શોધખોળ કરો

સુપ્રીમ કોર્ટની સલાહ બાદ રતન ટાટા વિરુદ્ધનો માનહાનિ કેસ પાછો ખેંચશે નુસ્લી વાડિયા

બિઝનેસમેન નુસ્લી વાડિયાએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા વિરુદ્ધ 3000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે.

નવી દિલ્હીઃ બિઝનેસમેન નુસ્લી વાડિયાએ દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા વિરુદ્ધ 3000 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ પાછો ખેંચવાનો નિર્ણય કર્યો છે. બોમ્બે ડાઈંગના ચેરમેન વાડિયાએ ટાટા સામે માનહાનીના તમામ કેસ પાછા ખેંચી લીધા છે. આ પૈકીના એક કેસમાં વાડિયાએ રૂપિયા 3,000 કરોડનો દાવો કર્યો હતો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ.અરવિંદ બોબડેએ સલાહ આપી હતી કે બંન્ને દેશના પ્રખ્યાત લોકો છો અને તેમને કાનૂની વિવાદથી બચતા આ પ્રકારના નાના-મોટા વિવાદોને પરસ્પર સહમતિથી ઉકેલી દેવા જોઇએ. વાડિયાએ આક્ષેપ કર્યો હતો કે ઓક્ટોબર,2016માં સાયરસ મિસ્ત્રીને ટાટા સન્સના ચેરમેન પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા અને ટાટા ગ્રુપના બાકી લોકો મારા વિશે અપમાનજનક શબ્દ કહેતા હતા. મારા પર મિસ્ત્રી સાથે સાંઠગાંઠ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અગાઉ છ જાન્યુઆરીના રોજ સુનાવણી દરમિયાન રતન ટાટા અને નુસ્લી વાડિયા માનહાનિ કેસમાં ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, બંન્ને ઇન્ડસ્ટ્રિઝના દિગ્ગજ લીડર છો અને તેમને વાતચીતથી વિવાદનો ઉકેલ લાવવો જોઇએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સોમવારે ફરી સુનાવણી હાથ ધરાઇ હતી. નુસ્લી વાડિયાને સ્વતંત્ર ડિરેક્ટર પદ પરથી હટાવ્યા બાદ રતન ટાટા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.વાડિયા ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સના બોર્ડ્સમાં સ્વતંત્ર ડિરેક્ટર હતા. ડિસેમ્બર,2016થી ફેબ્રુઆરી,2017 વચ્ચેના ગાળામાં યોજાયેલી બેઠકોમાં શેરધારકોએ વાડિયા વિરુદ્ધ મતદાન કરી તેમને બહાર કરી દીધા હતા. 2016માં નુસ્લી વાડિયાને રતન ટાટા અને અન્ય વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વાડિયાએ આ મામલે 3000 કરોડ રૂપિયાનું વળતર માંગ્યું હતું. જૂલાઇ 2019માં બોમ્બે હાઇકોર્ટે ગુનાહિત માનહાનિને રદ કરી દીધો હતો. બોમ્બે હાઇકોર્ટના નિર્ણયને નુસ્લી વાડિયાએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

ટોપ સ્ટોરી

SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
SBI ના ગ્રાહકો ધ્યાન આપે: 1 ઓક્ટોબરથી રોકડ ઉપાડના નિયમો બદલાશે, લાગશે આટલો ચાર્જ
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
PNG New Scheme: હવે LPG  સિલિન્ડરની ઝંઝટ ખતમ! PNG પર સરકાર લાવી રહી છે નવી સ્કીમ, જાણો 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
Post Office ની આ સ્કીમમાં દર મહિને ₹2500 કરો જમા, 5 વર્ષ બાદ મળશે આટલા પૈસા, જાણો કેલક્યુલેશન 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 
8th CPC Salary Calculator: લેવલ 3 ના કેંદ્રીય કર્મચારીઓને કેટલો મળશે પગાર! ફિટેમેન્ટ, HRA, TA બાદ હાથમાં કેટલા આવશે? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
Embed widget