શોધખોળ કરો
Advertisement
અનિલ અંબાણીના બંન્ને પુત્રોએ રિલાયન્સ ઈન્ફ્રામાંથી આપી દીધું રાજીનામું, જાણો
એક વર્ષ પહેલાં જ અનિલના બંને પુત્રો જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. છેલ્લા માત્ર છ મહિનામાં આ બંનેએ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું.
મુંબઈ: ગળાડૂબ દેવામાં ડૂબેલી અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની રિલાયન્સ ઈન્ફ્રાના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાંથી અનિલ અંબાણીના બંને પુત્રોએ રાજીનામાં આપ્યાં હતાં. એક વર્ષ પહેલાં જ અનિલના બંને પુત્રો જય અણમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. છેલ્લા માત્ર છ મહિનામાં આ બંનેએ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. મુંબઈ શેરબજારને લખેલા 31 જાન્યુઆરીના પત્રમાં આ હકીકત જણાવવામાં આવી હતી.
અનિલના પુત્રોએ રાજીનામાં આપ્યાના સમાચાર સામે આવતાં જ અનિલની કંપનીના શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા એક વર્ષમાં રિલાયન્સ ઈન્ફ્રાના વ્યવહારમાં બહુ જ મોટી ખોટ નોંધાઈ હતી.
રિલાયન્સ ઈન્ફ્રામાં જોડાતાં પહેલા અનિલનો મોટો પુત્ર અંશુલ રિલાયન્સ ગ્રુપની ફાઈનાન્શિયલ સર્વિસ કંપની રિલાયન્સ કેપિટલમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે સેવા આપતો હતો. અણમોલ રિલાયન્સ ઈન્ફ્રાના ડિફેન્સ પ્રોજેક્ટ્સ સંભાળતો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
for smartphones
and tablets
and tablets