શોધખોળ કરો

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

PM Jan Aushadhi Kendra opening process: સરકાર લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારી રહી છે. ભારતમાં હાલમાં લગભગ 11000થી પણ વધુ પીએમ જન ઔષધિ કેન્દ્રો ઉપલબ્ધ છે.

Government Help For Jan Aushadhi Kendra: આપણા દેશમાં ઘણા નાગરિકો એવા છે જે આર્થિક રીતે નબળા છે જેના કારણે તેમના માટે મોંઘી દવાઓ ખરીદવી શક્ય નથી. સરકાર આર્થિક રીતે નબળા આવા લોકો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વિસ્તાર કરી રહી છે. આ કેન્દ્રો પર ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા વિશે વિચારી શકો છો. કેન્દ્ર સરકાર લોકોને જેનરિક દવાઓ (Generic Medicine) પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર (PM Jan Aushadhi Kendra) ખોલવાની તક આપી રહી છે.

ભારત સરકારની આ યોજના હેઠળ કેટલીક શરતો પૂરી કરવા પર કોઈપણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે અને તેનાથી નફો પણ કમાઈ શકે છે. ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવાની રીત શું છે અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે.

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ડી ફાર્મા અથવા બી ફાર્મા સર્ટિફિકેટ જરૂરી

જન ઔષધિ કેન્દ્ર ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. જોકે, તેને ખોલવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડે છે. સરકાર કેન્દ્ર ખોલવાની પરવાનગી માત્ર તેમને જ આપે છે જેમની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માનું સર્ટિફિકેટ હોય છે. આ ઉપરાંત જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે 120 ચોરસ ફૂટની જગ્યા પણ હોવી જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી એટલે કે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. પહેલી કેટેગરીમાં ડૉક્ટર, ફાર્માસિસ્ટ અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આવે છે, બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલ અને NGO આવે છે અને ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમને રાજ્ય સરકાર તરફથી નોમિનેટ કરવામાં આવે છે.

સરકાર તરફથી મળશે 2 લાખ રૂપિયાની મદદ

લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારી રહી છે. ભારતમાં આ સમયે લગભગ 11 હજારથી પણ વધુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો મોજૂદ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માટે એક ફોર્મ ભરીને જમા કરાવવું પડે છે જેની ફી 5000 રૂપિયા છે. સરકાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે પ્રોત્સાહન રકમ પણ આપે છે. એટલું જ નહીં, સ્પેશિયલ કેટેગરીમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 2 લાખ રૂપિયાની મદદ પણ આપે છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે જોઈએ દસ્તાવેજો

જો તમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માંગતા હો તો તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો (નિવાસ પ્રમાણપત્ર) અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ janaushadhi.gov.in પર જઈને અરજી કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 

વિડિઓઝ

Kutch Earthquake News: કચ્છમાં રાપર નજીક વહેલી સવારે 4.6ની તિવ્રતાથી અનુભવાયો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : વસાવા છોડશે ભાજપ ?
Hun To Bolish : હું તો બોલીશ : સુશાસનનો યુગ ક્યારે?
Surendranagar ED Raid : સુરેન્દ્રનગર ED રેડ મામલો, ફરિયાદીએ મોટા કૌભાંડનો કેવી રીતે કર્યો પર્દાફાશ?
Chaitar Vasava Vs Mansukh Vasava : ..તો લીગલ કાર્યવાહી કરીશ , સરકાર ન્યાય નહીં કરે તો ભાજપ છોડી દઈશ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
ફરી એકવાર કચ્છના રાપરમાં વહેલી સવારે આવ્યો ભૂકંપ, તીવ્રતા 4.6, લોકો ઘરની બહાર દોડ્યાં
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી : કૉંગ્રેસ-ઉદ્ધવ જૂથને લઈ શું છે લેટેસ્ટ અપડેટ, વંચિત બહુજન આઘાડી સાથે પણ ગઠબંધનની શક્યતા
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gold Silver : શું નવા વર્ષ 2026 માં પણ ગોલ્ડ અને ચાંદીમાં શાનદાર તેજી રહેશે ? જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
Gas Geyser: શિયાળામાં ગેસ ગીઝરના ઉપયોગ સમયે ક્યારેય ન કરો આ ભૂલો, જાણો 
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
WPL 2026: BCCI એ મેચની ટિકિટોને લઈ આપ્યું મોટું અપડેટ, આ દિવસથી ફેન્સ ખરીદી શકશે ઓનલાઈન
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
તમારા આધાર કાર્ડમાં કરો આ 5 કામ, છેતરપિંડીના શિકાર થતા બચશો, UIDAI એ જણાવ્યું કઈ રીતે રહેવું સુરક્ષિત
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
રાત્રે મોજા પહેરીને સૂવાથી કેમ જલ્દી ઊંઘ આવી જાય ? જાણી લો કારણ 
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Year Ender 2025: આ વર્ષે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બેટ્સમેનોએ ધમાલ મચાવી, ગિલ નંબર-1
Embed widget