શોધખોળ કરો

રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી

અમદાવાદ-રાજકોટના નાગરિકો માટે ખૂબ જ મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાર નવા ટોલનાકા બનશે.

અમદાવાદ: અમદાવાદ-રાજકોટના નાગરિકો માટે ખૂબ જ મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચાર નવા ટોલનાકા બનશે. વાહનચાલકોના ખિસ્સા ખાલી થશે. 201 કિલોમીટર હાઈવે પર નવા ચાર ટોલનાકા બનશે. આ હાઈવે સિક્સલેન બન્યો હોવાના કારણે કેટલાક ટોલનાકા બંધ થશે અને અન્ય નવા ટોલનાકા શરૂ થવાના છે. 

1 એપ્રિલ, 2025થી કાર્યરત થવાની શક્યતા

નવા ચાર ટોલનાકા પર વાહન ચાલકોએ ટેક્સ ભરવો પડશે.  ચારેય ટોલનાકાનું બાંધકામ અંતિમ તબક્કામાં છે.  1 એપ્રિલ, 2025થી નવા ટોલનાકા કાર્યરત થવાની શક્યતા છે.  ટોલનાકા માટે રોડ-મકાન વિભાગે નાણાપંચને દરખાસ્ત મોકલી છે.  બાવળા પાસેના ભાયલા ગામ પાસે ટોલનાકું  ઉભું કરવામાં આવ્યું છે.  બગોદરા-લીંબડી વચ્ચે ટોકરાળા ગામ પાસે ટોલનાકું બનાવાયું છે.

ત્રણ ટોલનાકામાં 60 કિમીનું અંતર નહીં જળવાય

સાયલા-ચોટીલા વચ્ચે ટોલનાકું બનાવવામાં આવશે.  રાજકોટથી 8 કિમી પહેલા માલિયાસણ પાસે પણ ટોલનાકું બનાવવામાં આવશે.  ચારમાંથી ત્રણ ટોલનાકામાં 60 કિમીનું અંતર નહીં જળવાય.  અમદાવાદથી પહેલા ટોલનાકા ભાયલા સુધીનું અંતર 30 કિમી સુધીનું રહેશે.  ભાયલા ટોકનાકાથી ટોકરાળા ટોલનાકાનું અંતર 48 કિમી સુધીનું રહેશે. જ્યારે ટોકરાળા ટોલનાકાથી  ચોટીલા-સાયલા ટોલનાકાનું અંતર 61 કિમી સુધી રહેશે. આ ટોકનાકાથી માલિયાસણ સુધીનું અંતર 54 કિમી સુધી રહેવાનું છે. માલિયાસણથી રાજકોટ સુધીનું અંતર માત્ર 8 કિલોમીટર સુધી રહેશે.

અમદાવાદથી રાજકોટ વચ્ચે 201 કિલોમીટરનું અંતર  છે.   હવે ચાર ટોલનાકા પર ટેક્સ ભરવો પડશે. અમદાવાદથી રાજકોટનો રસ્તો સિક્સલેન બની રહ્યો છે. જેના કારણે આ હાઈવે પર ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ હાઈવે પર બે ટોલનાકા હતા.  

ચારેય ટોલનાકા પર કેટલા રૂપિયા વસૂલાશે એ તો હજી નક્કી નથી, પરંતું વાહન ચાલકોના ખિસ્સા ખાલી થઈ જશે.  રાજકોટ-અમદાવાદ 201 કિલો મીટરનો સિક્સલેન રોડનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. રોડ બનાવનાર એજન્સીને ડિસેમ્બર-2024ની આખરી મુદત આપવામાં આવી છે. 201 કિલો મીટરના હાઇવે પાછળ સરકારે અત્યાર સુધીમાં 3350 કરોડનો ખર્ચ કર્યો છે. 

અમદાવાદ-રાજકોટ વચ્ચે નેશનલ હાઈવેના સિક્સલેનનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું છે. જોકે આ હાઈવેના વિકાસનો ખર્ચ ગુજરાત સરકાર દ્વારા કરાયો છે. એટલે ગુજરાત સરકાર દ્વારા હાઈવે પર ચાર ટોલટેક્સ ઊભા કરીને કરેલો ખર્ચ વસુલવામાં આવશે. અમદાવાદ-રાજકોટ વચ્ચે 201 કિલોમિટરના હાઈવે પર હવે ચાર ટોલનાકાં પર ટેક્સ ભરવો પડશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget