શોધખોળ કરો

2000 Rupee Note: શું વધારવામાં આવશે 2000 રુપિયાની નોટ બદલવાની ડેડલાઈન ? નાણા મંત્રાલયે આપ્યો જવાબ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકમાં બે હજારની નોટ જમા કરવા અને બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો.

2000 Rupee Currency Ban: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ બેંકમાં બે હજારની નોટ જમા કરવા અને બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. હવે નાણા મંત્રાલયે સોમવારે (24 જુલાઈ) કહ્યું છે કે 2,000 રૂપિયાની નોટ બદલવા અથવા જમા કરાવવાની સમયમર્યાદાને 30 સપ્ટેમ્બર, 2023થી આગળ વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી.


રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો. સવાલ એ હતો કે શું બેંકોમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બરથી આગળ વધારવાનો પ્રસ્તાવ છે. જેના પર મંત્રીએ કહ્યું કે હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી.

RBIએ 2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી

ગૃહમાં બીજો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે શું સરકાર કાળા નાણાને દૂર કરવા માટે ઉચ્ચ મૂલ્યની નોટોને બંધ કરવાની યોજના બનાવી રહી છે. તેના પર પણ મંત્રીએ નકારાત્મક જવાબ આપ્યો. 19 મેના રોજ રિઝર્વ બેંકે અચાનક 2000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી.


અત્યાર સુધીમાં 76 ટકા નોટો પાછી આવી છે

RBI અનુસાર, ચલણમાં 2000 રૂપિયાની 76 ટકા નોટો કાં તો બેંકોમાં જમા કરવામાં આવી છે અથવા તો બદલી દેવામાં આવી છે. ચલણમાં રૂ. 2000ની નોટો 19 મેના રોજ જાહેરાતના દિવસે રૂ. 3.56 લાખ કરોડથી ઘટીને 30 જૂને રૂ. 84,000 કરોડ પર આવી ગઈ છે.

2000ની નોટ 2016માં રજૂ કરવામાં આવી હતી

આરબીઆઈએ કહ્યું કે પાછી મળેલી નોટોમાંથી 87 ટકા લોકો વતી બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જ્યારે બાકીના 13 ટકા બદલાયા છે. 2000 રૂપિયાની નોટ 10 નવેમ્બર 2016ના રોજ રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત બાદ તે સમયે ચલણમાં રહેલી 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી. આ પછી 500ની નવી નોટ પણ લાવવામાં આવી.  

30 સપ્ટેમ્બર અંતિમ તારીખ છે

19 મે, 2022 ના રોજ, RBI એ 2000 રૂપિયાની ચલણી નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી. ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે ક્લીન નોટ પોલિસી હેઠળ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પાછી ખેંચવામાં આવી રહી છે. 2000 રૂપિયાની નોટ ચલણમાં બંધ થઈ શકે છે પરંતુ 2000 રૂપિયાની નોટ કાયદેસર રીતે માન્ય રહેશે. બેંકોની શાખાઓમાં અને RBIની 19 પ્રાદેશિક કચેરીઓમાં 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યના ચલણ સાથે બદલી શકાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
PM મોદીના અમેરિકાના પ્રવાસ પહેલા ટ્રમ્પના આ નિર્ણયએ ભારતની ચિંતા વધારી, નુકસાનના સંકેત
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
‘એરો ઇન્ડિયા 2025’ માં જોવા મળશે સૈન્ય તાકાત, પહેલીવાર SU-57, F-35 ફાઇટર જેટ કરશે શક્તિ પ્રદર્શન
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
Promise Day 2025: આ પ્રોમિસ ડે પર તમારા પાર્ટનરને આપો આ પાંચ વચન, સંબંધો થશે મજબૂત
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
દિલ્હી બાદ હવે કેરળ અને બંગાળ પર રહેશે PM મોદીની નજર?
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Embed widget