શોધખોળ કરો

EPFO 3.0: PF ખાતામાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા, જાણો લગ્ન અને ઘર માટે હવે કેટલા રૂપિયા મળશે?

EPFO withdrawal rules: EPFO 3.0 હેઠળ આંશિક ઉપાડના નિયમોમાં મોટા ફેરફાર. લગ્ન અને શિક્ષણ માટે હવે વધુ વખત પૈસા ઉપાડી શકાશે. પેન્શન અને બેરોજગારીના નિયમોમાં શું બદલાવ આવ્યો?

EPFO withdrawal rules: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના કરોડો ખાતાધારકો માટે મહત્વના ફેરફારો કર્યા છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 'EPFO 3.0' હેઠળ PF ઉપાડના નિયમોમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. હવે લગ્ન, શિક્ષણ અને બેરોજગારીના સમયે પૈસા ઉપાડવાની મર્યાદા અને સમયગાળામાં ફેરફાર થયો છે. જાણો તમારા હક અને નવા નિયમો વિશે.

નોકરીયાત વર્ગ માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એ ભવિષ્યની સુરક્ષા અને મુસીબત સમયનો સાથી માનવામાં આવે છે. કર્મચારીઓની સુવિધા વધારવા અને સિસ્ટમને વધુ સરળ બનાવવા માટે EPFO એ 'EPFO 3.0' લોન્ચ કર્યું છે. ગત 13 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં 'સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી' ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં PF ખાતામાંથી આંશિક ઉપાડ (Partial Withdrawal) ને લઈને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જે દરેક કર્મચારીએ જાણવા જરૂરી છે.

1. બેરોજગારી સમયે ઉપાડ (Unemployment Withdrawal) જો કોઈ કર્મચારીની નોકરી જતી રહે છે, તો તેવા સંજોગોમાં આર્થિક મદદ મળી રહે તે માટે નિયમો હળવા કરવામાં આવ્યા છે. જૂના નિયમ મુજબ, એક મહિનો બેરોજગાર રહ્યા બાદ 75% રકમ અને બાકીની 25% રકમ બે મહિના પછી મળતી હતી. પરંતુ નવા નિયમો અનુસાર, હવે કર્મચારી નોકરી છૂટ્યા બાદ તરત જ પોતાના PF બેલેન્સના 75% ઉપાડી શકે છે. જોકે, સંપૂર્ણ (100%) ઉપાડ માટે કર્મચારીએ સતત 12 મહિના સુધી બેરોજગાર રહેવું જરૂરી બનશે.

2. શિક્ષણ અને લગ્ન પ્રસંગે રાહત સૌથી મોટો અને સકારાત્મક ફેરફાર શિક્ષણ અને લગ્નના ખર્ચ માટેના ઉપાડમાં થયો છે. અગાઉના નિયમો મુજબ, 7 વર્ષની નોકરી પછી જ સબ્સ્ક્રાઇબર્સ તેમના યોગદાનના 50% ઉપાડી શકતા હતા અને તેની મર્યાદા શિક્ષણ માટે 3 વખત અને લગ્ન માટે 2 વખત હતી. હવે EPFO 3.0 માં આ ફ્રિકવન્સી વધારી દેવામાં આવી છે. હવે નોકરી દરમિયાન શિક્ષણના હેતુ માટે 10 વખત અને લગ્ન સંબંધિત ખર્ચ માટે 5 વખત સુધી ફંડ ઉપાડવાની છૂટ આપવામાં આવી છે.

3. ઘર ખરીદવું અથવા બાંધકામ પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવા માટે PF ના પૈસાનો ઉપયોગ કરનારાઓ માટે પણ નિયમો બદલાયા છે. પહેલા 24 થી 36 મહિનાની નોકરી બાદ ઘર માટે પૈસા ઉપાડી શકાતા હતા. પરંતુ હવે નવા નિયમો અંતર્ગત, ઘર ખરીદવા અથવા બનાવવા સહિતના તમામ આંશિક ઉપાડ માટે કર્મચારીની ઓછામાં ઓછી 12 મહિનાની સેવા (Service) અનિવાર્ય કરવામાં આવી છે.

4. પેન્શન અને કંપની બંધ થવાના કિસ્સામાં પેન્શન ફંડના ઉપાડને લઈને નિયમ થોડો કડક બન્યો છે. જૂના નિયમમાં 2 મહિનાની બેરોજગારી બાદ પેન્શનના પૈસા ઉપાડી શકાતા હતા, પરંતુ હવે કર્મચારીએ પેન્શન ફંડ ઉપાડવા માટે 36 મહિના એટલે કે 3 વર્ષ રાહ જોવી પડશે. બીજી તરફ, જો કોઈ કંપની કાયમી ધોરણે બંધ થઈ જાય, તો પહેલા કર્મચારી પૂરેપૂરા પૈસા ઉપાડી શકતો હતો, પરંતુ હવે તે EPF ભંડોળના માત્ર 75% જ ઉપાડી શકશે, જેથી તેના ખાતામાં ઓછામાં ઓછું 25% બેલેન્સ જળવાઈ રહે.

5. મેડિકલ ઈમરજન્સી (તબીબી ખર્ચ) બીમારીના સમયે પૈસા ઉપાડવા માટેના માળખામાં બહુ ફેરફાર નથી, પરંતુ શરત ઉમેરાઈ છે. અગાઉ કર્મચારી 6 મહિનાનો બેઝિક પગાર અને DA અથવા પોતાના યોગદાન (જે ઓછું હોય તે) જેટલી રકમ ઉપાડી શકતો હતો. નવા નિયમોમાં આ લાભ યથાવત છે, પરંતુ હવે આ સુવિધાનો લાભ લેવા માટે પણ 12 મહિનાની નોકરીની શરત લાગુ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
ઘર માટે કેટલા Kw સોલાર સિસ્ટમની જરૂર? અહીં જાણો કિંમત અને અને અરજીની સંપૂર્ણ પ્રક્રિયા
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 
બેંક ઓફ બરોડમાં 1 વર્ષની FD પર કેટલું મળશે વ્યાજ, સિનિયર સિટીઝન માટે શું છે ખાસ 

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Embed widget