શોધખોળ કરો

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

PM Jan Aushadhi Kendra opening process: સરકાર લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારી રહી છે. ભારતમાં હાલમાં લગભગ 11000થી પણ વધુ પીએમ જન ઔષધિ કેન્દ્રો ઉપલબ્ધ છે.

Government Help For Jan Aushadhi Kendra: આપણા દેશમાં ઘણા નાગરિકો એવા છે જે આર્થિક રીતે નબળા છે જેના કારણે તેમના માટે મોંઘી દવાઓ ખરીદવી શક્ય નથી. સરકાર આર્થિક રીતે નબળા આવા લોકો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વિસ્તાર કરી રહી છે. આ કેન્દ્રો પર ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા વિશે વિચારી શકો છો. કેન્દ્ર સરકાર લોકોને જેનરિક દવાઓ (Generic Medicine) પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર (PM Jan Aushadhi Kendra) ખોલવાની તક આપી રહી છે.

ભારત સરકારની આ યોજના હેઠળ કેટલીક શરતો પૂરી કરવા પર કોઈપણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે અને તેનાથી નફો પણ કમાઈ શકે છે. ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવાની રીત શું છે અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે.

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ડી ફાર્મા અથવા બી ફાર્મા સર્ટિફિકેટ જરૂરી

જન ઔષધિ કેન્દ્ર ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. જોકે, તેને ખોલવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડે છે. સરકાર કેન્દ્ર ખોલવાની પરવાનગી માત્ર તેમને જ આપે છે જેમની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માનું સર્ટિફિકેટ હોય છે. આ ઉપરાંત જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે 120 ચોરસ ફૂટની જગ્યા પણ હોવી જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી એટલે કે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. પહેલી કેટેગરીમાં ડૉક્ટર, ફાર્માસિસ્ટ અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આવે છે, બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલ અને NGO આવે છે અને ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમને રાજ્ય સરકાર તરફથી નોમિનેટ કરવામાં આવે છે.

સરકાર તરફથી મળશે 2 લાખ રૂપિયાની મદદ

લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારી રહી છે. ભારતમાં આ સમયે લગભગ 11 હજારથી પણ વધુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો મોજૂદ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માટે એક ફોર્મ ભરીને જમા કરાવવું પડે છે જેની ફી 5000 રૂપિયા છે. સરકાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે પ્રોત્સાહન રકમ પણ આપે છે. એટલું જ નહીં, સ્પેશિયલ કેટેગરીમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 2 લાખ રૂપિયાની મદદ પણ આપે છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે જોઈએ દસ્તાવેજો

જો તમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માંગતા હો તો તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો (નિવાસ પ્રમાણપત્ર) અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ janaushadhi.gov.in પર જઈને અરજી કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
નિવૃત્તિ પછી દર મહિને મળશે ₹50,000 પેન્શન અને ₹4 કરોડ, જાણો આ સરકારી યોજનાનું આખું ગણિત
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
સોનું ₹2,200 અને ચાંદી ₹4,900થી વધુ સસ્તું થયું! જાણો ખરીદીનો આ સાચો સમય છે કે નહીં?
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
રોજ માત્ર ₹100 બચાવીને બની શકો છો લખપતિ, પોસ્ટ ઓફિસની આ સ્કીમ આપે છે જબરદસ્ત ફાયદા
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો
FD અને RD માંથી કોણ છે અસલી 'મની પાર્ટનર'? જાણો શેમાં મળશે વધુ ફાયદો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget