શોધખોળ કરો

તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે

PM Jan Aushadhi Kendra opening process: સરકાર લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે જન ઔષધિ કેન્દ્રની સંખ્યા વધારી રહી છે. ભારતમાં હાલમાં લગભગ 11000થી પણ વધુ પીએમ જન ઔષધિ કેન્દ્રો ઉપલબ્ધ છે.

Government Help For Jan Aushadhi Kendra: આપણા દેશમાં ઘણા નાગરિકો એવા છે જે આર્થિક રીતે નબળા છે જેના કારણે તેમના માટે મોંઘી દવાઓ ખરીદવી શક્ય નથી. સરકાર આર્થિક રીતે નબળા આવા લોકો માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રનો વિસ્તાર કરી રહી છે. આ કેન્દ્રો પર ઓછી કિંમતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા વિશે વિચારી શકો છો. કેન્દ્ર સરકાર લોકોને જેનરિક દવાઓ (Generic Medicine) પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર (PM Jan Aushadhi Kendra) ખોલવાની તક આપી રહી છે.

ભારત સરકારની આ યોજના હેઠળ કેટલીક શરતો પૂરી કરવા પર કોઈપણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલી શકે છે અને તેનાથી નફો પણ કમાઈ શકે છે. ચાલો જાણીએ કે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવાની રીત શું છે અને તેના માટે કયા દસ્તાવેજોની જરૂર પડે છે.

જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ડી ફાર્મા અથવા બી ફાર્મા સર્ટિફિકેટ જરૂરી

જન ઔષધિ કેન્દ્ર ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ રાખવામાં આવી છે. જોકે, તેને ખોલવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડે છે. સરકાર કેન્દ્ર ખોલવાની પરવાનગી માત્ર તેમને જ આપે છે જેમની પાસે ડી ફાર્મા અથવા બી ફાર્માનું સર્ટિફિકેટ હોય છે. આ ઉપરાંત જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારી પાસે 120 ચોરસ ફૂટની જગ્યા પણ હોવી જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે ત્રણ કેટેગરી એટલે કે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે. પહેલી કેટેગરીમાં ડૉક્ટર, ફાર્માસિસ્ટ અથવા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર આવે છે, બીજી કેટેગરીમાં ટ્રસ્ટ, પ્રાઇવેટ હોસ્પિટલ અને NGO આવે છે અને ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવે છે જેમને રાજ્ય સરકાર તરફથી નોમિનેટ કરવામાં આવે છે.

સરકાર તરફથી મળશે 2 લાખ રૂપિયાની મદદ

લોકોને સસ્તા દરે દવાઓ ઉપલબ્ધ કરાવવા માટે સરકાર જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધારી રહી છે. ભારતમાં આ સમયે લગભગ 11 હજારથી પણ વધુ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો મોજૂદ છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માટે એક ફોર્મ ભરીને જમા કરાવવું પડે છે જેની ફી 5000 રૂપિયા છે. સરકાર પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે પ્રોત્સાહન રકમ પણ આપે છે. એટલું જ નહીં, સ્પેશિયલ કેટેગરીમાં સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે 2 લાખ રૂપિયાની મદદ પણ આપે છે.

પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે જોઈએ દસ્તાવેજો

જો તમે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે અરજી કરવા માંગતા હો તો તમારી પાસે કેટલાક દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે. જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ફાર્માસિસ્ટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, સરનામાનો પુરાવો (નિવાસ પ્રમાણપત્ર) અને મોબાઇલ નંબર હોવો જરૂરી છે. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવા માટે તમારે તેની અધિકૃત વેબસાઇટ janaushadhi.gov.in પર જઈને અરજી કરવી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget