શોધખોળ કરો

ATM માંથી રોકડ ઉપાડવા પર લાગશે 23 રુપિયાનો ચાર્જ, જાણો ક્યારથી લાગુ થશે નવો નિયમ

1 મે, 2025 થી ATM ઉપાડના ચાર્જમાં વધારો થવા જઈ રહ્યો છે. માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂર્ણ થયા પછી, દરેક ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે.

ATM withdrawal charges: 1 મે, 2025 થી ATM ઉપાડના ચાર્જમાં વધારો થવા જઈ રહ્યો છે. માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂર્ણ થયા પછી, દરેક ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. એકવાર આ નવો વધારો લાગુ થયા પછી, ફ્રી લિમિટ ખતમ થઈ ગયા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારના રોજ ફ્રી લિમિટ પૂરી થયા બાદ ચાર્જમાં વધારાના અમલીકરણને મંજૂરી આપી છે. 

ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, કોઈપણ ગ્રાહક એક મહિનામાં તેની બેંકના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન (નાણાકીય અને બિન-નાણાકીય સહિત) કરી શકે છે. તેનાથી વધારે ટ્રાન્ઝેક્શન કરવા પર ચાર્જ ચૂકવવો પડશે. 

અલગ-અલગ શહેરોમાં અલગ-અલગ ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ હોય છે 

બીજી બાજુ, જો તમે અન્ય બેંકના ATMનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે મેટ્રો શહેરોમાં મહત્તમ 3 અને નોન-મેટ્રો શહેરોમાં મહત્તમ 5 મફત વ્યવહારો કરી શકો છો. ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કર્યા પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. હાલમાં, ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થયા પછી, બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર તેના ગ્રાહકો પાસેથી મહત્તમ 21 રૂપિયા જ ચાર્જ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય એવા બેંક ગ્રાહકો માટે મોંઘો પડશે જેઓ મહિનામાં ઘણી વખત ATMનો ઉપયોગ કરીને રોકડ ઉપાડે છે અથવા અન્ય કોઈ સેવાનો ઉપયોગ કરે છે.


કેશ રિસાયકલર મશીનો પર પણ લાગુ થઈ શકે છે 

ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું,"ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહક પાસેથી મહત્તમ રૂ. 23 વસૂલવામાં આવી શકે છે. આ 1 મે, 2025થી લાગુ થશે. " આરબીઆઈએ જણાવ્યું હતું કે જરુર પડવા પર બદલાવ સાથે કેશ રિસાયકલર મશીનો પર કેશ રિસાયકલર મશીનો પર પણ લાગુ થઈ શકે છે 


ATM ઇન્ટરચેન્જ ફી શું છે ? 

તમને જણાવી દઈએ કે બેંકોને એટીએમના ઉપયોગ પર ઘણા ખર્ચો ઉઠાવવા પડે છે, જે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. જ્યારે તમે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે તમારી બેંક તે અન્ય બેંકને ઉપયોગમાં લેવાતી સેવા માટે ચૂકવે છે. ધારો કે, તમે SBI ગ્રાહક છો અને તમે PNB ATMમાંથી પૈસા ઉપાડી લીધા છે. આવી સ્થિતિમાં SBI PNBને તેની સેવા માટે ચૂકવણી કરશે. લિમિટ ફ્રી થયા પછી, SBI દરેક ટ્રાન્ઝેક્શન પર તમારી પાસેથી ફી વસૂલશે. આ ATM ઇન્ટરચેન્જ ફી તરીકે ઓળખાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?

વિડિઓઝ

Morbi Accident News: મોરબીના માળિયામાં હિટ એન્ડ રનમાં ચાર પદયાત્રીના મોત
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
Bomb Scare in Ahmedabad: અમદાવાદની અલગ અલગ સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી
Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Ahmedabad: અમદાવાદની 8 સ્કૂલોને બપોરે બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ફોન, મચી અફરાતફરી
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
ભારતમાં Toyota જલદી લોન્ચ કરશે પોતાની પ્રથમ Electric Car, 500 કિમીથી વધુ હશે રેન્જ, જાણો કિંમત
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
અચાનક હોસ્પિટલમાં ભરતી થયો યશસ્વી જયસ્વાલ, જાણો સૈયદ મુશ્તાક અલી ટ્રોફી વચ્ચે ક્રિકેટરને શું થયું?
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
Embed widget