શોધખોળ કરો

GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

GST: નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને કહ્યું કે જીએસટી કાઉન્સિલે ઘઉં, લોટ, ચોખા સહિત ઘણી વસ્તુઓના ખુલ્લા વેચાણને જીએસટીમાંથી છૂટ આપી છે.

GST Hikes: સરકારે સ્પષ્ટ કર્યું છે કે કઠોળ, ઘઉં અને લોટના લૂઝ વેચાણ પર જીએસટી લાગશે નહીં. હાલમાં જ પ્રીપેકેજ્ડ અનાજ, કઠોળ, લોટ, છાશ અને દહીં પનીર પર 5 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પહેલા આ વસ્તુઓ જીએસટીના દાયરાની બહાર હતી. તાજેતરમાં ચંદીગઢમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણી બાબતો પર જીએસટી લાદવાનો નિર્ણય લેવાયો હતો. આ દરો 18 જુલાઈ એટલે કે આજથી લાગુ થઈ ગયા છે. જેના કારણે તેમના લૂઝ વેચાણ પર પણ જીએસટી લાગશે કે કેમ તે અંગે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી.

સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે તેમના લૂઝ વેચાણ પર કોઈ જીએસટી નહીં લાગે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્વિટ કરીને કહ્યું કે જીએસટી કાઉન્સિલે ઘઉં, લોટ, ચોખા સહિત ઘણી વસ્તુઓના લૂઝ વેચાણને જીએસટીમાંથી છૂટ આપી છે. જેમાં દાળ, ઘઉં, રાઈ, જવ, મકાઈ, ચોખા, લોટ, સોજી, બેસન,  દહીં અને લસ્સીનો સમાવેશ થાય છે. જોકે તેને પ્રિપેક્ડ કે લેબલેડ તરીકે વેચવામાં આવે તો પાંચ ટકા જીએસટી લાગશે.

સીતારમણે કહ્યું કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે પહેલીવાર ખાવાની વસ્તુઓ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેમાં કોઈ સચ્ચાઈ નથી. જીએસટી લાગુ થયો ત્યારે બ્રાન્ડેડ અનાજ, કઠોળ અને લોટ પર પાંચ ટકા જીએસટી લાદવામાં આવ્યો હતો. બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો અને માત્ર રજિસ્ટર્ડ બ્રાન્ડ પર જ જીએસટી લાદવામાં આવ્યો હતો. પરંતુ ઘણી બ્રાન્ડ્સે તેનો દુરૂપયોગ કર્યો હતો અને આ બાબતો પર જીએસટીની આવકમાં તીવ્ર ઘટાડો થયો હતો. એટલે જ જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠકમાં આ વસ્તુઓના પ્રીપેકેજ્ડ અને લેબલવાળા વેચાણ પર જીએસટી લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Fatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાતDileep Sanghani : સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં આગને લઈ મોટો ધડાકોGroundnut Godown Fire: થાનમાં મગફળીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં કરોડોનું નુકસાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget