શોધખોળ કરો

Airlines : Go First બાદ વધુ એક એરલાઈન્સના પાટીયા પડવાની તૈયારી!!!

આ પહેલા Go First વાડિયા ગ્રૂપની માલિકીની એરલાઇન પોતે જ NCLT સમક્ષ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી હતી.

Airline Crisis: વાડિયા ગ્રુપની ગો ફર્સ્ટ એરલાઈન્સ નાદારી નોંધાવવાના આરે છે. હજી આ મામલે એવિએશન ઈન્ડસ્ટ્રીમાં કળ નથી વળી ત્યાં દેશની વધુ એક એરલાઈન્સે ચિંતા વધારી છે. દેશની અન્ય એરલાઈન સામે નાદારી પ્રક્રિયાની સુનાવણી થવા જઈ રહી છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એરલાઇન સ્પાઇસજેટના ધિરાણકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી નાદારીની અરજી પર આવતા અઠવાડિયે સુનાવણી કરશે. સ્પાઈસ જેટ સામેની નાદારી અરજીની સુનાવણી 8મી મેના રોજ NCLTમાં થશે.

NCLT સમક્ષ સ્પાઇસજેટ સામે કોણે અરજી દાખલ કરી?

લો કોસ્ટ એરલાઈન સેવા આપનારી સ્પાઇસજેટને ધિરાણ આપનાર કંપની એરક્રાફ્ટ લેસર એરકેસલ (આયર્લેન્ડ) લિમિટેડે નાદારી ઉકેલ પ્રક્રિયા શરૂ કરવા માટે NCLT સમક્ષ અરજી દાખલ કરી છે. આ અરજી 28 એપ્રિલે દાખલ કરવામાં આવી હતી. NCLTની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ટ્રિબ્યુનલની મુખ્ય બેન્ચ આ અરજી પર 8મી મેના રોજ સુનાવણી કરશે.

GoFirstએ પોતાની રીતે નાદારી રીઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે

આ પહેલા Go First વાડિયા ગ્રૂપની માલિકીની એરલાઇન પોતે જ NCLT સમક્ષ નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી દાખલ કરી હતી. GoFirstએ આર્થિક સંકટમાં આવીને આ અરજી દાખલ કરી છે, જેના પર સુનાવણી બાદ NCLTએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

સ્પાઇસજેટના પ્રવક્તાએ શું કહ્યું?

નાદારી નોંધાવવા પર સ્પાઇસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ ઘટનાક્રમની એરલાઇનની કામગીરી પર કોઈ અસર થશે નહીં. એક નિવેદનમાં પ્રવક્તાએ આશા વ્યક્ત કરી કે, આ મુદ્દો કોર્ટની બહાર ઉકેલાઈ જશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, હાલમાં આ ધિરાણકર્તાનું કોઈ વિમાન એરલાઈનના કાફલામાં સામેલ નથી. પ્રવક્તાએ કહ્યું હતું કે, આ એરક્રાફ્ટ લીઝિંગ ફર્મના તમામ એરક્રાફ્ટ પહેલાથી જ પરત કરી દેવામાં આવ્યા છે.

વધુ બે અરજીઓ પણ પેન્ડિંગ 

જોકે, NCLTની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, સ્પાઈસ જેટ સામે નાદારીની પ્રક્રિયા શરૂ કરવા સંબંધિત અન્ય બે અરજીઓ પેન્ડિંગ છે. નાદારીની અરજી વિલિસ લીઝ ફાઇનાન્સ કોર્પોરેશન દ્વારા 12 એપ્રિલે ફાઇલ કરવામાં આવી હતી, જ્યારે અકર્સ બિલ્ડવેલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 4 ફેબ્રુઆરીએ અરજી દાખલ કરવામાં આવી હતી. આ બંને અરજીઓ અંગે સ્પાઈસ જેટ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget