શોધખોળ કરો

આજથી બદલાઈ જશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર

ગેસના ભાવથી પરેશાન લોકો માટે ઓક્ટોબરમાં પણ રાહત મળવાની કોઈ શક્યતા નથી.

ઓક્ટોબર મહિનો તમારી રોજિંદી પ્રવૃત્તિઓમાં ઘણા ફેરફાર લાવનાર છે. તે દરેક વ્યક્તિને અસર કરશે. ઓક્ટોબર મહિનાથી એલપીજીના દર, પેન્શન નિયમો, ડેબિટ અને ક્રેડિટ કાર્ડની ચુકવણી સહિત 6 મહત્વના ફેરફારો થવા જઈ રહ્યા છે. આજે અમે તમને ઓક્ટોબરમાં આવનારા 6 ફેરફારો વિશે જણાવીશું.

એલપીજીના ભાવ વધી શકે છે

ગેસના ભાવથી પરેશાન લોકો માટે ઓક્ટોબરમાં પણ રાહત મળવાની કોઈ શક્યતા નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. તેને જોતા LPG ગેસના ભાવમાં આ મહિને 100 રૂપિયાનો વધારો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે ક્રૂડ ઓઇલની કિંમત 80 ડોલરની નજીક છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવને જોતા ઓક્ટોબર મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારો થવાની ખાતરી છે.

જૂનો ચેક નકામો થશે

જો તમારું ખાતું ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ, યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અથવા અલ્હાબાદ બેંકમાં પણ છે, તો હવે આ બેન્કોની જૂની ચેકબુક કામ કરશે નહીં. વાસ્તવમાં આ બેંકો અન્ય બેંકો સાથે મર્જ થવા જઈ રહી છે. મર્જર બાદ હવે ખાતાધારકોનો એકાઉન્ટ નંબર, ચેક બુક, IFSC અને MICR કોડ બદલાશે. તેથી, ખાતાધારકોએ નવી ચેકબુક લેવી પડશે.

પેન્શનના નિયમો બદલાશે

1 ઓક્ટોબરથી પેન્શનરો માટે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ સંબંધિત નિયમોમાં ફેરફાર થશે. 80 વર્ષથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે, નિયમો જણાવે છે કે પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે તેમણે ભારતના કોઈપણ મુખ્ય પોસ્ટ ઓફિસમાં તેમના જીવન પ્રમાણ કેન્દ્રમાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.

ઓટો ડેબિટ પેમેન્ટમાં ફેરફાર થશે

1 ઓક્ટોબરથી ઓટો ડેબિટ પેમેન્ટના નિયમોમાં પણ ફેરફાર થવાની છે. હવે કોઈ પણ બેંક ગ્રાહકને જાણ કર્યા વગર પૈસા કાપી અથવા ડેબિટ કરી શકે નહીં. પૈસા ડેપિટ કરતાં પહેલા બેન્કે આ માટે ગ્રાહકની મંજૂરી અથવા જાણ કરવી પડશે.

મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બદલાશે

1 ઓક્ટોબરથી મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ પણ બદલાશે. આ ફેરફાર અન્ડર મેનેજમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ હાઉસમાં કામ કરતા જુનિયર કર્મચારીઓને લાગુ પડશે. SMSC કંપનીઓના જુનિયર કર્મચારીઓએ મ્યુચ્યુઅલ ફંડના એકમોમાં તેમના પગારના 10% રોકાણ કરવું પડશે.

FSSAIનો રજીસ્ટ્રેશન નંબર ફૂડ બિલ પર લખવાનો રહેશે

1 ઓક્ટોબરથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ ખાદ્ય ચીજો સાથે સંકળાયેલા દુકાનદારોને સૂચના આપી છે. હવે ખાદ્ય પદાર્થો સાથે કામ કરતા તમામ દુકાનદારો માટે FSSAI નો નોંધણી નંબર લખવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ સિવાય દુકાનથી રેસ્ટોરન્ટ સુધી, ડિસ્પ્લેમાં જણાવવું પડશે કે તેઓ કઈ ખાદ્ય ચીજોનો ઉપયોગ કરી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
માઇક્રોસોફ્ટમાં ફરી છટણી: ટેક જાયન્ટે રાતોરાત 4,800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા, જાણો કેમ?
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
LIC ના ગ્રાહકો માટે ખુશખબર: 59725 કરોડના રેકોર્ડ બોનસની જાહેરાત, જાણો કોને થશે ફાયદો
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
આ દેશમાં ભારતના માત્ર 53,000 રૂપિયા બની જાય છે 1 કરોડ, જાણો દૂધ અને પેટ્રોલના ભાવ
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 
શેર બજારમાં શાનદાર તેજી! સેન્સેક્સમાં 521 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24,430 પર, આ શેર બન્યા રોકેટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget