શોધખોળ કરો

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

PM Jan Aushadhi Kendra opening process: સરકાર લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારી રહી છે. ભારતમાં હાલમાં લગભગ 11000થી પણ વધુ પીએમ જન ઔષધિ કેન્દ્રો ઉપલબ્ધ છે.

Government Help For Jan Aushadhi Kendra: આપણા દેશમાં ઘણા નાગરિકો એવા છે જે આર્થિક રીતે નબળા છે જેના કારણે તેમના માટે મોંઘી દવાઓ ખરીદવી શક્ય નથી. સરકાર આર્થિક રીતે નબળા આવા લોકો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વિસ્તાર કરી રહી છે. આ કેન્દ્રો પર ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા વિશે વિચારી શકો છો. કેન્દ્ર સરકાર લોકોને જેનરિક દવાઓ (Generic Medicine) પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર (PM Jan Aushadhi Kendra) ખોલવાની તક આપી રહી છે.

ભારત સરકારની આ યોજના હેઠળ કેટલીક શરતો પૂરી કરવા પર કોઈપણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે અને તેનાથી નફો પણ કમાઈ શકે છે. ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવાની રીત શું છે અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે.

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ડી ફાર્મા અથવા બી ફાર્મા સર્ટિફિકેટ જરૂરી

જન ઔષધિ કેન્દ્ર ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. જોકે, તેને ખોલવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડે છે. સરકાર કેન્દ્ર ખોલવાની પરવાનગી માત્ર તેમને જ આપે છે જેમની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માનું સર્ટિફિકેટ હોય છે. આ ઉપરાંત જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે 120 ચોરસ ફૂટની જગ્યા પણ હોવી જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી એટલે કે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. પહેલી કેટેગરીમાં ડૉક્ટર, ફાર્માસિસ્ટ અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આવે છે, બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલ અને NGO આવે છે અને ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમને રાજ્ય સરકાર તરફથી નોમિનેટ કરવામાં આવે છે.

સરકાર તરફથી મળશે 2 લાખ રૂપિયાની મદદ

લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારી રહી છે. ભારતમાં આ સમયે લગભગ 11 હજારથી પણ વધુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો મોજૂદ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માટે એક ફોર્મ ભરીને જમા કરાવવું પડે છે જેની ફી 5000 રૂપિયા છે. સરકાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે પ્રોત્સાહન રકમ પણ આપે છે. એટલું જ નહીં, સ્પેશિયલ કેટેગરીમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 2 લાખ રૂપિયાની મદદ પણ આપે છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે જોઈએ દસ્તાવેજો

જો તમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માંગતા હો તો તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો (નિવાસ પ્રમાણપત્ર) અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ janaushadhi.gov.in પર જઈને અરજી કરવી પડશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | ગુજરામાં ફરી આવશે વરસાદ? જુઓ અંબાલાલ પટેલે શું કરી મોટી આગાહી?Rajkot Police | 'ACP સાહેબને એકને સાચવી લેવાના', રાજકોટ પોલીસમાં બદલીની ઓડિયો ક્લીપ વાયરલPune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂરDakor Prashad | ડાકોર મંદિરે શ્રદ્ધાળુઓને મળશે વિના મૂલ્યે ભોજન, જુઓ મોટા સમાચાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP VHP એ કાર્યવાહીની માંગ કરી
'આજ કી રાત મઝા હુસ્ન કા...' ગીત પર ગરબાનો વીડિયો વાયરલ, BJP VHP એ કાર્યવાહીની માંગ કરી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Rain: આગામી પાંચ દિવસ નવરાત્રીમાં વરસાદ, ક્યાં-ક્યાં બગડશે ખેલૈયાઓની મજા ? વાંચો અંબાલાલની આગાહી
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Gujarat: અચાનક રવિવારે જ તમામ ધારાસભ્યોને દાદાનું તેડું, મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી બીજુ કંઇ ? કેબિનેટ બેઠકને લઇ ચર્ચાએ જોર પકડ્યું
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
Banaskantha: પાલનપુર એસ.ટી.ડેપોમાં યુવતી-યુવતીનો અશ્લીલ હરકતો કરતો વીડિયો વાયરલ, લોકોમાં રોષ
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
યુદ્ધના ભણકારા: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની ભારત અને દુનિયા પર શું થશે અસર?
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Surat: આશ્રમ શાળાના આચાર્યની કરતૂત, વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કર્યા બાદ છેડતી કરી, પોલીસે દબોચ્યો
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં  પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Mumbai Fire Accident: મુંબઇમાં ભયંકર દુર્ઘટનામાં પાંચ લોકોના મોત, જીવતા આગમાં ભૂંજાયા
Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'
Israel News: ગાઝામાં મસ્જિદ પર ઇઝરાયેલી આર્મીની એર સ્ટ્રાઇક, 18 લોકોના મોત, IDFનો દાવો - ગાઝાની મસ્જિદો 'હમાસ બેઝ'
Embed widget