ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' બંધ થવાની નોબત આવી છે, જેના કારણે ભારતમાં ગેસ અને તેલની ભારે અછત ઊભી થઈ છે.
હવે આ લોકોને LPG સિલિન્ડર નહીં મળે, સરકારે તાત્કાલિક બહાર પાડ્યો આદેશ, જાણો નવો નિયમ
LPG cylinder new rules 2026: ઈરાન-અમેરિકા યુદ્ધને લીધે સર્જાયેલી ગેસની અછત વચ્ચે સરકારનો મોટો નિર્ણય, પાઇપલાઇન ગેસ વાપરતા ગ્રાહકોને સિલિન્ડર આપવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ.

- ઈરાન-અમેરિકા તણાવે ભારતમાં ગેસની અછત સર્જી.
- PNG વાપરતા ઘરોને હવે LPG સિલિન્ડર નહીં મળશે.
- મધ્ય પૂર્વમાંથી 90% LPG આયાત, સ્થિતિ ગંભીર.
- PNG પ્રોત્સાહન, સિલિન્ડરના ભાવ વધવાની શક્યતા.
LPG cylinder new rules 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને કારણે ભારતમાં ગેસ અને તેલની ભારે અછત ઊભી થઈ છે. આ સંકટને પહોંચી વળવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જે પરિવારો અત્યારે રસોઈ માટે પાઇપલાઇન ગેસ એટલે કે PNG (Piped Natural Gas) નો ઉપયોગ કરી રહ્યા છે, તેમને હવેથી ઘરે LPG ગેસ સિલિન્ડર નહીં આપવામાં આવે. સોમવારે સરકારે આ અંગેનો સત્તાવાર આદેશ જારી કરીને PNG કનેક્શન ધરાવતા લોકો માટે સિલિન્ડર ખરીદવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે, જેથી મર્યાદિત ગેસના જથ્થાનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
યુદ્ધના કારણે સર્જાઈ છે ગેસની શોર્ટેજ
અમેરિકા અને ઈરાન (તેમજ ઇઝરાયલ) વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ 'હોર્મુઝ સ્ટ્રેટ' (સામુદ્રધુની) બંધ થવાની નોબત આવી છે. દુનિયાભરના સપ્લાય માટે આ રસ્તો ખૂબ જ મહત્વનો છે. આ રૂટ પ્રભાવિત થવાથી આખી દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં LPG ગેસની ભારે અછત સર્જાઈ છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં સરકારે તાત્કાલિક પગલાં રૂપે કેટલાક ઉદ્યોગોને અપાતા LPG સપ્લાયમાં પણ મોટા પાયે કાપ મૂકવો પડ્યો છે.
વિદેશી આયાત પર આપણી મોટી નિર્ભરતા
તમને જણાવી દઈએ કે, વર્ષ 2025 માં ભારતમાં મુખ્યત્વે રસોઈ માટે 33.15 મિલિયન મેટ્રિક ટન LPG નો જંગી વપરાશ નોંધાયો હતો. આપણી આ કુલ જરૂરિયાતમાંથી લગભગ 60% ગેસ તો આપણે વિદેશથી આયાત કરવો પડે છે. તેમાંય સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ આયાત થતા ગેસમાંથી 90% જેટલો જથ્થો માત્ર મધ્ય પૂર્વના દેશોમાંથી જ આવે છે, જ્યાં અત્યારે યુદ્ધનો માહોલ છે.
આ પણ વાંચોઃ LPG Price Cut: શું હવે એલપીજી ગેસના ભાવ ઘટશે? ભારત અને અમેરિકા વચ્ચે થઈ ઐતિહાસિક ડીલ, જાણો વિગત
સરકારનું ફોકસ PNG પર, સિલિન્ડર થઈ શકે છે મોંઘા
આ અછત અને આયાતની સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકાર હવે લોકોને પાઇપલાઇન વાળા ગેસ એટલે કે PNG નો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. જેમના ઘરે પહેલેથી જ પાઇપલાઇન છે તેમને હવે વધારાનું સિલિન્ડર નહીં મળે, જેથી અન્ય જરૂરિયાતમંદ લોકો સુધી ગેસ પહોંચાડી શકાય. નોંધનીય છે કે, તાજેતરમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે હવે ગેસની આ શોર્ટેજને કારણે આવનારા સમયમાં LPG સિલિન્ડરના ભાવ પણ વધુ ભડકે બળે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચોઃ LPG price cut: સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં આપી રાહત, જાણો કિંતમાં કેટલો ઘટાડો કર્યો
Frequently Asked Questions
ભારતમાં LPG ગેસની અછત શા માટે સર્જાઈ રહી છે?
PNG કનેક્શન ધરાવતા લોકોને હવે LPG સિલિન્ડર નહીં મળે તેવો નિર્ણય શા માટે લેવાયો છે?
મર્યાદિત ગેસના જથ્થાનો યોગ્ય ઉપયોગ થઈ શકે અને જરૂરિયાતમંદ લોકો સુધી ગેસ પહોંચાડી શકાય તે માટે સરકારે આ નિર્ણય લીધો છે. PNG કનેક્શન ધરાવતા લોકોને હવે વધારાનું સિલિન્ડર નહીં મળે.
ભારત LPG ગેસની કેટલી જરૂરિયાત વિદેશથી આયાત કરે છે?
ભારત તેની કુલ LPG જરૂરિયાતમાંથી લગભગ 60% ગેસ વિદેશથી આયાત કરે છે. તેમાંથી 90% જેટલો જથ્થો મધ્ય પૂર્વના દેશોમાંથી આવે છે, જ્યાં હાલ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે.
આગામી સમયમાં LPG સિલિન્ડરના ભાવ વધી શકે છે?
હા, ગેસની અછત અને આયાતની સમસ્યાને કારણે આવનારા સમયમાં LPG સિલિન્ડરના ભાવ પણ વધુ ભડકે બળે તેવી પૂરી શક્યતાઓ છે.






















