શોધખોળ કરો

Google એ ફરી ભારતમાં 453 કર્મચારીઓની છટણી કરી, સુંદર પિચાઇએ લીધી નિર્ણયની જવાબદારી

રિપોર્ટ અનુસાર, ઘણા કારણોસર છટણી કરવાનો નિર્ણય ગૂગલમાં લેવામાં આવ્યો છે

વિશ્વમાં મંદીના પડછાયા વચ્ચે છટણીની પ્રક્રિયા ચાલુ છે અને ફેસબુક, ટ્વિટર, અમેઝોન સહિતની ઘણી મોટી કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરી થઇ છે. તાજેતરમાં ગૂગલ પણ આ રેસમાં જોડાઈ છે. હવે ફરી એકવાર કંપનીએ કર્મચારીઓની છટણી શરૂ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલે ભારતમાં તેના 453 કર્મચારીઓને નોકરમાંથી કાઢી મુક્યા છે.

મેઇલ દ્વારા કર્મચારીઓને સૂચના

બિઝનેસ ટુડે પર પ્રકાશિત બિઝનેસલાઈન રિપોર્ટ અનુસાર, આ 453 ભારતીય કર્મચારીઓને  હટાવવાની કાર્યવાહી ગુરુવારે રાત્રે કરવામાં આવી હતી અને તેની માહિતી મેઈલ દ્વારા આપવામાં આવી છે. આ મેઈલ ગુગલ ઈન્ડિયાના કન્ટ્રી હેડ અને વાઈસ પ્રેસિડેન્ટ સંજય ગુપ્તાએ મોકલ્યો છે. આ મેલમાં ભારતીય મૂળના સુંદર પિચાઈ, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટના CEOની સંમતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

સીઈઓ સુંદર પિચાઈએ જવાબદારી લીધી

રિપોર્ટ અનુસાર, ઘણા કારણોસર છટણી કરવાનો નિર્ણય ગૂગલમાં લેવામાં આવ્યો છે અને સુંદર પિચાઈ આ તમામ નિર્ણયોની સંપૂર્ણ જવાબદારી લેવા માટે સહમત થયા છે. વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી 2023માં જ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ દ્વારા મોકલવામાં આવેલી નોટમાં તેમણે દાવો કર્યો હતો કે યુએસની બહાર ગૂગલના બરતરફ કરાયેલા કર્મચારીઓને સ્થાનિક નિયમો અનુસાર સપોર્ટ મળશે. જ્યારે ગૂગલે ભારતમાં 453 કર્મચારીઓની છટણી કરી છે, તે હજુ સુધી સ્પષ્ટ નથી કે વૈશ્વિક સ્તરે કેટલા કર્મચારીઓને અસર થશે અથવા ટેક જાયન્ટમાં વધુ છટણી થશે કે કેમ.

12000 કર્મચારીઓની છટણીની જાહેરાત

નોંધનીય છે કે ગયા મહિને જ ગૂગલની પેરન્ટ કંપની Alphabet Inc એ જાહેરાત કરી હતી કે લગભગ 12,000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. આ છટણીઓ વૈશ્વિક સ્તરે કંપનીના કુલ હેડકાઉન્ટના લગભગ 6 ટકા હિસ્સો ધરાવે છે. ભારતમાં કરવામાં આવેલી છટણીનો પણ આ આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો છે કે પછી કંપનીએ દેશમાં છટણીનો નવો તબક્કો શરૂ કર્યો છે તે સ્પષ્ટ નથી.

મંદીના ખતરા વચ્ચે વિશ્વની અગ્રણી કંપનીઓમાં કોસ્ટ કટિંગનું કારણ આપીને છટણી કરવામાં આવી રહી છે અને તેમાં ટેક કંપનીઓ મોખરે જોવા મળી રહી છે. ગૂગલ સિવાય, એમેઝોને તેના વર્ક ફોર્સમાં 18,000 કર્મચારીઓને કાપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ફેસબુકે પ્રથમ 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો છે અને હજારો કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે. છટણીની રેસમાં સામેલ અન્ય કંપનીઓમાં ટ્વિટર, અલીબાબા, વોલમાર્ટ અને અન્ય ઘણા નામો સામેલ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
LPG e-KYC Deadline: LPG e-KYCની ડેડલાઈનમાં કરાયો વધારો, જાણો શું છે નવી ગાઈડલાઈન?
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર
FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget