શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને હવાઈ ઇંધણ પર ભારે નિકાસ ડ્યૂટી લગાવી, જાણો નવી કિંમતો

દેશમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; ડીઝલ અને વિમાનના ઈંધણ (ATF) પર નિકાસ ડ્યૂટીમાં તોતિંગ વધારો, જોકે પેટ્રોલને ટેક્સમાંથી મુક્તિ અપાઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડીઝલ નિકાસ પર ₹21.5 થી ₹55.5 પ્રતિ લિટર ટેક્સ વધાર્યો.
  • ATF નિકાસ પર ટેક્સ ₹29.5 થી ₹42 પ્રતિ લિટર કરાયો.
  • સ્થાનિક બજારમાં ઇંધણની અછત રોકવા સરકારનો નિર્ણય.
  • પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી.

કેન્દ્ર સરકારે વિદેશમાં ડીઝલ અને વિમાનનું ઈંધણ (ATF) વેચીને મસમોટો નફો કમાતી તેલ કંપનીઓ પર લગામ કસવા માટે એક મોટો નિર્ણય લીધો છે. દેશના સ્થાનિક બજારમાં ઈંધણની કોઈ અછત ન સર્જાય તે હેતુથી નાણા મંત્રાલયે ડીઝલની નિકાસ (એક્સપોર્ટ) પરનો ટેક્સ ₹21.5 પ્રતિ લિટરથી વધારીને સીધો બમણાથી વધુ એટલે કે ₹55.5 પ્રતિ લિટર કરી દીધો છે. આ આદેશથી હવે રિફાઈનરી કંપનીઓ માટે વિદેશમાં તેલ વેચવું ઘણું મોંઘુ પડશે અને તેમણે સ્થાનિક બજાર પર વધુ ધ્યાન આપવું પડશે. જોકે, આકરા ટેક્સ વચ્ચે રાહતની વાત એ છે કે પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી.

નવા ટેક્સનું માળખું કેવું છે?

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ડીઝલની નિકાસ પરની ડ્યૂટીમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી તેલ કંપનીઓ વિદેશમાં ડીઝલ વેચવા માટે પ્રતિ લિટર ₹21.5 નો ટેક્સ ચૂકવતી હતી, જે હવે વધારીને ₹55.5 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાનોમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર પણ ટેક્સનો બોજ વધારાયો છે. ATF પર લાગતી નિકાસ ડ્યૂટી ₹29.5 પ્રતિ લિટરથી વધારીને ₹42 પ્રતિ લિટર કરી દેવાઈ છે.

સરકારે આવું શા માટે કર્યું?

જ્યારે પણ કોઈ રિફાઇનરી કંપની ભારતમાં ક્રૂડ ઓઇલ આયાત કરીને તેને રિફાઇન કરે છે, ત્યારે તેમની પાસે બે રસ્તા હોય છે: કાં તો તે ઈંધણ દેશમાં વેચે અથવા તો વિદેશમાં નિકાસ કરીને મોટો નફો કમાય. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઊંચા હોય ત્યારે કંપનીઓ વધુ નફાની લાલચમાં દેશની જરૂરિયાતને અવગણીને વિદેશમાં તેલ વેચવા લાગે છે. આવું ન થાય અને દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો જળવાઈ રહે, તે માટે સરકાર આ એક્સપોર્ટ ડ્યૂટી (નિકાસ કર) લગાવે છે. ટેક્સ વધવાથી વિદેશમાં તેલ વેચવું કંપનીઓ માટે મોંઘુ પડે છે, પરિણામે તેઓ ફરજિયાતપણે દેશમાં જ તેલ વેચવા પર ધ્યાન આપે છે અને આપણે ત્યાં તેલની અછત પડતી નથી.

પેટ્રોલના મોરચે સારા સમાચાર

આ બધા કરવેરા અને ટેક્સ વધારા વચ્ચે સૌથી આશ્વાસન આપનારા સમાચાર પેટ્રોલને લઈને છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. પેટ્રોલ પરની નિકાસ ડ્યૂટી પહેલાની જેમ જ શૂન્ય (0) રહેશે. આનો સીધો અર્થ એ છે કે, સરકારને હાલમાં સ્થાનિક બજારમાં પેટ્રોલના પુરવઠાને લઈને કોઈ કટોકટી કે અછત દેખાઈ રહી નથી.

Frequently Asked Questions

ડીઝલની નિકાસ પરનો ટેક્સ શા માટે વધારવામાં આવ્યો છે?

દેશના સ્થાનિક બજારમાં ડીઝલની અછત ન સર્જાય તે માટે સરકાર દ્વારા ડીઝલની નિકાસ પરનો ટેક્સ વધારવામાં આવ્યો છે.

ડીઝલ અને ATFની નિકાસ પર ટેક્સ કેટલો વધ્યો છે?

ડીઝલ પરનો ટેક્સ ₹21.5 થી વધીને ₹55.5 પ્રતિ લિટર થયો છે, અને ATF પરનો ટેક્સ ₹29.5 થી વધીને ₹42 પ્રતિ લિટર થયો છે.

પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો છે?

ના, પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. પેટ્રોલ પરની નિકાસ ડ્યૂટી શૂન્ય જ રહેશે.

સરકાર આ પગલું શા માટે ભરી રહી છે?

વધુ નફાની લાલચમાં કંપનીઓ વિદેશમાં તેલ ન વેચે અને દેશમાં પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર આ એક્સપોર્ટ ડ્યૂટી લગાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ
રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget