શોધખોળ કરો

UPIના નિયમોમાં આજથી ફેરફાર, ગૂગલ પે, ફોન પે અને પેટીએમ યુઝર્સ આપો ધ્યાન

નવા ઓટો ટોપ-અપ ફીચરથી ફરીથી UPI લાઇટમાં રૂપિયા એડ કરવામાં આવશે

UPI Liteના યુઝર્સ માટે સારા સમાચાર છે, કારણ કે આજથી એટલે કે 1 નવેમ્બરથી UPI Lite પ્લેટફોર્મમાં બે મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે. જો આપણે ફેરફારો વિશે વાત કરીએ તો 1 નવેમ્બરથી, UPI Lite યુઝર્સ વધુ પેમેન્ટ કરી શકશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ પણ તાજેતરમાં UPI Liteની ટ્રાન્ઝેક્શન મર્યાદા વધારી છે. જો આપણે અન્ય ફેરફારો વિશે વાત કરીએ તો, 1 નવેમ્બર પછી જો તમારું UPI લાઇટ બેલેન્સ ચોક્કસ મર્યાદાથી નીચે જાય છે તો નવી ઓટો ટોપ-અપ ફીચરથી ફરીથી UPI લાઇટમાં રૂપિયા એડ કરવામાં આવશે. આ મેન્યુઅલ ટોપ-અપની જરૂરિયાતને દૂર કરશે, જેના કારણે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લાઇટની મદદથી પેમેન્ટ કરી શકાય

નવા ફીચરની શરૂઆત ક્યારથી થશે

UPI લાઇટ ઓટો-ટોપ-અપ ફીચર 1 નવેમ્બર, 2024 થી શરૂ થવાની ધારણા છે. UPI Lite એક વૉલેટ છે જે યુઝર્સને UPI PIN નો ઉપયોગ કર્યા વિના ટ્રાન્જેક્શન કરવાની સુવિધા આપે છે. હાલમાં UPI Lite યુઝર્સે ચૂકવણી કરવાનું ચાલુ રાખવા માટે તેમના બેન્ક ખાતામાંથી તેમના વોલેટ બેલેન્સને મેન્યુઅલી રિચાર્જ કરવું પડશે. જો કે, નવી ઓટો-ટોપ-અપ સુવિધા સાથે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) મેન્યુઅલ રિચાર્જની જરૂરિયાતને દૂર કરીને પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાનું લક્ષ્ય રાખે છે. 27 ઓગસ્ટ, 2024 ના રોજ NPCIના નોટિફિકેશનમાં UPI લાઇટ ઓટો-પે બેલેન્સ ફીચરની જાહેરાત કરવામાં આવી હતી.

UPI Lite વોલેટ બેલેન્સ કરો ઓટો ટોપ-અપ

ટૂંક સમયમાં તમે UPI લાઇટ પર ન્યૂનતમ બેલેન્સ સેટ કરી શકશો. જ્યારે પણ તમારું બેલેન્સ આ મર્યાદાથી નીચે જાય છે, ત્યારે તમારા UPI Lite વૉલેટમા તમારા લિંક કરેલ બેન્ક એકાઉન્ટમાંથી નિશ્ચિત રકમ એડ થઇ જશે. રિચાર્જની રકમ પણ તમારા દ્વારા સેટ કરવામાં આવશે. આ વોલેટની મર્યાદા 2,000 રૂપિયાથી વધુ ન હોઈ શકે. UPI Lite એકાઉન્ટ પર એક દિવસમાં પાંચ જેટલા ટોપ-અપની મંજૂરી આપવામાં આવશે.

NPCI મુજબ, UPI Lite યુઝર્સે 31 ઓક્ટોબર, 2024 સુધીમાં ઓટો-પે બેલેન્સ સુવિધાને સક્ષમ કરવી પડશે. આ પછી તમે 1 નવેમ્બર, 2024 થી UPI લાઇટ પર ઓટો ટોપ-અપ ફીચરનો ઉપયોગ કરી શકશો.

UPI લિમિટ

UPI Lite દરેક યુઝરને 500 રૂપિયા સુધીના ટ્રાન્જેક્શન કરવાની મંજૂરી આપે છે. આ સાથે UPI Lite વૉલેટમાં વધુમાં વધુ 2000 રૂપિયાનું બેલેન્સ રાખી શકાય છે. UPI Lite વૉલેટની દૈનિક ખર્ચ મર્યાદા 4000 રૂપિયા છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ UPI Liteની મહત્તમ ટ્રાન્જેક્શન મર્યાદા 500 થી વધારીને 1,000 રૂપિયા કરવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત, UPI Lite વૉલેટની મર્યાદા પણ 2,000 રૂપિયાથી વધારીને 5,000 રૂપિયા કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
SIP Calculator: પાવર ઓફ કમ્પાઉન્ડિંગનું ગણિત, જાણો ₹10,000ની SIP કેવી રીતે બનાવશે ₹5.5 કરોડ
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
પેટ્રોલ બાદ હવે ડીઝલનો વારો: વાહનોમાં 15% સુધી 'આઇસોબ્યુટેનોલ' ઉમેરવાની સરકારની તૈયારી, જાણો શું છે આ પદાર્થ
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો
LPG Cylinder Price: ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ ₹2,000 થઈ ગયો હોત! PM મોદીનો મોટો ખુલાસો

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 2457 ગામોમાં વીજળી ડૂલ, 95 રસ્તાઓ બંધ, NDRF તૈનાત
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
અલ નીનોની વચ્ચે દેશના આ રાજ્યોમાં વરસાદે ભુક્કા કાઢી નાંખ્યા, 34% વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં આગામી 7 દિવસ મેઘતાંડવની આગાહી: આ બે ઝોનમાં 'રેડ એલર્ટ', ભારે વરસાદ તૂટી પડશે
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
ખેડૂતો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય: માત્ર 24 કલાકમાં જ વળતર બમણું કરતો પરિપત્ર જાહેર
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
ક્યારે આવશે ભારતની પહેલી હાઈડ્રોજન કાર, પેટ્રોલ અને EV થી સસ્તી મળશે કે મોંઘી?
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
Mahabharata: આજે ક્યાં છે તે 5 ગામ, જે ભગવાન કૃષ્ણએ મહાભારત કાળમાં માંગ્યા હતા? જાણી લો સત્ય
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Embed widget