શોધખોળ કરો

Amazonમાં વર્ક ફ્રૉમ હૉમ કલ્ચર ખતમ કરવાની તૈયારી, કર્મચારીઓને આટલા દિવસ કરવુ પડશે ઓફિસથી કામ

આ જાણકારી કંપનીના સીઇઓ એન્ડી જેસી (Andy Jassy)એ કર્મચારીઓને એક મેમો મોકલીને આપી છે,

Amazon to resume Work from Office: દુનિયાના સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અમેઝૉન (Amazon) ના કર્મચારીઓ માટે સારા સમાચાર છે, કંપનીએ પોતાના કૉર્પૉરેટ એમ્પ્લૉઇઝને ઓફિસ જૉઇન (Work from Office) કરવા માટે કહ્યુ છે. કંપનીએ કર્મચારીઓને આદેશ આપતા કહ્યુ છે કે, તેમને કેમ સે કમ અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસમાંથી કામ કરવુ પડશે. આ નવી સિસ્ટમ 1 મે, 2023 થી લાગુ થઇ જશે. 

આ જાણકારી કંપનીના સીઇઓ એન્ડી જેસી (Andy Jassy)એ કર્મચારીઓને એક મેમો મોકલીને આપી છે, તે મેસેજમાં એન્ડી જેસીએ કહ્યું કે, ઓફિસમાં આવીને સાથે કામ કરવાથી કર્મચારીઓની વચ્ચે સારી રીતે સૂચનાનું તંત્ર સ્થાપિત થશે અને આની અસર કામ પર પણ દેખાશે. 

કોરોનાના સમયથી લાગુ થઇ હતી વર્ક ફ્રૉમ હૉમ સિસ્ટમ - 
અમેઝૉને વર્ક ફ્રૉમ હૉમ (Amazon Work From Home) હવે ખતમ કરવાની શરૂઆત કરી છે, કેમ કે દુનિયાભરમાં હવે કોરોનાનો કેર ઓછો થઇ રહ્યો છે. વર્ષ 2020માં કોરોના કાળની શરૂઆત થઇ તે સમયથી અમેઝૉને ભારત સહિત દુનિયાભરમાં પોતાના કર્મચારીઓને વર્ક ફ્રૉમ હૉમ કરવા માટે કહ્યુ હતુ. તે સમયે કંપનીએ વર્ક ફ્રૉમ હૉમ સિસ્ટમની શરૂઆત કરી હતી હવે ધીમે ધીમે ઓફિસમાં કર્મચારીઓને બોલાવવાની શરૂઆત પણ કરી દીધી છે. હવે કર્મચારીઓને અઠવાડિયામાં ત્રણ દિવસ ઓફિસ આવવુ પડશે.

ખાસ વાત છે કે અમેઝૉન ઉપરાંત બીજી કેટલીય કંપનીઓ છે, જેવી કે સ્ટારબક્સ (Starbucks), ડિઝ્ની (Disney) અને વૉલમાર્ટે (Walmart) વર્ક ફ્રૉમ હૉમ કલ્ચરને ખતમ કરવાનુ શરૂ કર્યુ છે.

Layoffs: 2023માં અત્યાર સુધીમાં 332 કંપનીઓએ 1 લાખથી વધુ કર્મચારીઓને કાઢી મૂક્યા, આ કંપનીએ કરી સૌથી મોટી છટણી

Layoffs in 2023: વર્ષ 2023 દરમિયાન, વૈશ્વિક મંદીના ભય વચ્ચે મોટી સંખ્યામાં કર્મચારીઓએ તેમની નોકરી ગુમાવી છે. 332 ટેક કંપનીઓએ વિશ્વભરમાં 1 લાખથી વધુ કર્મચારીઓને બરતરફ કર્યા છે (Employees Layoffs). તેમાં ગૂગલ, મેટા, માઈક્રોસોફ્ટથી લઈને ઘણી મોટી કંપનીઓ સામેલ છે.

વર્ષ 2023 ના છેલ્લા મહિનામાં મોટાભાગની કંપનીઓએ હજારો કર્મચારીઓની છટણી કરી દીધી છે. બીજી તરફ કેટલીક કંપનીઓએ તો આખી ટીમને સમાપ્ત કરી દીધી છે. Layoffs.fyi ના ડેટા અનુસાર, કુલ 1,00,746 કર્મચારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, જેમાં લગભગ 332 કંપનીઓનો સમાવેશ થાય છે.

આ કંપનીએ સૌથી વધુ છટણી કરી હતી

જાન્યુઆરીમાં મોટી કંપનીઓએ મોટા પાયે લોકોને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ગૂગલે તેના કર્મચારીઓના 6 ટકા ઘટાડ્યા, એટલે કે લગભગ 12,000 કર્મચારીઓને કાઢી મૂક્યા, જે તમામ કંપનીઓ કરતાં વધુ છે. તે જ સમયે, માઇક્રોસોફ્ટે લગભગ 10,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે. આ સિવાય એમેઝોને 8 હજાર કર્મચારીઓને કાઢી મૂક્યા છે.

સેલ્સફોર્સે તેના કુલ કર્મચારીઓમાંથી 8,000 કર્મચારીઓને છૂટા કર્યા. બીજી તરફ, ડેલે 6650, IBM એ લગભગ 3900, SAP એ 3000, ઝૂમે લગભગ 1300 અને કોઈનબેસે લગભગ 950 કર્મચારીઓની છટણી કરી છે. યાહૂએ હાલમાં જ તેના 20 ટકા કર્મચારીઓને દૂર કરવાની જાહેરાત કરી છે. આ સિવાય 8 ટકા અથવા 600 લોકોને નોકરી આપવાની પણ વાત કરવામાં આવી હતી.

માઈક્રોસોફ્ટની માલિકીની GitHub એ પણ આગામી ક્વાર્ટરમાં તેના લગભગ 10 ટકા કર્મચારીઓ અથવા 300 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. તે જ સમયે, ગોડેડીએ 8 ટકા કર્મચારીઓને દૂર કરવાની માહિતી પણ આપી છે.

વર્ષ 2023માં કોણે કેટલા કર્મચારીઓને કાઢી મૂક્યા

માઇક્રોસોફ્ટે 10,000 કર્મચારીઓની છટણી કરી છે

એમેઝોનના 8 હજાર કર્મચારીઓ

સેલ્સફોર્સમાં 8000 કર્મચારીઓ પણ

ડેલ લેપટોપ કંપનીના 6650 કર્મચારીઓ

IBM એ 3,900 કર્મચારીઓને છૂટા કર્યા

એસએપી 3 હજાર કાઢી મુક્યા

ઝૂમે 1,300ની છટણી કરી છે

કોઈનબેસે 950 કર્મચારીઓને છૂટા કર્યા

યાહૂએ 1,600 કર્મચારીઓની છટણી કરી છે

GitHub એ 300 કર્મચારીઓની છટણી કરી છે

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Embed widget