ નિર્ભર રહેશે. તેમ છતાં, તમામ કર્મચારી સંગઠનોને આશા છે કે આ વખતે પગાર પંચ માત્ર જૂના અને પરંપરાગત નિયમોને વળગી રહેવાને બદલે કર્મચારીઓની વાસ્તવિક મહેનત, ફિલ્ડના જોખમો અને તેમના સાચા યોગદાનને ધ્યાનમાં રાખીને ન્યાય કરશે.

Frequently Asked Questions

8મા પગાર પંચ માટે NFIR દ્વારા શું માંગણી કરવામાં આવી છે?

NFIR ના જનરલ સેક્રેટરીએ માંગ કરી છે કે પગાર નક્કી કરતી વખતે કર્મચારીઓની કપરી કામ કરવાની પરિસ્થિતિઓ, જોખમો અને દેશના વિકાસમાં તેમના યોગદાનને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.

સરકારી કર્મચારીઓ કયા પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિઓમાં કામ કરે છે?

ઘણા કર્મચારીઓ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવે છે, જ્યાં હોસ્પિટલો કે શાળાઓ જેવી પાયાની સુવિધાઓનો અભાવ હોય છે. આવી કપરી પરિસ્થિતિઓમાં પણ તેઓ દેશસેવામાં કાર્યરત રહે છે.

રેલ્વેના કર્મચારીઓ કયા પ્રકારના જોખમોનો સામનો કરે છે?

રેલ્વેના 85% કર્મચારીઓ ફિલ્ડમાં પડકારજનક સ્થિતિમાં કામ કરે છે. ટ્રેક નિરીક્ષણ દરમિયાન તેઓ ટ્રેન અકસ્માત અને જીવનું જોખમ સતત અનુભવે છે, અને ઘણીવાર અકસ્માતનો ભોગ પણ બને છે.

8મા પગાર પંચ અંતર્ગત પગાર વધારાનો અંતિમ નિર્ણય કોણ લેશે?

8મા પગાર પંચ અંતર્ગત પગારમાં કેટલો વધારો થશે તેનો અંતિમ નિર્ણય કમિશનની ભલામણો અને કેન્દ્ર સરકારની મંજૂરી પર નિર્ભર કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
LPG News: જો ઘરના રસોડામાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે તો શું થાય, કેટલો દંડ થશે?
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
8મું પગાર પંચ: ગેઝેટ નોટિફિકેશનથી કેન્દ્રીય કર્મચારીઓ કેમ નારાજ? જાણો કારણો
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
EPFO ના 5 નવા નિયમો 2026માં થયા લાગુ, ક્લેમ સેટલમેન્ટ અને ઓટો ટ્રાન્સફર એકદમ સરળ 
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Gold Silver Rate: ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ રેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
રાહુલ ગાંધીના વિરોધ અને રાજીનામાની માંગણી પર પ્રતિક્રિયા આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, ‘સરકાર NEET પર...’
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
CM ભૂપેન્દ્ર પટેલને સીધી કરવી છે ફરિયાદ? તારીખ નોંધી લો, રૂબરૂ રજૂઆતનો આ રહ્યો રસ્તો
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
IND vs ZIM 1st T20I: ઝિમ્બાબ્વે સામે આવી હશે ભારતની પ્લેઇંગ 11, બે વર્ષ પછી આ વિસ્ફોટક ખેલાડીની એન્ટ્રી
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
Gujarat Rain Alert: આવતીકાલે ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, 4 જિલ્લામાં રેડ અને 9 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ સામે વિપક્ષનો હલ્લાબોલ, PM આવાસ સામે રાહુલ-પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Embed widget