EDLI એ સરકાર દ્વારા સંચાલિત યોજના છે જે સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓના પરિવારોને આર્થિક સુરક્ષા પૂરી પાડે છે. EPF સભ્ય બનતાની સાથે જ તમે આપમેળે આ યોજનામાં જોડાઈ જાઓ છો.
EPF ખાતાધારકો માટે કામની વાત: નોકરી દરમિયાન મૃત્યુ પર પરિવારને મળશે ₹7 લાખ સહાય, નિયમો જાણી લો
epfo edli scheme benefits: જો તમારું PF કપાય છે, તો તમને EPFO ની EDLI યોજના હેઠળ મફતમાં મળે છે જીવન વીમો; જાણો કોને અને કેવી રીતે મળશે આ મોટો લાભ.

- EPFO EDLI યોજના હેઠળ, નોકરી દરમિયાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને 7 લાખ સુધીનો વીમો.
- કર્મચારીઓએ પ્રીમિયમ ભરવાની જરૂર નથી, કંપની દ્વારા આપમેળે ચૂકવણી થાય છે.
- વીમાની રકમ 2.5 લાખથી 7 લાખ સુધી, કર્મચારીના પગાર અને EPF પર આધારિત.
- નોમિની અપડેટ રાખવાથી પરિવારને સરળતાથી વીમાનો લાભ મળે છે.
epfo edli scheme benefits: જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારા પગારમાંથી ફંડ (EPF) કપાય છે, તો તમારા માટે એક બહુ જ અગત્યના સમાચાર છે. મોટાભાગના કર્મચારીઓને એ ખબર જ નથી હોતી કે EPF ખાતાની સાથે જ તેમને મફતમાં એક મોટો જીવન વીમો પણ મળે છે. EPFO ની 'એમ્પ્લોયી ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ' (EDLI) સ્કીમ હેઠળ, જો કોઈ પણ સક્રિય કર્મચારીનું નોકરી દરમિયાન દુઃખદ મૃત્યુ થાય છે, તો તેના પરિવાર અથવા નોમિનીને 7 લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રકમ તમારા PF બેલેન્સ અને પેન્શન (EPS) ના લાભો કરતાં બિલકુલ અલગથી આપવામાં આવે છે.
શું છે EDLI યોજના અને કોણ ભરે છે પ્રીમિયમ?
EDLI એ સરકાર દ્વારા ચાલતી એક એવી સામાજિક સુરક્ષા યોજના છે, જે ખાસ કરીને સંગઠિત ક્ષેત્રમાં (પ્રાઇવેટ સેક્ટરમાં) કામ કરતા લોકોના પરિવારને આર્થિક સુરક્ષા આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે આ વીમા કવચ માટે કર્મચારીએ પોતાના ખિસ્સામાંથી એક પણ રૂપિયો પ્રીમિયમ તરીકે ભરવાનો હોતો નથી. EPF સભ્ય બનતાની સાથે જ તમે આ યોજનામાં આપમેળે જોડાઈ જાવ છો અને તેનું પૂરેપૂરું પ્રીમિયમ તમારી કંપની (એમ્પ્લોયર) દ્વારા જમા કરવામાં આવે છે.
વીમામાં કેટલી રકમ મળે છે?
આ યોજના હેઠળ મૃતક કર્મચારીના પરિવારને ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીનો વીમા લાભ મળે છે. કોવિડ-19 મહામારી પછી સરકારે આ વીમાની મહત્તમ રકમ વધારીને 7 લાખ રૂપિયા કરી દીધી હતી. આ રકમ કર્મચારીના છેલ્લા પગાર અને તેના EPF ખાતાને લગતા અમુક માપદંડોના આધારે નક્કી કરવામાં આવે છે.
આ પણ વાંચોઃ શું તમે પણ ખોટું બહાનું બનાવી પીએફના રૂપિયા ઉપાડો છો? PF ઉપાડવાના નવા નિયમો જાણો, નહીંતર ભરાઈ જશો!
ક્યારે અને કોને મળે છે આ પૈસા?
આ વીમાનો લાભ માત્ર ત્યારે જ મળે છે જ્યારે કર્મચારીનું નોકરીના સમયગાળા (સક્રિય રોજગાર) દરમિયાન મૃત્યુ થાય. પછી ભલે તે મૃત્યુ કોઈ બીમારીના કારણે થયું હોય કે આકસ્મિક રીતે. ઘરના મુખ્ય કમાનાર વ્યક્તિના અચાનક અવસાનથી પરિવાર પર જે આર્થિક સંકટ આવે છે, તેને થોડું હળવું કરવા માટે આ તાત્કાલિક નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.
ખાતામાં નોમિની હોવું કેમ છે સૌથી જરૂરી?
જો કર્મચારીએ પોતાના EPF ખાતામાં નોમિનીનું નામ પહેલેથી જ ઉમેરેલું હોય, તો વીમાની રકમ સીધી એ જ વ્યક્તિને કોઈપણ અડચણ વગર મળી જાય છે. પરંતુ જો નોમિનીનું નામ અપડેટ ન હોય, તો કાનૂની વારસદારને પૈસા લેવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આથી જ નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે તમારા EPF ખાતામાં નોમિનીની વિગતો અને બેંક એકાઉન્ટ વગેરે હંમેશા અપડેટ રાખો, જેથી મુશ્કેલ સમયમાં પરિવારને હેરાન ન થવું પડે.
આ પણ વાંચોઃ PF Withdrawal Rules 2025: હવે પીએફના પૈસા ઉપાડવા બન્યા આસાન, EPFOએ આપ્યા બે સરળ વિકલ્પ
Frequently Asked Questions
EPFO EDLI યોજના શું છે?
EDLI યોજના હેઠળ વીમાની કેટલી રકમ મળે છે?
આ યોજના હેઠળ મૃતક કર્મચારીના પરિવારને ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા અને વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીનો વીમા લાભ મળે છે. આ રકમ કર્મચારીના છેલ્લા પગાર અને EPF ખાતાના આધારે નક્કી થાય છે.
EDLI યોજનાનો લાભ ક્યારે મળે છે?
આ વીમાનો લાભ માત્ર ત્યારે જ મળે છે જ્યારે કર્મચારીનું નોકરીના સમયગાળા દરમિયાન મૃત્યુ થાય. પછી ભલે તે મૃત્યુ કોઈ બીમારીના કારણે થયું હોય કે આકસ્મિક રીતે.
EDLI યોજના માટે કોણ પ્રીમિયમ ભરે છે?
આ વીમા કવચ માટે કર્મચારીએ કોઈ પ્રીમિયમ ભરવાનું હોતું નથી. તેનું પૂરેપૂરું પ્રીમિયમ તમારી કંપની (એમ્પ્લોયર) દ્વારા જમા કરવામાં આવે છે.
EPF ખાતામાં નોમિની હોવું શા માટે જરૂરી છે?
જો EPF ખાતામાં નોમિનીનું નામ અપડેટ કરેલું હોય, તો વીમાની રકમ પરિવારને સરળતાથી મળી જાય છે. નોમિની ન હોવા પર પૈસા મેળવવા માટે લાંબી કાનૂની પ્રક્રિયા કરવી પડે છે.





















