શોધખોળ કરો

1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોકડ ઉપાડ અને ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જાણો મફત મર્યાદા પૂરી થવા પર તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1 એપ્રિલથી HDFC, PNB, બંધન બેંકના ATM નિયમો બદલાશે.
  • HDFC: UPI ઉપાડ પણ ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ગણાશે.
  • PNB: રોજના રોકડ ઉપાડની મર્યાદા ઘટાડવામાં આવી.
  • બંધન બેંક: ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ અને નિષ્ફળ વ્યવહાર દંડ.

જો તમે રોકડ ઉપાડવા માટે નિયમિતપણે એટીએમ (ATM) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. 1 એપ્રિલ, 2026 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતા જ દેશની ત્રણ મોટી બેંકો - HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને બંધન બેંકે તેમના ATM અને UPI ઉપાડના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ નવા નિયમોથી તમારી રોજિંદી કેશ ઉપાડવાની મર્યાદા ઘટશે અને મફત ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થતાં તમારા વોલેટ પર સીધો ચાર્જ લાગશે. ચાલો વિગતવાર સમજીએ કે કઈ બેંકે કયા નવા નિયમો લાગુ કર્યા છે.

HDFC બેંકના નિયમોમાં મોટો ફેરફાર

HDFC બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે તમે ATM માંથી UPI નો ઉપયોગ કરીને જે રોકડ ઉપાડો છો, તેને પણ તમારી 'ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ' (મફત વ્યવહાર મર્યાદા) માં જ ગણવામાં આવશે. અગાઉ, UPI થી થતા રોકડ ઉપાડને અલગ ગણવામાં આવતો હતો, પણ હવે તેને સામાન્ય ATM ઉપાડની સમાન જ ગણવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે, જો તમે મહિનાની નક્કી કરેલી મફત મર્યાદા ઓળંગશો, તો ત્યાર પછીના દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર તમારે 23 રૂપિયા અને સાથે ટેક્સ ચૂકવવો પડશે.

PNB એ ઘટાડી રોજના રોકડ ઉપાડની મર્યાદા

પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહકોને હવે મોટી રકમ ઉપાડવા માટે ATM ના વધુ ધક્કા ખાવા પડી શકે છે. બેંકે પોતાના સામાન્ય ડેબિટ કાર્ડ પર રોજના રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને સીધી 50,000 રૂપિયા કરી દીધી છે. જ્યારે પ્રીમિયમ કાર્ડધારકો માટે આ મર્યાદા 1.5 લાખ રૂપિયાથી ઘટાડીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.

બંધન બેંકે ચાર્જ અને દંડના નિયમો કર્યા કડક

બંધન બેંકે પણ એટીએમ વાપરવાના નિયમોમાં સુધારો કર્યો છે. હવે તમને તમારા પોતાના બેંકના ATM પર દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. જો તમે અન્ય બેંકના એટીએમ વાપરો છો, તો મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. આ લિમિટ પૂરી થયા પછી નાણાકીય વ્યવહાર (પૈસા ઉપાડવા) પર 23 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહાર (બેલેન્સ ચેક કરવું, પિન બદલવો વગેરે) પર 10 રૂપિયાનો ચાર્જ લાગશે. સૌથી અગત્યની વાત એ છે કે, જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન નિષ્ફળ (Fail) જશે, તો પણ બેંક 25 રૂપિયાનો વધારાનો દંડ વસૂલશે.

કયા શહેરો ગણાશે મેટ્રો?

બેંકના નિયમો અનુસાર, મેટ્રો શહેરોની યાદીમાં બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ 6 શહેરો સિવાયના દેશના બાકીના તમામ શહેરો નોન-મેટ્રો શ્રેણીમાં આવશે.

Frequently Asked Questions

ATM ઉપાડના નવા નિયમો કઈ તારીખથી લાગુ થશે?

ATM ઉપાડના નવા નિયમો 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે. આ ફેરફારો નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે અમલમાં આવશે.

HDFC બેંકમાં UPI દ્વારા ATM થી રોકડ ઉપાડને કયા નિયમ હેઠળ ગણવામાં આવશે?

HDFC બેંકમાં, ATM થી UPI દ્વારા રોકડ ઉપાડને હવે 'ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ' માં ગણવામાં આવશે. આ અગાઉના નિયમોથી અલગ છે.

PNB એ ATM માંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદા કેટલી કરી દીધી છે?

PNB એ સામાન્ય ડેબિટ કાર્ડ માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા કરી છે. પ્રીમિયમ કાર્ડધારકો માટે આ મર્યાદા 1.5 લાખથી ઘટાડીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.

બંધન બેંકમાં મફત ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા શું છે?

બંધન બેંકમાં પોતાના ATM પર દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત છે. અન્ય બેંકના ATM પર મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન મફત છે.

બંધન બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો શું ચાર્જ લાગશે?

જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે, તો બંધન બેંક 25 રૂપિયાનો વધારાનો દંડ વસૂલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
8th Pay Commission : કેન્દ્રિય કર્મચારીઓના ગ્રેડ પે લેવલ્સના વિલયની માંગ, જાણો સેલેરીમાં વધારાનું ગણિત
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
Gold Silver Rate: ₹4,000 મોંઘી થઈ ચાંદી, સોનાની કિંમતમાં પણ તેજી, જાણો લેટેસ્ટ રેટ 
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
EPFOનો નવો નિયમ, UMANG Appથી થશે PF UAN એક્ટિવેશન, જાણો પ્રક્રિયા
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન
સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

વિડિઓઝ

Monsoon session 2026 : 'હું 56 વર્ષના યુવાનની વાત નથી કરતો' PM મોદીએ કોના વિશે કરી વાત?
Ahmedabad Leopard : અમદાવાદમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં વરસાદનું ફરી દે ધનાધન, ક્યાં કેટલો પડ્યો વરસાદ?
Navsari Heavy Rain : નવસારીમાં ધોધમાર વરસાદ, જલાલપોરમાં 5.75 ઇંચ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
CJP Protest: અભિજીત દીપકેએ સમાપ્ત કરી ભૂખ હડતાળ, પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના સેલ છોડ્યા
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે! 24 કલાકમાં 111 તાલુકા ધમરોળાયા, જાણો ક્યાં કેટલો વરસાદ?
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી તૂટી પડશે ધોધમાર વરસાદ
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
CJP ના વિરોધ પ્રદર્શન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાન ગૃહમંત્રી અમિત શાહને મળ્યા; શું શિક્ષણમંત્રી આપશે રાજીનામું?
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
દિલ્હીમાં પ્રદર્શનકારીઓ પર પોલીસનો લાઠીચાર્જ, કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સ્થગિત
Embed widget