શોધખોળ કરો

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ડીઝલ અને હવાઈ ઇંધણ પર ભારે નિકાસ ડ્યૂટી લગાવી, જાણો નવી કિંમતો

દેશમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; ડીઝલ અને વિમાનના ઈંધણ (ATF) પર નિકાસ ડ્યૂટીમાં તોતિંગ વધારો, જોકે પેટ્રોલને ટેક્સમાંથી મુક્તિ અપાઈ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ડીઝલ નિકાસ પર ₹21.5 થી ₹55.5 પ્રતિ લિટર ટેક્સ વધાર્યો.
  • ATF નિકાસ પર ટેક્સ ₹29.5 થી ₹42 પ્રતિ લિટર કરાયો.
  • સ્થાનિક બજારમાં ઇંધણની અછત રોકવા સરકારનો નિર્ણય.
  • પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી.

કેન્દ્ર સરકારે વિદેશમાં ડીઝલ અને વિમાનનું ઈંધણ (ATF) વેચીને મસમોટો નફો કમાતી તેલ કંપનીઓ પર લગામ કસવા માટે એક મોટો નિર્ણય લીધો છે. દેશના સ્થાનિક બજારમાં ઈંધણની કોઈ અછત ન સર્જાય તે હેતુથી નાણા મંત્રાલયે ડીઝલની નિકાસ (એક્સપોર્ટ) પરનો ટેક્સ ₹21.5 પ્રતિ લિટરથી વધારીને સીધો બમણાથી વધુ એટલે કે ₹55.5 પ્રતિ લિટર કરી દીધો છે. આ આદેશથી હવે રિફાઈનરી કંપનીઓ માટે વિદેશમાં તેલ વેચવું ઘણું મોંઘુ પડશે અને તેમણે સ્થાનિક બજાર પર વધુ ધ્યાન આપવું પડશે. જોકે, આકરા ટેક્સ વચ્ચે રાહતની વાત એ છે કે પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી.

નવા ટેક્સનું માળખું કેવું છે?

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ડીઝલની નિકાસ પરની ડ્યૂટીમાં તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. અત્યાર સુધી તેલ કંપનીઓ વિદેશમાં ડીઝલ વેચવા માટે પ્રતિ લિટર ₹21.5 નો ટેક્સ ચૂકવતી હતી, જે હવે વધારીને ₹55.5 કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, વિમાનોમાં વપરાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) પર પણ ટેક્સનો બોજ વધારાયો છે. ATF પર લાગતી નિકાસ ડ્યૂટી ₹29.5 પ્રતિ લિટરથી વધારીને ₹42 પ્રતિ લિટર કરી દેવાઈ છે.

સરકારે આવું શા માટે કર્યું?

જ્યારે પણ કોઈ રિફાઇનરી કંપની ભારતમાં ક્રૂડ ઓઇલ આયાત કરીને તેને રિફાઇન કરે છે, ત્યારે તેમની પાસે બે રસ્તા હોય છે: કાં તો તે ઈંધણ દેશમાં વેચે અથવા તો વિદેશમાં નિકાસ કરીને મોટો નફો કમાય. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઊંચા હોય ત્યારે કંપનીઓ વધુ નફાની લાલચમાં દેશની જરૂરિયાતને અવગણીને વિદેશમાં તેલ વેચવા લાગે છે. આવું ન થાય અને દેશમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો જળવાઈ રહે, તે માટે સરકાર આ એક્સપોર્ટ ડ્યૂટી (નિકાસ કર) લગાવે છે. ટેક્સ વધવાથી વિદેશમાં તેલ વેચવું કંપનીઓ માટે મોંઘુ પડે છે, પરિણામે તેઓ ફરજિયાતપણે દેશમાં જ તેલ વેચવા પર ધ્યાન આપે છે અને આપણે ત્યાં તેલની અછત પડતી નથી.

પેટ્રોલના મોરચે સારા સમાચાર

આ બધા કરવેરા અને ટેક્સ વધારા વચ્ચે સૌથી આશ્વાસન આપનારા સમાચાર પેટ્રોલને લઈને છે. નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લગાવવામાં આવ્યો નથી. પેટ્રોલ પરની નિકાસ ડ્યૂટી પહેલાની જેમ જ શૂન્ય (0) રહેશે. આનો સીધો અર્થ એ છે કે, સરકારને હાલમાં સ્થાનિક બજારમાં પેટ્રોલના પુરવઠાને લઈને કોઈ કટોકટી કે અછત દેખાઈ રહી નથી.

Frequently Asked Questions

ડીઝલની નિકાસ પરનો ટેક્સ શા માટે વધારવામાં આવ્યો છે?

દેશના સ્થાનિક બજારમાં ડીઝલની અછત ન સર્જાય તે માટે સરકાર દ્વારા ડીઝલની નિકાસ પરનો ટેક્સ વધારવામાં આવ્યો છે.

ડીઝલ અને ATFની નિકાસ પર ટેક્સ કેટલો વધ્યો છે?

ડીઝલ પરનો ટેક્સ ₹21.5 થી વધીને ₹55.5 પ્રતિ લિટર થયો છે, અને ATF પરનો ટેક્સ ₹29.5 થી વધીને ₹42 પ્રતિ લિટર થયો છે.

પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો છે?

ના, પેટ્રોલની નિકાસ પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. પેટ્રોલ પરની નિકાસ ડ્યૂટી શૂન્ય જ રહેશે.

સરકાર આ પગલું શા માટે ભરી રહી છે?

વધુ નફાની લાલચમાં કંપનીઓ વિદેશમાં તેલ ન વેચે અને દેશમાં પુરવઠો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર આ એક્સપોર્ટ ડ્યૂટી લગાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત
Gold-Silver Price Today: આજે સોનું-ચાંદી ખરીદવું કે રાહ જોવી? જાણો 18 જુલાઈની લેટેસ્ટ કિંમત
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Post Office: પોસ્ટની ગજબ સ્કીમ, ટેક્સ છૂટ સાથે મળશે શાનદાર વળતર, 5 લાખ પર આટલો મળશે નફો
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
Silver outlook: ₹5000 સસ્તી થઈ ચાંદી, શું કિંમતોમાં થશે મોટો ઘટાડો, જાણો 
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ
ભારતમાં પ્લાસ્ટિકની નોટો લાવવાનું કાઉન્ટડાઉન શરુ, જાણો RBI એ શું આપ્યું અપડેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
20 દિવસથી ભૂખ હડતાળ પર રહેલા સોનમ વાંગચુકને હોસ્પિટલ લઈ ગઈ પોલીસ, હવે ઈમરજન્સી વોર્ડમાં દાખલ, સમર્થકોને હટાવવામાં આવ્યા
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
અમેરિકાનું MQ-9 તબાહ, હોર્મૂઝમાં ઓઇલ ટેન્કર પર હુમલો, સતત 7મી રાત્રે યુએસનો બોમ્બમારો, ઇરાકથી બહેરીન સુધી વિસ્ફોટ
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સોનમ વાંગચુકને હટાવ્યા બાદ ભૂખ હડતાળ પર બેઠા અભિજીત દીપકે, મંચ પર જ રડી પડ્યા CJP ચીફ, Video
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
સૌરાષ્ટ્રમાં પણ ચાંદીપુરા વાયરસની એન્ટ્રી? જામનગરમાં બે શંકાસ્પદ કેસથી આરોગ્ય વિભાગ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
Gujarat Weather Forecast: રાજ્યના આ જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે કરી આગાહી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 95 તાલુકામાં વરસાદ,કપરાડામાં સૌથી વધુ 3.70 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર
Embed widget