શોધખોળ કરો

IDBI Bank: હવે, આ સરકારી બેન્ક વેચાઇ જશે, સરકારે બતાવ્યો પોતાનો પ્લાન!

જાહેર ક્ષેત્રની બેંક IDBI બેંકનું ડિસઇન્વેસ્ટમેન્ટ આગામી નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2023-24) માં પૂર્ણ થશે

જાહેર ક્ષેત્રની બેંક IDBI બેંકનું ડિસઇન્વેસ્ટમેન્ટ આગામી નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2023-24) માં પૂર્ણ થશે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે સ્થાનિક અને વિદેશી બંને રોકાણકારોએ IDBI બેન્કમાં બહુમતી હિસ્સો ખરીદવામાં રસ દર્શાવ્યો છે. સરકારે કહ્યું કે તેને IDBI બેંકમાં બહુમતી હિસ્સા માટે બહુવિધ બિડ મળી છે. આગામી નાણાકીય વર્ષમાં IDBI બેન્કનું ડિસઇન્વેસ્ટમેન્ટ થઇ શકે છે.

હિસ્સો કેટલો છે?

સરકાર અને જીવન વીમા નિગમ (LIC) બંને પાસે IDBI બેંકમાં 94.71 ટકા હિસ્સો છે. આમાં કેન્દ્ર સરકારનો હિસ્સો 45.48 ટકા છે, જ્યારે LICનો હિસ્સો 49.24 ટકા છે. સરકારે 7 ઓક્ટોબરના રોજ IDBI બેંકના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ માટે બિડ મંગાવી હતી. એકંદરે, સરકાર અને જીવન વીમા નિગમ (LIC) મળીને IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સો વેચશે.

તુહિન કાંતા પાંડેએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, "અમે આશા રાખીએ છીએ કે IDBI બેંકનું વેચાણ આગામી નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં પૂર્ણ થઈ જશે." તેમણે જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકના યોગ્ય માપદંડો માટે બિડર્સની ચકાસણી કરવામાં આવશે અને પછી બેંકનો ગોપનીય ડેટા સંભવિત બિડર્સ સાથે શેર કરવામાં આવશે. સફળ બિડર્સે પ્રકાશિત શેરહોલ્ડિંગના 5.28 ટકા હસ્તગત કરવા માટે ઓપન ઓફર કરવી પડશે.

ખરીદદારો માટે નિયમો

અગાઉ, રોકાણ વિભાગે કહ્યું હતું કે સંભવિત ખરીદદારોની લઘુત્તમ નેટવર્થ રૂ. 22,500 કરોડ હોવી જોઈએ. આ સિવાય એક કન્સોર્ટિયમમાં વધુમાં વધુ ચાર સભ્યોને મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત, સફળ બિડર્સે એક્વિઝિશનની તારીખથી પાંચ વર્ષ માટે ઓછામાં ઓછી 40 ટકા ઇક્વિટી મૂડીને ફરજિયાતપણે લોક કરવી પડશે. સરકારે થોડા સમય પહેલા કહ્યું હતું કે વિદેશી ફંડ અને ઇન્વેસ્ટમેન્ટ ફર્મ્સના કન્સોર્ટિયમને IDBI બેન્કની 51 ટકાથી વધુ માલિકી હસ્તગત કરવાની મંજૂરી આપવામાં આવશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ ફેબ્રુઆરી 2021 માં બજેટ રજૂ કરતી વખતે IDBI બેંક સિવાય વધુ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. પરંતુ કોરોના સંકટને કારણે મામલો અટકી ગયો હતો. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. 65 હજાર કરોડના વિનિવેશનું લક્ષ્ય રાખ્યું હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget