શોધખોળ કરો

1 એપ્રિલથી ATM અને UPI ના નિયમો બદલાશે: HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોને પડશે સીધી અસર!

નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રોકડ ઉપાડ અને ટ્રાન્ઝેક્શન લિમિટમાં મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જાણો મફત મર્યાદા પૂરી થવા પર તમારા ખિસ્સા પર કેટલો બોજ પડશે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1 એપ્રિલથી HDFC, PNB, બંધન બેંકના ATM નિયમો બદલાશે.
  • HDFC: UPI ઉપાડ પણ ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદામાં ગણાશે.
  • PNB: રોજના રોકડ ઉપાડની મર્યાદા ઘટાડવામાં આવી.
  • બંધન બેંક: ATM ટ્રાન્ઝેક્શન ચાર્જ અને નિષ્ફળ વ્યવહાર દંડ.

જો તમે રોકડ ઉપાડવા માટે નિયમિતપણે એટીએમ (ATM) નો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. 1 એપ્રિલ, 2026 થી નવા નાણાકીય વર્ષની શરૂઆત થતા જ દેશની ત્રણ મોટી બેંકો - HDFC બેંક, પંજાબ નેશનલ બેંક (PNB) અને બંધન બેંકે તેમના ATM અને UPI ઉપાડના નિયમોમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. આ નવા નિયમોથી તમારી રોજિંદી કેશ ઉપાડવાની મર્યાદા ઘટશે અને મફત ટ્રાન્ઝેક્શનની લિમિટ પૂરી થતાં તમારા વોલેટ પર સીધો ચાર્જ લાગશે. ચાલો વિગતવાર સમજીએ કે કઈ બેંકે કયા નવા નિયમો લાગુ કર્યા છે.

HDFC બેંકના નિયમોમાં મોટો ફેરફાર

HDFC બેંકે એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે તમે ATM માંથી UPI નો ઉપયોગ કરીને જે રોકડ ઉપાડો છો, તેને પણ તમારી 'ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ' (મફત વ્યવહાર મર્યાદા) માં જ ગણવામાં આવશે. અગાઉ, UPI થી થતા રોકડ ઉપાડને અલગ ગણવામાં આવતો હતો, પણ હવે તેને સામાન્ય ATM ઉપાડની સમાન જ ગણવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે, જો તમે મહિનાની નક્કી કરેલી મફત મર્યાદા ઓળંગશો, તો ત્યાર પછીના દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર તમારે 23 રૂપિયા અને સાથે ટેક્સ ચૂકવવો પડશે.

PNB એ ઘટાડી રોજના રોકડ ઉપાડની મર્યાદા

પંજાબ નેશનલ બેંક (PNB) ના ગ્રાહકોને હવે મોટી રકમ ઉપાડવા માટે ATM ના વધુ ધક્કા ખાવા પડી શકે છે. બેંકે પોતાના સામાન્ય ડેબિટ કાર્ડ પર રોજના રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને સીધી 50,000 રૂપિયા કરી દીધી છે. જ્યારે પ્રીમિયમ કાર્ડધારકો માટે આ મર્યાદા 1.5 લાખ રૂપિયાથી ઘટાડીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.

બંધન બેંકે ચાર્જ અને દંડના નિયમો કર્યા કડક

બંધન બેંકે પણ એટીએમ વાપરવાના નિયમોમાં સુધારો કર્યો છે. હવે તમને તમારા પોતાના બેંકના ATM પર દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. જો તમે અન્ય બેંકના એટીએમ વાપરો છો, તો મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન મફત મળશે. આ લિમિટ પૂરી થયા પછી નાણાકીય વ્યવહાર (પૈસા ઉપાડવા) પર 23 રૂપિયા અને બિન-નાણાકીય વ્યવહાર (બેલેન્સ ચેક કરવું, પિન બદલવો વગેરે) પર 10 રૂપિયાનો ચાર્જ લાગશે. સૌથી અગત્યની વાત એ છે કે, જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન નિષ્ફળ (Fail) જશે, તો પણ બેંક 25 રૂપિયાનો વધારાનો દંડ વસૂલશે.

કયા શહેરો ગણાશે મેટ્રો?

બેંકના નિયમો અનુસાર, મેટ્રો શહેરોની યાદીમાં બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને નવી દિલ્હીનો સમાવેશ થાય છે. આ 6 શહેરો સિવાયના દેશના બાકીના તમામ શહેરો નોન-મેટ્રો શ્રેણીમાં આવશે.

Frequently Asked Questions

ATM ઉપાડના નવા નિયમો કઈ તારીખથી લાગુ થશે?

ATM ઉપાડના નવા નિયમો 1 એપ્રિલ, 2026 થી લાગુ થશે. આ ફેરફારો નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે અમલમાં આવશે.

HDFC બેંકમાં UPI દ્વારા ATM થી રોકડ ઉપાડને કયા નિયમ હેઠળ ગણવામાં આવશે?

HDFC બેંકમાં, ATM થી UPI દ્વારા રોકડ ઉપાડને હવે 'ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ' માં ગણવામાં આવશે. આ અગાઉના નિયમોથી અલગ છે.

PNB એ ATM માંથી દૈનિક રોકડ ઉપાડની મર્યાદા કેટલી કરી દીધી છે?

PNB એ સામાન્ય ડેબિટ કાર્ડ માટે દૈનિક રોકડ ઉપાડની મર્યાદા 1 લાખ રૂપિયાથી ઘટાડીને 50,000 રૂપિયા કરી છે. પ્રીમિયમ કાર્ડધારકો માટે આ મર્યાદા 1.5 લાખથી ઘટાડીને 75,000 રૂપિયા કરવામાં આવી છે.

બંધન બેંકમાં મફત ATM ટ્રાન્ઝેક્શનની મર્યાદા શું છે?

બંધન બેંકમાં પોતાના ATM પર દર મહિને 5 ટ્રાન્ઝેક્શન મફત છે. અન્ય બેંકના ATM પર મેટ્રો શહેરોમાં 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 ટ્રાન્ઝેક્શન મફત છે.

બંધન બેંકમાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જાય તો શું ચાર્જ લાગશે?

જો ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે, તો બંધન બેંક 25 રૂપિયાનો વધારાનો દંડ વસૂલશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં એલર્ટ; રાજ્યમાં 32% વરસાદની ઘટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
Embed widget